September 1, 2026
Vartman Pravah
Breaking Newsસેલવાસ

સેલવાસ પોલીસે હત્‍યાનો પ્રયાસ અને લૂંટના પાંચ આરોપીઓની કરેલી ધરપકડ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.30
સેલવાસ પોલીસે હત્‍યાનો પ્રયાસ અને લૂંટના પાંચ આરોપીઓની ધરપકડ કરી હોવાની માહિતી સાંપડી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સેલવાસ પોલીસ સ્‍ટેશનમાં હત્‍યાના પ્રયાસ અને લૂંટના પ્રયાસની ઘટના અંગેની ફરિયાદ નોંધાવા પામી હતી. જેમાં પાંચ આરોપીઓની ધરપકડ કરવામા આવી છે. ગત તા 11એપ્રિલના રોજ ફરિયાદી રાજકુમાર વિદ્યાસીંગ સિકયુરીટી સુપરવાઈઝર પી.આર.પેકેજીંગ કંપની નરોલી જેઓ વહેલી સવારે ચારથી પાંચ વાગ્‍યાના સુમારેઅજાણ્‍યા પાંચ વ્‍યક્‍તિઓએ રણજીત કન્‍હૈયાલાલ યાદવ જે સીકયુરીટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા હતા તેઓ પર અચાનક હુમલો કર્યો હતો અને એમની પાસેથી પાંચ હજાર રૂપિયા લૂંટી લીધા હતા.
રણજીત ગંભીર રીતે ઘાયલ થયેલો હતો જેથી એને તાત્‍કાલિક હોસ્‍પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામા આવ્‍યો હતો. જ્‍યાં 20 દિવસ સુધી આઈસીયુમા રાખવામા આવ્‍યો હતો. આ ફરિયાદના આધારે પોલીસે આઇપીસી 307, 395, 34 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
પોલીસ અધિક્ષક શ્રી હરેશ્વર સ્‍વામીના માર્ગદર્શન હેઠળ એસડીપીઓ શ્રી સિદ્ધાર્થ જૈન, ક્રાઇમ બ્રાન્‍ચના પીઆઈ શ્રી મનોજભાઈ પટેલ, પીએસઆઇ શ્રી અનિલભાઈ ટી.કે., પીએસઆઈ જીગ્નેશ પટેલ અને એમની ટીમે ફરિયાદના આધારે તપાસ કરતા આરોપીઓ નીતિન ઉર્ફે સિડવા કમલેશ બરફ (ઉ.વ.24) રહેવાસી અંકલાસ વિનોદ ઉર્ફે વીનકા ઉર્ફે બાજો લક્ષી સાલકર (ઉ.વ.23) રહેવાસી ઉમરકૂઇ, સુરેશ બાબુ સાલકર (ઉ.વ.41) રહેવાસી ઉમરકૂઇ, અશ્વિન લખમા વાઘ્‍યા (ઉ.વ.30) રહેવાસી તલાસરી, જયંતિ રૂપજી ખુલાટ (ઉ.વ.25) રહેવાસી લુહારી જેઓની 29 ડિસેમ્‍બરના રોજ ધરપકડ કરવામા આવી હતી. પૂછપરછ કરતા આરોપીઓએ કબુલ્‍યુ હતું ક, આ લૂંટના પ્રયાસમાં સામેલ હતા. આ ઘટનાની વધુ તપાસ સેલવાસ પોલીસ કરી રહીછે.

Related posts

વલસાડ જિલ્લાના કુદરતી પ્રવાસન સ્‍થળોની ફોટોગ્રાફી સ્‍પર્ધામાં ખેરગામના યુવા પરિમલ પ્રથમ ક્રમાંકે

vartmanpravah

શ્રીમદ્દ રાજચંદ્ર મિશન દ્વારા વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે નવનિર્મિત રાજસભાગૃહને ખૂલ્લું મૂકતા રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ

vartmanpravah

ઉમરગામ પોલીસ મથકે લોક દરબારનું કરવામાં આવેલું આયોજન

vartmanpravah

દમણની સરકારી કોલેજમાં ‘ગાંધીયુગને ઘડનારા પરિબળો’ વિષયને કેન્‍દ્રમાં રાખી વ્‍યાખ્‍યાન કાર્યક્રમ યોજાયો

vartmanpravah

સુધીર ફડકેએ 1954માં દાનહ મુક્‍તિનો હેતુ મનમાં રાખીને સ્‍થાનિક અગ્રગણ્‍ય લોકોને પરિચય કેળવવા ત્‍યાં એક થી વધુ સંગીત કાર્યક્રમો પણ કર્યા હતા

vartmanpravah

દમણ અને દાનહમાં કમોસમી વરસાદ પડતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ

vartmanpravah

Leave a Comment