April 16, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતપારડી

પારડી-કલસર ગામના સરપંચ મનોજભાઈની સમય સૂચકતા થઈ ફળીભૂત: છેલ્લા કેટલાક સમયથી પશુઓનું મારણ કરતી દિપડી પાંજરે પુરાઈ

આર.એફ.ઓ., ફોરેસ્‍ટ વિભાગ અને વન સંરક્ષણ ટીમને પારડી તાલુકામાં સતત ચોથી સફળતા
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.19
પારડી તાલુકાના કલસર ગામે ડુંગર ફળિયા ખાતે રહેતા રણછોડભાઈ લલ્લુભાઈ પટેલની વાડીમાં તારીખ 18-4-21ના રોજ દીપડાએ વાછરડાનું મારણ કર્યું હોવાની જાણ થતાં તેઓએ આ અંગે કલસરના સરપંચ મનોજભાઈને જાણ કરી હતી. હંમેશા ગામ લોકોનો હિત જોનારા સરપંચ મનોજભાઈએ તાત્‍કાલિક આર.એફ.ઓ અને ફોરેસ્‍ટ વિભાગને જાણ કરી યોગ્‍ય પગલાં લઈ છેલ્લા કેટલાક સમયથી પશુઓ તથા મરઘઓનું મારણ કરી લોકોમાં ભય ઉભો કરનાર દીપડાને પકડી લોકોને રાહત આપવાનું સૂચવ્‍યું હતું.
પારડીના આર.એફ.ઓ શ્રી સમીર કોકણી, ફોરેસ્‍ટ વિભાગના શ્રી ડી.જી.પટેલ, વન રક્ષક શ્રી મયંકભાઈ પટેલ, મયુરી પટેલ, શ્રી કૈલાશભાઈ વિગેરેની ટીમ તાત્‍કાલિક આવી પહોંચી સ્‍થળ તપાસ કરી તેઓને પુષ્ટિ થતાં રાત્રે જ મારણ સાથે પાંજરૂ અને કેમેરા ગોઠવ્‍યા હતા અને પહેલા જ પ્રયાસમાં તેમને સફળતા મળતાં રાત્રે ત્રણ વાગ્‍યે આશરે ત્રણ વર્ષની દીપડીપાંજરે પુરાઈ હતી.
સરપંચ શ્રી મનોજભાઈએ આ અંગેની જાણ ફોરેસ્‍ટ વિભાગને તથા આર.એફ.ઓ.ને કરતાં સમગ્ર ટીમ રાત્રે જ કલસર આવી દીપડીનો કબજો લઇ તેને ખડકી ફોરેસ્‍ટ વિભાગ ખાતે લઈ જવામાં આવી હતી અને વલસાડ ડી.એફ.ઓ.ની સૂચના અનુસાર આ દીપડીને જંગલમાં છોડવામાં આવશે.
છેલ્લા કેટલાક સમયથી પશુઓ તથા મરઘાઓનુ મારણ કરી લોકોમાં ભય ફેલાવનાર દીપડી હાથ આવતા ફોરેસ્‍ટ વિભાગ તથા આર.એફ.ઓ.નો કલસરના સરપંચ શ્રી મનોજભાઈએ આભાર માન્‍યો હતો.

Related posts

જેઈઆરસી દ્વારા સંઘપ્રદેશના ત્રણેય જિલ્લામાં સરેરાશ 15 થી 40 પૈસા જેટલો વીજદરમાં કરાયેલો વધારો

vartmanpravah

સંઘપ્રદેશના દાનહના ગુજરાતી માધ્‍યમના શિક્ષક શ્‍યામ સુંદર રામચંદ ખાનચંદાનીનું મહામહિમ રાષ્‍ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ દ્વારા સન્‍માન

vartmanpravah

વલસાડ જિલ્લામાં ઉમરગામથી નાણા મંત્રી કનુભાઈ દેસાઈએ ‘મિષ્‍ટી પ્રોજેક્‍ટની’ કરાવેલી શરૂઆત

vartmanpravah

આજે સંઘપ્રદેશ તથા વાપી વિસ્‍તારના શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠશે

vartmanpravah

વહીવટદાર કરણજીત વાડોદરિયાના અધ્‍યક્ષસ્‍થાને દમણ-દીવ સ્‍ટેટ કો-ઓપરેટિવ બેંકની શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયેલી 7મી વાર્ષિક સામાન્‍ય સભા

vartmanpravah

શ્રી ભાવભાવેશ્વર મહાયજ્ઞ સમિતિ વાપીના ઉપક્રમે તા.07 થી 13 જાન્‍યુઆરીમાં શ્રી શિવ-શક્‍તિ મહાયજ્ઞ યોજાશે

vartmanpravah

Leave a Comment