સેન્ટ્રલમાં જે પાર્ટી દમણ અને દીવના હિતની રક્ષા કરવા સક્ષમ હશે તેને સપોર્ટ આપવા દમણ-દીવના નવનિર્વાચિત સાંસદનો કોલ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દીવ, તા.05: દમણ અને દીવ લોકસભાની બેઠકમાં અપક્ષ વિજેતા બનેલા નવનિર્વાચિત સાંસદ શ્રી ઉમેશભાઈ પટેલે આજે દીવમાં પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, ‘‘મને મોદી કે રાહુલ સાથેકોઈ પ્રોબ્લેમ કે વેર નથી, પરંતુ પ્રદેશમાં ચાલી રહેલી તાનાશાહી સરમુખત્યારશાહી, ઈજારાશાહી સામે વિરોધ છે. જેઓ ડગલે ને પગલે લોકશાહીની હત્યા કરી હ્યા હતા.”
શ્રી ઉમેશભાઈ પટેલે પત્રકારો સાથે વાતચીત કરતા વધુમાં જણાવ્યું હતું કે, સેન્ટ્રલમાં જેની પણ સરકાર બનશે તેઓ દમણ-દીવના હિતની રક્ષા કરવા સક્ષમ હશે તેમને સપોર્ટ આપવા પોતાની તૈયારી દર્શાવી હતી.
શ્રી ઉમેશભાઈ પટેલે ઉમેર્યું હતું કે, ‘‘હું સત્તા માટે ચૂંટાયો નથી, સત્તા મારા માટે ગૌણ છે.”