Vartman Pravah
Breaking Newsસેલવાસ

સેલવાસ પોલીસે હત્‍યાનો પ્રયાસ અને લૂંટના પાંચ આરોપીઓની કરેલી ધરપકડ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.30
સેલવાસ પોલીસે હત્‍યાનો પ્રયાસ અને લૂંટના પાંચ આરોપીઓની ધરપકડ કરી હોવાની માહિતી સાંપડી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સેલવાસ પોલીસ સ્‍ટેશનમાં હત્‍યાના પ્રયાસ અને લૂંટના પ્રયાસની ઘટના અંગેની ફરિયાદ નોંધાવા પામી હતી. જેમાં પાંચ આરોપીઓની ધરપકડ કરવામા આવી છે. ગત તા 11એપ્રિલના રોજ ફરિયાદી રાજકુમાર વિદ્યાસીંગ સિકયુરીટી સુપરવાઈઝર પી.આર.પેકેજીંગ કંપની નરોલી જેઓ વહેલી સવારે ચારથી પાંચ વાગ્‍યાના સુમારેઅજાણ્‍યા પાંચ વ્‍યક્‍તિઓએ રણજીત કન્‍હૈયાલાલ યાદવ જે સીકયુરીટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા હતા તેઓ પર અચાનક હુમલો કર્યો હતો અને એમની પાસેથી પાંચ હજાર રૂપિયા લૂંટી લીધા હતા.
રણજીત ગંભીર રીતે ઘાયલ થયેલો હતો જેથી એને તાત્‍કાલિક હોસ્‍પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામા આવ્‍યો હતો. જ્‍યાં 20 દિવસ સુધી આઈસીયુમા રાખવામા આવ્‍યો હતો. આ ફરિયાદના આધારે પોલીસે આઇપીસી 307, 395, 34 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
પોલીસ અધિક્ષક શ્રી હરેશ્વર સ્‍વામીના માર્ગદર્શન હેઠળ એસડીપીઓ શ્રી સિદ્ધાર્થ જૈન, ક્રાઇમ બ્રાન્‍ચના પીઆઈ શ્રી મનોજભાઈ પટેલ, પીએસઆઇ શ્રી અનિલભાઈ ટી.કે., પીએસઆઈ જીગ્નેશ પટેલ અને એમની ટીમે ફરિયાદના આધારે તપાસ કરતા આરોપીઓ નીતિન ઉર્ફે સિડવા કમલેશ બરફ (ઉ.વ.24) રહેવાસી અંકલાસ વિનોદ ઉર્ફે વીનકા ઉર્ફે બાજો લક્ષી સાલકર (ઉ.વ.23) રહેવાસી ઉમરકૂઇ, સુરેશ બાબુ સાલકર (ઉ.વ.41) રહેવાસી ઉમરકૂઇ, અશ્વિન લખમા વાઘ્‍યા (ઉ.વ.30) રહેવાસી તલાસરી, જયંતિ રૂપજી ખુલાટ (ઉ.વ.25) રહેવાસી લુહારી જેઓની 29 ડિસેમ્‍બરના રોજ ધરપકડ કરવામા આવી હતી. પૂછપરછ કરતા આરોપીઓએ કબુલ્‍યુ હતું ક, આ લૂંટના પ્રયાસમાં સામેલ હતા. આ ઘટનાની વધુ તપાસ સેલવાસ પોલીસ કરી રહીછે.

Related posts

પારડી નેશનલ હાઈવે સ્‍થિત રોહિત ખાડીના બે પુલ વચ્‍ચેના ખાડામાં કન્‍ટેનર ખાબકયું

vartmanpravah

પારડી ઍન.કે. દેસાઈ કોલેજમાં ઉલ્હાસ-૨૦૨૨ અંતર્ગત આંતર શાળા હરિફાઈઓ યોજાઈ

vartmanpravah

વલસાડ જિલ્લામાં સ્‍માર્ટ મીટર મુદ્દે આંશિક રાહત

vartmanpravah

વલસાડ જિલ્લાના ખેડૂતોને એસઆરઆર યોજના હેઠળ સહાયથી બિયારણ ઉપલબ્‍ધ થશે

vartmanpravah

સરીગામ લક્ષ્મી ઈન્‍સ્‍ટિટયૂટ ઓફ ટેક્‍નોલોજીમાં ટેક ફેસ્‍ટ એકત્ર-2023 નો ઉદ્દઘાટન સમારંભ

vartmanpravah

‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત તા.13 થી 15 ઓગસ્‍ટ દરમિયાન દમણના દરેક ઉદ્યોગોની ઈમારત ઉપર તિરંગો લહેરાશેઃ ડીઆઈએની બેઠકમાં લેવાયેલો નિર્ણય

vartmanpravah

Leave a Comment