October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

સેલવાસ નગરપાલિકા કાઉન્‍સિલર સુમનભાઈ પટેલે દાનહમાં નવરાત્રીની ઉજવણી માટેની માર્ગદર્શિકા નક્કી કરવા કલેક્‍ટરને આપેલું આવેદનપત્ર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.09: આગામી દિવસોમાં આવનાર સૌથી મોટા તહેવાર નવરાત્રીની ઉજવણી કરવા બાબતે પ્રશાસન દ્વારા તાત્‍કાલિક ધોરણે મંજૂરી આપવા અને માર્ગદર્શિકા નક્કી કરી મૌખિક અથવા લેખિત જાણ કરવા સેલવાસ ન.પા. કાઉન્‍સિલર શ્રી સુમનભાઈ પટેલે કલેક્‍ટરશ્રીને લેખિત રજૂઆત કરી છે.
ન.પા. કાઉન્‍સિલર શ્રી સુમનભાઈ પટેલે કલેક્‍ટરશ્રીને કરેલીલેખિત અરજીમાં જણાવાયું છે કે, આગામી તા.26મી સપ્‍ટેમ્‍બરથી દેશના સૌથી મોટા ઉત્‍સવ એટલે કે, નવરાત્રી આવી રહી છે. જેમાં મોટા પાયે પહેલાંથી તૈયારીઓ કરવી પડતી હોય છે અને ફક્‍ત ગણતરીના દિવસો બાકી હોય ત્‍યારે દરેક રાસ-ગરબાના રસિયાઓ અને માતાના ઉપાસકો તથા તમામ નવરાત્રીની ઉજવણી કરતા મંડળો, આયોજકો અસમંજસની સ્‍થિતિમાં હોય અને પ્રશાસન શું નિર્ણય લેશે તે તરફ મીટ માંડીને રાહ જોઈ રહ્યા છે. આ ચિંતાને ધ્‍યાનમાં લઈ તાત્‍કાલિક નવરાત્રીની ઉજવણી માટે મૌખિક અથવા લેખિત કે સોશિયલ મીડિયા દ્વારા પ્રશાસન જાણ કરે. જેથી પ્રશાસનની માર્ગદર્શિકા મુજબ રાસ-ગરબા રસિયાઓ નવરાત્રીની તૈયારી કરે. આ પહેલાં દાદરા નગર હવેલીમાં ગણપતિ મહોત્‍સવની ઉજવણી કરવા માટેની મંજૂરી આપવા અને સફળતાપૂર્વક મહોત્‍સવને પૂર્ણ કરવા બદલ કાઉન્‍સિલર શ્રી સુમનભાઈ પટેલે પ્રશાસનનો આભાર માન્‍યો હતો.

Related posts

આજે દમણવાડા ગ્રામ પંચાયતમાં ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત સાંજે 4 વાગ્‍યે વિશેષ ગ્રામસભા

vartmanpravah

આજે દમણવાડા ગ્રામ પંચાયતના પટાંગણમાં સત્‍ય નારાયણ ભગવાનની મહાપૂજા અને દમણવાડા હાયર સેકન્‍ડરી શાળાના શિક્ષકોનો સન્‍માન સમારંભ

vartmanpravah

ઉમરગામ તાલુકા પંચાયતના સભાખંડમાં મળેલી સમીક્ષા બેઠક

vartmanpravah

ઝરોલીમાં પુત્રએ પિતાનું ઢીમ ઢાળ્‍યું

vartmanpravah

વલસાડના શ્રી માહ્યાવંશી વિદ્યાર્થી પ્રગતિ મંડળનો 28મો સન્‍માન સમારોહ યોજાયો

vartmanpravah

વાપીના ભાજપ આગેવાનો મહારાષ્‍ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મુંબઈ ગોરેગાંવ બેઠકના પ્રચાર માટે કાર્યરત થયા

vartmanpravah

Leave a Comment