Vartman Pravah
Breaking Newsગુજરાતપારડી

વકીલ પર હુમલો કરનારાનો કેશ નહી લેવા પારડી વકીલ મંડળનો ઠરાવ

પોલીસ ધરપકડથી દુર એવા આ ઈસમો વિરુદ્ધ પહેલેથી જ આ પ્રકારનો નિણર્ય અંગે શંકાકુશંકા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) પારડી, તા.19
ગઈકાલે પારડી તાલુકાના મોટાવાઘછીપા ખાતે વ્‍યવસાયે વકીલ અને નોટરી એવા અમિતભાઈ ઠાકોરભાઈ પટેલનાઓ પોતાના તબેલાથી પરત ઘરે ફરી રહ્યા હતા. આ દરમિયાન પારસી ફળિયા ખાતે રસ્‍તા પર પાણી વહી રહ્યું હોય આ બાબતની જાણ તેઓએ લીલાબેનને કરતા બાજુમાં રહેતા ત્રણ જેટલા ઈસમોએ એમને ઢીક્કા મુક્કીનો મારમારી કોઈ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી લોહીલુહાણ કરી ગંભીર ઇજા પહોંચાડી હતી. તેમને સારવાર માટેપારડી હોસ્‍પિટલ ખાતે ખસેડવામાં આવ્‍યા હતા. આ બનાવની જાણ પારડી વકીલ મંડળની થતા મોટી સંખ્‍યામાં વકીલ મિત્રો પારડી પોલીસ સ્‍ટેશન ખાતે જમા થતા હુમલો કરનાર ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવા પામી હતી.
પરંતુ આટલેથી જ વાત ન અટકતા વકીલોની મર્યાદા માન-સન્‍માન અને હોદ્દાને ઠેસ પહોંચે એવું કાર્ય સામેવાળા ત્રણ જેટલા ઈસમોએ કર્યું છે. આ ત્રણેય ઈસમોના જામીનદાર કે એમને છોડાવવા માટે વકીલ તરીકે પારડી તાલુકાના કોઈપણ વકીલે તેમનો કેસ પોતાના પાસે લેવો નહીં, આ અંગેનો એક ઠરાવ પારડી વકીલ મંડળ દ્વારા કરવામાં આવ્‍યો હતો. જો બનાવની ગંભીરતા જોઈ અન્‍ય તાલુકા કે જિલ્લાના વકીલો પણ પારડી વકીલ મંડળના ઠરાવને અનુસરી આ ત્રણેય આરોપી એવા ઈસમોની સાથે ન રહે અને એમને સાથ સહકાર ન આપતા એમનો કેસ ન લડે તો એમનું છૂટવું મુશ્‍કેલ થશે અને અન્‍યો માથાભારે ઈસમો પણ આ બનાવનો સબક લઈ હવેથી વકીલ જેવા પ્રતિષ્ઠિત વ્‍યક્‍તિઓ પર વિના કારણે હુમલો કરતાં સો વાર વિચારશે.પરંતુ અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે જો ખરેખર આ બનાવમાં વકીલ મિત્ર સાચો હોય તો દરેક વકીલ મિત્રોએ એમને સાથ આપવો જોઈએ
પરંતુ દરેક કિસ્‍સામાં એવું હોતું નથી કેટલીય વાર પોતાની ભૂલ હોવા છતાંપોતાનો હોદ્દાનો દુરુપયોગ કરી અને ખોટો બનાવ ઉભો કરી ખોટી રીતે પોતાના વ્‍યવસાયની આડમાં સૌ સાથે મળી જઈ કોઈ નિર્દોષને સજા કરાવવા. જો આ રીતનો ખોટો ઠરાવ કરી લોકોમાં ખોટો હાવ ઉભો કરી છટકી જવાની કોશિશ કરશે, તો સરકાર પણ આ મુદ્દાને ધ્‍યાને લઇ વધુ કાર્યવાહી હાથ ધરશે એમાં કોઈ બેમત નથી.

Related posts

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીએ ‘મન કી બાત’ કાર્યક્રમમાં દીવની ઉપલબ્‍ધિનો ઉલ્લેખ કરાતા સમગ્ર સંઘપ્રદેશ ગદ્‌ગદિત

vartmanpravah

વલસાડ જિલ્લા કોંગ્રેસ દ્વારા પક્ષના 138મા સ્‍થાપના દિનની ઉજવણી કરાઈ

vartmanpravah

ધરમપુર વિસ્‍તારમાં સોમવારે મળસ્‍કે વાંકલમાં ઝાડ સાથે 108 ભટકાઈ : તેમજ વિરવલમાં ટામેટાની ટ્રકે પલટી મારી

vartmanpravah

વાપી ભડકમોરા હનુમાનજી મંદિરમાં નશામાં ધૃત બનેલા બે નેપાળીઓએ કાર ઘૂસાડી : મોટી દુર્ઘટના ટળી

vartmanpravah

સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા ઘણાં વર્ષોથી રેગ્‍યુલર સરકારી નોકરી માટેની ભરતીઓ નહીં કરાતા પ્રદેશના શિક્ષિત બેરોજગારો હતાશ

vartmanpravah

ઉમરગામ પાલિકાની જનતામાં સરકારી જમીન ઉપર અતિક્રમણનો મુદ્દો ચર્ચાના કેન્‍દ્રસ્‍થાને

vartmanpravah

Leave a Comment