September 19, 2026
Vartman Pravah
Breaking Newsસેલવાસ

દાનહમાં 08 કોરોના પોઝિટિવ કેસો નોંધાયા : કોરોનાના કેસોમાં વધારો થતા આરોગ્‍ય વિભાગ અને પ્રશાસનની ટીમ સતર્ક

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.06
દાદરા નગર હવેલીમાં નવા 08કોરોના પોઝીટીવ કેસોનોંધાયા છે. પ્રદેશમાં હાલમા 18 સક્રિય કેસ છે, અત્‍યાર સુધીમા 5921 કેસ રીકવર થઈ ચૂકયા છે, ત્રણ વ્‍યક્‍તિના મોત થયેલ છે. પ્રદેશમા આરટીપીસીઆરના 749 નમૂનાઓ લેવામા આવ્‍યા હતા. જેમાંથી 08 વ્‍યક્‍તિનો કોરોના પોઝીટીવ રિપોર્ટ આવ્‍યા હતો અને રેપિડ એન્‍ટિજન 123 નમૂના લેવામા આવ્‍યા હતા. જેમાંથી એકપણ રિપોર્ટ પોઝિટિવ આવ્‍યો નથી. પ્રદેશમાં હાલમાં 08કન્‍ટાઈમેન્‍ટ ઝોન નક્કી કરાયા છે. જેમાં 01 દર્દી રીકવર થતા એને રજા આપવામા આવી છે.
દાનહ આરોગ્‍ય વિભાગ દ્વારા પીએચસી-સીએચસી સેન્‍ટર પર અને સબ સેન્‍ટરમાં કોવીશીલ્‍ડ વેક્‍સીનનુ ટીકાકરણ કરવામા આવ્‍યુ હતુ. જેમા આજે 4991 લોકોને વેક્‍સીન આપવામા આવ્‍યા છે. પ્રદેશમાં પ્રથમ ડોઝ 426826 અને બીજો ડોઝ 292124 વ્‍યક્‍તિઓને આપવામા આવ્‍યો છે કુલ 718950લોકોને વેક્‍સીન આપવામા આવી છે.
પ્રદેશમાં કેટલાક દિવસથી કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે જેને ધ્‍યાનમાં લઇ આરોગ્‍ય તંત્ર પણ સતર્ક થઇ ગયુ છે અને દાનહ કલેકટર ડો.રાકેશ મિન્‍હાસે પ્રદેશના લોકોને સંદેશ આપ્‍યો હતો કે, હાલમાં કોવીડ-19ના કેસોમાં વધારો થઇ રહ્યો છે એને ધ્‍યાનમાં રાખી પ્રશાસનના શિક્ષણ વિભાગ દ્વારા પણ જાહેર કરવામા આવ્‍યુ છે કે હાલમાં ધોરણ કેજીથી લઇ આઠસુધીના વિદ્યાર્થીઓ માટે જ્‍યા સુધી નવો આદેશ ન આવે ત્‍યાં સુધી ઓફલાઈન શિક્ષણ બંધ કરવામા આવે છે.
આજુબાજુના રાજ્‍યમાં પણ કોવીડના કેસોમાં વધારો થઈ રહ્યો છે જેથી પ્રદેશના પ્રવેશદ્વાર પર જે કોઈ પાસે વેકસીનના બે ડોઝ લીધા હોય તેઓને પ્રવેશ આપવામા આવશે. માસ્‍ક નહી પહેરેલ હોય તો સો રૂપિયા, સામાજીક દુરીનો ઉલ્લંઘન કરનારને પહેલીવાર 500 રૂપિયા અને બીજીવાર એક હજાર રૂપિયાનો દંડ કરવામા આવશે. એની સાથે સાર્વજનિક જગ્‍યા પર થુંકનાર સામે પણ દંડ કરવામા આવશે. કોરોનાની લડાઇમાં જે રીતે અગાઉ પ્રદેશની જનતાએ સહયોગ આપ્‍યો હતો. તેવી જ રીતે હાલની પરિસ્‍થિતિમાં પણ સહયોગ મળશે એવી અપીલ કરવામા આવી છે.

Related posts

હોળી ધૂળેટીના પર્વમાં માઁ વિશ્વંભરી તીર્થયાત્રા ધામે દર્શનાર્થીઓની ભીડ ઉમટી

vartmanpravah

વલસાડ રોજગાર કચેરી દ્વારા પારડી કોલેજમાં ભરતી મેળો યોજાયોઃ 412 ઉમેદવારોની પસંદગી કરાઈ

vartmanpravah

વાપી સલવાવ ખાતે સેલ્‍યુટ તિરંગા દ્વારા સેલ્‍ફ ડિફેન્‍સ કાર્યક્રમ લોન્‍ચિંગ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક તરીકે એસ.પી.અગ્રવાલના આગમન સાથે જ દમણ-દીવ અને દાનહના ઘણાં નેતાઓ, ઉદ્યોગપતિઓ અને દલાલોના દિવસો સુધરી ગયા હતા

vartmanpravah

કુકેરી ગામે અજાણ્‍યા વાહન ચાલકે અડફેટે લેતા મોટર સાયકલ ચાલક નિવૃત શિક્ષકનું મોત

vartmanpravah

જયેષ્ઠ નાગરિક (પેન્શન) મંડળની 5 જૂને સભા યોજાશે

vartmanpravah

Leave a Comment