April 29, 2024
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

સેલવાસ નગરપાલિકા કાઉન્‍સિલર સુમનભાઈ પટેલે દાનહમાં નવરાત્રીની ઉજવણી માટેની માર્ગદર્શિકા નક્કી કરવા કલેક્‍ટરને આપેલું આવેદનપત્ર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.09: આગામી દિવસોમાં આવનાર સૌથી મોટા તહેવાર નવરાત્રીની ઉજવણી કરવા બાબતે પ્રશાસન દ્વારા તાત્‍કાલિક ધોરણે મંજૂરી આપવા અને માર્ગદર્શિકા નક્કી કરી મૌખિક અથવા લેખિત જાણ કરવા સેલવાસ ન.પા. કાઉન્‍સિલર શ્રી સુમનભાઈ પટેલે કલેક્‍ટરશ્રીને લેખિત રજૂઆત કરી છે.
ન.પા. કાઉન્‍સિલર શ્રી સુમનભાઈ પટેલે કલેક્‍ટરશ્રીને કરેલીલેખિત અરજીમાં જણાવાયું છે કે, આગામી તા.26મી સપ્‍ટેમ્‍બરથી દેશના સૌથી મોટા ઉત્‍સવ એટલે કે, નવરાત્રી આવી રહી છે. જેમાં મોટા પાયે પહેલાંથી તૈયારીઓ કરવી પડતી હોય છે અને ફક્‍ત ગણતરીના દિવસો બાકી હોય ત્‍યારે દરેક રાસ-ગરબાના રસિયાઓ અને માતાના ઉપાસકો તથા તમામ નવરાત્રીની ઉજવણી કરતા મંડળો, આયોજકો અસમંજસની સ્‍થિતિમાં હોય અને પ્રશાસન શું નિર્ણય લેશે તે તરફ મીટ માંડીને રાહ જોઈ રહ્યા છે. આ ચિંતાને ધ્‍યાનમાં લઈ તાત્‍કાલિક નવરાત્રીની ઉજવણી માટે મૌખિક અથવા લેખિત કે સોશિયલ મીડિયા દ્વારા પ્રશાસન જાણ કરે. જેથી પ્રશાસનની માર્ગદર્શિકા મુજબ રાસ-ગરબા રસિયાઓ નવરાત્રીની તૈયારી કરે. આ પહેલાં દાદરા નગર હવેલીમાં ગણપતિ મહોત્‍સવની ઉજવણી કરવા માટેની મંજૂરી આપવા અને સફળતાપૂર્વક મહોત્‍સવને પૂર્ણ કરવા બદલ કાઉન્‍સિલર શ્રી સુમનભાઈ પટેલે પ્રશાસનનો આભાર માન્‍યો હતો.

Related posts

દાનહ નરોલી પંચાયત ખાતે માર્બલ કંપનીઓ દ્વારા ખુલ્લેઆમ ફેકવામાં આવી રહ્ના છે ઘન કચરો

vartmanpravah

દાનહમાં ઍકપણ કોરોના પોઝિટિવ કેસ નહીં

vartmanpravah

રાજ્‍ય કાનૂની સેવા સત્તાધિકારી અને બાર એસોસિએશન દમણના સંયુક્‍ત ઉપક્રમે મોટી દમણની ફાધર એગ્નેલો સ્‍કૂલમાં કાનૂની જાગૃતતા શિબિર યોજાઈ

vartmanpravah

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે યોજાનાર અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘનાં દ્વિવાર્ષિક અધિવેશનની તૈયારીઓ પૂરજોશમાં

vartmanpravah

વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના લોકપ્રિય કાર્યક્રમ ‘મન કી બાત’નું સંઘપ્રદેશમાં લગભગ દરેક બુથમાં નિહાળાયું જીવંત પ્રસારણ

vartmanpravah

દાનહ અને દમણ-દીવ અગામી બે વર્ષમાં ફક્‍ત ભારતમાં જ નહીં પરંતુ વિશ્વના નકશામાં વિકસિત બેનમૂન પ્રદેશ બનશે

vartmanpravah

Leave a Comment