July 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ઉમરગામ શિવ શક્‍તિ સહયોગ સેવાશ્રમ ચેરીટેબલ ટ્રસ્‍ટે 22 અસહાય દીકરીઓનું કરેલું કન્‍યાદાન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.28: ઉમરગામ શિવ શક્‍તિ સહયોગ સેવાશ્રમ ચેરીટેબલ ટ્રસ્‍ટના પ્રમુખ શ્રી મણીભાઈ પટેલ અને એમના સભ્‍યો દ્વારા સમુહ લગ્નનું આયોજન કરી 22 જેટલી અસહાય દીકરીઓનું કન્‍યાદાન કરી ઉમદા કાર્યોનું દ્રષ્ટાંત રજૂ કર્યું છે. આ કાર્યક્રમમાં મુખ્‍ય મહેમાન તરીકે કારૂલકર પ્રતિષ્ઠાના ઉપાધ્‍યક્ષ શ્રીમતી શીતલબેન કારૂલકર મુંબઈથી વધારે ખાસ ઉપસ્‍થિત રહ્યા હતા. સમૂહ લગ્નમાં દાતાઓ દ્વારા તમામ દીકરીઓને ઘરવખરી સાથે કરીયાવર આપવામાં ઉત્‍સાહ બતાવ્‍યો હતો.
આ પ્રસંગે શાષાી શ્રી ચંદુભાઈ શુકલ દ્વારા સંસ્‍થાનો પરિચય કરાવી તેમજ સંસ્‍થા દ્વારા 27 જેટલા અસહાય બાળકોને દત્તક લઈ આપવામાં આવી રહેલું શિક્ષણ સહિતની સેવાકીય કામગીરીનો પરિચય કરાવ્‍યો હતો. ટ્રસ્‍ટના પ્રમુખ શ્રી મણીભાઈ પટેલે નવયુગલોને આશીર્વાદ આપવા સાથે કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહેલા તમામ અગ્રણી અને દાતાઓનો દિલથી આભાર વ્‍યક્‍ત કર્યો હતો.

Related posts

ધરમપુરમાં દિવ્‍યાંગ બાળકોને જિલ્લા પોલીસ અધિક્ષક ડો.કરણરાજ વાઘેલાના હસ્‍તે કીટ વિતરણ કરાઈ

vartmanpravah

દાનહમાં ટોરેન્‍ટ પાવર સામે ભભૂકતો રોષઃ જવાબદારો સામે આકરા પગલાં ભરવા ઠેર ઠેરથી માંગ

vartmanpravah

વલસાડ સરકારી ઈજનેરી કોલેજના પ્રાધ્‍યાપક ટ્રાયેથલોન સ્‍પર્ધામાં વિજેતા

vartmanpravah

વાપી ઈમરાન નગરમાં મોપેડ ઉપરથી 50 હજારની સિગારેટ ભરેલ થેલો ચોરી જનારા બે ઝડપાયા

vartmanpravah

વાપી કેબીએસ એન્‍ડ નટરાજ કોલેજના એનએસએસના વિદ્યાર્થીઓએ ઉદવાડા દરિયા કિનારે સ્‍વચ્‍છતા અભિયાન કર્યુ

vartmanpravah

વાપી કેબીએસ કોલેજ એન.એન.એસ.ના વિદ્યાર્થીઓ ઝળકયા

vartmanpravah

Leave a Comment