April 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલીના સોલધરાની સોમનાથ રેસીડેન્‍સીમાં કરાયેલ ગેરકાયદે બાંધકામને હટાવવા માર્ગ મકાન વિભાગ દ્વારા નોટીસ આપવા છતાં કોઈ કાર્યવાહી નહીં!

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.27: ચીખલી માર્ગ મકાન પેટા વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર દ્વારા માર્ચ 2024 માં ચીખલી-ખેરગામ રોડ ઉપર સોલધરા ગામે રિસર્વે બ્‍લોક નંબર 724/1 (જૂનો 1087) માં સોમનાથ રેસિડેન્‍સીના નામે બાંધકામ કરનારાઓ તથા તલાટી કમ મંત્રીને પાઠવેલ નોટિસમાં જણાવ્‍યાનુસાર ઉપરોક્‍ત બ્‍લોક નંબરમાં બાંધકામ નિયંત્રણ રેખા 24.00 મીટર પર રહેણાંક અને વાણિજ્‍ય મકાનનું બાંધકામ કરવાનું જણાવેલ હતું. પરંતુ સ્‍થળ મુલાકાત લેતા સોમનાથ રેસિડેન્‍સીના નામે ચાલતા બાંધકામમાં રસ્‍તાના મધ્‍યબિંદુથી પ્‍લોટ એ માં 22-મીટર દૂર તથા પ્‍લોટ-બી માં 20-મીટર દૂર બાંધકામકરવાનું ધ્‍યાન પર આવેલ છે. જે મહેસુલ વિભાગના ઠરાવ મુજબ યોગ્‍ય નથી. જેથી સદર બાંધકામ તાત્‍કાલિક દૂર કરવા જણાવેલ છે.
વધુમાં માર્ગ મકાન તથા નગર નિયોજકના નવસારીના અભિપ્રાયની શરતોના મુદ્દા નં-6 અને 14-નો અમલ થયેલ નથી. જે યોગ્‍ય નથી તથા અનુસંધાને ત્રણથી નવસારીના સરનામે તપાએ કરતા આ નામની વ્‍યક્‍તિ ન મળતા પરત ટપાલ આવેલ છે.
આમ માર્ગ મકાન દ્વારા કથિત ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા નોટીસ આપ્‍યા બાદ કોઈ નક્કર કાર્યવાહી ન કરાતા માત્ર નોટીસ આપીને જ સંતોષ માનવામાં આવ્‍યો હોય તેમ લાગી રહ્યું છે.

ટીડીઓને આકારણી રદ્‌ કરવા અરજી આપી પરંતુ કોઈ તપાસ હાથ ન ધરીઃ કોંગ્રેસ પ્રમુખ
તાલુકા કોંગ્રેસ પ્રમુખ ઈશ્વરભાઇના જણાવ્‍યાનુસાર સોલધરામાં સોમનાથ રેસિડેન્‍સીમાં માર્ગ મકાન દ્વારા મધ્‍યબિંદુ થી 24-મીટર નિયંત્રણ રેખા હોવાનું પ્રમાણપત્ર આપેલ તે ખોટું છે. હકીકતમાં 40-મીટર છે. જેનું અમે સ્‍પષ્ટતીકરણ માંગ્‍યું છે. આ ઉપરાંત બીજા મહિનામાં ટીડીઓને પણ આ સોમનાથ રેસિડેન્‍સીની આકારણી રદ કરવા માટે લેખિત રજૂઆત કરવામાં આવેલ છે. પરંતુ કોઈ કાર્યવાહી થયેલ નથી. કાર્યવાહી ન કરાશે તો હવે ડીડીઓ, વિકાસ કમિશનરમાં રજૂઆત કરી જરૂર પડ્‍યે વડી અદાલતના દ્વારા ખખડાવવામાં આવશે.
દબાણદૂર કરવા અમે સૂચના આપી : કાર્યપાલક ઇજનેર ભારતભાઈ
માર્ગ મકાનના નાયબ કાર્યપાલક ઈજનેર ભરતભાઈના જણાવ્‍યાનુસાર સોલધરા રેસિડેન્‍સીમાં બાંધકામ દૂર કરવા નોટિસ પહેલા પણ એ લોકોને બોલાવી દબાણ દૂર કરવા સૂચના આપેલ છે.

Related posts

શ્રાવણ માસમાં માઁ વિશ્વંભરી તીર્થયાત્રા ધામે દર્શનાર્થીઓની ભીડ ઉમટી

vartmanpravah

દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં વીજ દરના વધારા-ઘટાડાના સંદર્ભમાં જેઈઆરસીની જન સુનાવણી 

vartmanpravah

વલસાડ વિભાગ એસટી કર્મચારી મંડળની સમાન્‍યસભા આંબેડકર હોલમાં યોજાઈ

vartmanpravah

દમણઃ સરકારી ઉચ્‍ચ પ્રાથમિક શાળા રીંગણવાડા-અંગ્રેજી માધ્‍યમના શિક્ષિકાઓ રંજનબેન સી. પટેલ અને રેખાબેન આર. પટેલે લીધી સ્‍વૈચ્‍છિક નિવૃત્તિ

vartmanpravah

11મી જૂને દીવમાં કેન્‍દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના અધ્‍યક્ષ પદે મળનારી વેર્સ્‍ટન ઝોનલ કાઉન્‍સિલની બેઠક

vartmanpravah

ખેરગામમાં વાંસદાના કોંગ્રેસના ધારાસભ્‍ય અને આદિવાસી નેતા ઉપર હુમલાના વિરોધમાં

vartmanpravah

Leave a Comment