January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ઉમરગામ શિવ શક્‍તિ સહયોગ સેવાશ્રમ ચેરીટેબલ ટ્રસ્‍ટે 22 અસહાય દીકરીઓનું કરેલું કન્‍યાદાન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.28: ઉમરગામ શિવ શક્‍તિ સહયોગ સેવાશ્રમ ચેરીટેબલ ટ્રસ્‍ટના પ્રમુખ શ્રી મણીભાઈ પટેલ અને એમના સભ્‍યો દ્વારા સમુહ લગ્નનું આયોજન કરી 22 જેટલી અસહાય દીકરીઓનું કન્‍યાદાન કરી ઉમદા કાર્યોનું દ્રષ્ટાંત રજૂ કર્યું છે. આ કાર્યક્રમમાં મુખ્‍ય મહેમાન તરીકે કારૂલકર પ્રતિષ્ઠાના ઉપાધ્‍યક્ષ શ્રીમતી શીતલબેન કારૂલકર મુંબઈથી વધારે ખાસ ઉપસ્‍થિત રહ્યા હતા. સમૂહ લગ્નમાં દાતાઓ દ્વારા તમામ દીકરીઓને ઘરવખરી સાથે કરીયાવર આપવામાં ઉત્‍સાહ બતાવ્‍યો હતો.
આ પ્રસંગે શાષાી શ્રી ચંદુભાઈ શુકલ દ્વારા સંસ્‍થાનો પરિચય કરાવી તેમજ સંસ્‍થા દ્વારા 27 જેટલા અસહાય બાળકોને દત્તક લઈ આપવામાં આવી રહેલું શિક્ષણ સહિતની સેવાકીય કામગીરીનો પરિચય કરાવ્‍યો હતો. ટ્રસ્‍ટના પ્રમુખ શ્રી મણીભાઈ પટેલે નવયુગલોને આશીર્વાદ આપવા સાથે કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહેલા તમામ અગ્રણી અને દાતાઓનો દિલથી આભાર વ્‍યક્‍ત કર્યો હતો.

Related posts

પારડી મામલતદાર અને પોલીસનું સરપ્રાઈઝ ચેકીંગ: સ્‍કૂલ નજીક ગુટખા વેચતા છ જેટલા દુકાનદારો દંડાયા

vartmanpravah

કોવિડ-19ના ચુસ્‍ત પાલન સાથે દાનહ જિલ્લા પંચાયત, ગ્રામ પંચાયત અને પ્રાથમિક શાળાઓમાં ‘મુક્‍તિ દિવસ’ તથા ‘સ્‍વતંત્રતા દિન’ની થનારી ઉજવણી

vartmanpravah

ચીખલીમાં વૈકલ્‍પિક એસ.ટી. બસ સ્‍ટેન્‍ડમાં અપૂરતી જગ્‍યા અને સલામતીની વ્‍યવસ્‍થાના અભાવ વચ્‍ચે મુસાફરોની ભીડમાં વધી રહેલી ચોરીની ઘટનાઓ

vartmanpravah

પતિ પત્‍ની વચ્‍ચેના સામાન્‍ય ઝઘડામાં સામરપાળાના 50 વર્ષીય આધેડે ઘર છોડ્‍યું : દસ દિવસ પછી પણ પિતા મળી ન આવતા પુત્રએ નોંધાવી ગુમ થયાની ફરિયાદ

vartmanpravah

વલસાડ અબ્રામામાં કોફી કલ્‍ચર કાફેમાં ગ્રાહકના ફૂડ સિઝલરમાંથી વંદો નિકળ્‍યાનો ગ્રાહકે દાવો કર્યો

vartmanpravah

આજે ‘વર્તમાન પ્રવાહ’ના સેલવાસ કાર્યાલયનો આરંભ સ્‍વામિનારાયણના સંત પ.પૂ. ચિન્‍મયસ્‍વામીજીના પગરણથી કરાશે

vartmanpravah

Leave a Comment