Vartman Pravah
Breaking Newsદીવ

દીવ જિલ્લામાં 15 થી 18 વર્ષના વિદ્યાર્થીઓ માટે ત્રણ દિવસીય કોરોના રસીકરણ અભિયાન પૂર્ણ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.06
કોરોના તથા ઓમીક્રોમની ગંભીરતાને ધ્‍યાનમાં રાખીને દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ સમગ્ર દેશમાં 15 થી 18 વર્ષનાવિધાર્થીઓને કોરોના રસીકરણ શરૂ કરવામાં આવ્‍યું હતું. જે અંતર્ગત દીવ જીલ્લામાં ત્રણ દિવસીય સ્‍કૂલ કોરોના રસીકરણ અભિયાન હાથ ધરવામાં આવ્‍યું હતું. ત્રણ દિવસ દરમિયાન ઘોઘલા, દીવ, વણાંકબારા, બુચરવાડા, ફુદમ, દગાથી, સાઉદવાડી, નાગવા, કેન્‍દ્રીય વિદ્યાલય, ગેલેક્‍સી સ્‍કૂલ, નિર્મલા માતા,નવોદય વિદ્યાલય, પોલીટેકનિક કોલેજ, દીવ કોલેજ, આઈ.ટી.આઈ તથા ટી.ટી.આઈ વગેરેના 3200 જેટલા વિદ્યાર્થીઓને કોવેકસીન આપવામાં આવી હતી. કોરોના રસીકરણ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્‍યું હતું.
આ અભિયાનમાં 99 ટકા સ્‍વાસ્‍થ્‍ય વિભાગને સફળતા મળી 15 થી 18વર્ષના બાળકો રસીકરણ માટે બાકી હોય તેને ઘરે ઘરે જઈને રસીકરણ કરવામાં આવશે. ભારતમાં જ્‍યારે ત્રીજી લહેરનું આગમન વેગથી વધુ રહ્યું ત્‍યારે પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીનો આ નિર્ણય ખૂબજ વરદાન દાયક નિવડશે. જેના માટે દરેક વિદ્યાર્થીઓએ પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદી અને દીવ પ્રશાસનનો આભાર વ્‍યક્‍ત કર્યો હતો.

Related posts

..નહી તો અકસ્‍માતનો સેતુ બનશે… મોટી દમણના રામસેતુ બીચ રોડ ઉપર વાહનો માટે સ્‍પીડ મર્યાદા નક્કી કરવી જરૂરી

vartmanpravah

ગુજરાતમાંથી સીકેનાયડુ ટ્રોફી માટે દમણના ઉમંગ ટંડેલ અને સરલ પ્રજાપતિની પસંદગી.

vartmanpravah

દાદરા નગર હવેલીમાં છેલ્લા 24 કલાક દરમિયાન ચાર ઇંચ વરસાદ વરસ્‍યો

vartmanpravah

વલસાડ હાઈવે ઉપર એલ.સી.બી.એ ફિલ્‍મી ઢબે કારનો પીછો કરી 250 કિ.ગ્રા. ગાંજાનો જથ્‍તો પકડયો

vartmanpravah

દાનહ કોંગ્રેસે 2 ઓગસ્‍ટ-‘દાનહ મુક્‍તિ દિવસ’ની ઉજવણી ધામધૂમથી કરવા કલેક્‍ટરને કરેલી રજૂઆત

vartmanpravah

ધરમપુર જિલ્લા વિજ્ઞાન કેન્‍દ્રની ઈનોવેશન હબની બે ટીમ રાષ્‍ટ્રીય કક્ષાની રોબોટિક્‍સ કેટેગરીમાં વિજેતા

vartmanpravah

Leave a Comment