(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.27: ચીખલી માર્ગ મકાન પેટા વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર દ્વારા માર્ચ 2024 માં ચીખલી-ખેરગામ રોડ ઉપર સોલધરા ગામે રિસર્વે બ્લોક નંબર 724/1 (જૂનો 1087) માં સોમનાથ રેસિડેન્સીના નામે બાંધકામ કરનારાઓ તથા તલાટી કમ મંત્રીને પાઠવેલ નોટિસમાં જણાવ્યાનુસાર ઉપરોક્ત બ્લોક નંબરમાં બાંધકામ નિયંત્રણ રેખા 24.00 મીટર પર રહેણાંક અને વાણિજ્ય મકાનનું બાંધકામ કરવાનું જણાવેલ હતું. પરંતુ સ્થળ મુલાકાત લેતા સોમનાથ રેસિડેન્સીના નામે ચાલતા બાંધકામમાં રસ્તાના મધ્યબિંદુથી પ્લોટ એ માં 22-મીટર દૂર તથા પ્લોટ-બી માં 20-મીટર દૂર બાંધકામકરવાનું ધ્યાન પર આવેલ છે. જે મહેસુલ વિભાગના ઠરાવ મુજબ યોગ્ય નથી. જેથી સદર બાંધકામ તાત્કાલિક દૂર કરવા જણાવેલ છે.
વધુમાં માર્ગ મકાન તથા નગર નિયોજકના નવસારીના અભિપ્રાયની શરતોના મુદ્દા નં-6 અને 14-નો અમલ થયેલ નથી. જે યોગ્ય નથી તથા અનુસંધાને ત્રણથી નવસારીના સરનામે તપાએ કરતા આ નામની વ્યક્તિ ન મળતા પરત ટપાલ આવેલ છે.
આમ માર્ગ મકાન દ્વારા કથિત ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા નોટીસ આપ્યા બાદ કોઈ નક્કર કાર્યવાહી ન કરાતા માત્ર નોટીસ આપીને જ સંતોષ માનવામાં આવ્યો હોય તેમ લાગી રહ્યું છે.