લાંબા સમયથી એકજ વિભાગમાં પડેલા-પાથરેલા પૈકીના કેટલાક પોતાની યોગ્ય ગોઠવણ કરવા પણ રહેલા સફળ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.18
સંઘપ્રદેશ પ્રશાસને દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં કાર્યરત 148 એલડીસી અને યુડીસીની સાગમટે બદલીનો આદેશ જારી કરતા કહી ગમ કહી ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. કેટલાક એલડીસી અને યુડીસી કર્મચારીઓ લાંબા સમયથી એકજ વિભાગમાં પડેલા-પાથરેલા હતા તે પૈકીના કેટલાક પોતાની યોગ્ય ગોઠવણ કરવા પણ સફળ રહ્યા છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે સંઘપ્રદેશ પ્રશાસને 148 જેટલા એલડીસી અને યુડીસીની કરેલી બદલીમાં 13 જેટલા કર્મીઓની આંતર જિલ્લા બદલી કરવામાં આવી છે. વર્ષની શરૂઆતમાં કરવામાં આવેલ આંતર જિલ્લા બદલીમાં જેમના સંતાનો 10મી કે 1રમીની બોર્ડની પરિક્ષા આપી રહ્યા હશે, તેમના માટે ચિંતાનો વિષય બની શકે છે. આ બદલીથી પ્રશાસનના વહીવટમાં વધુ ગતિશીલતા આવશે એવું આકલન વ્યક્ત થઈ રહ્યું છે.