July 16, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતપારડી

પારડી-કલસર ગામના સરપંચ મનોજભાઈની સમય સૂચકતા થઈ ફળીભૂત: છેલ્લા કેટલાક સમયથી પશુઓનું મારણ કરતી દિપડી પાંજરે પુરાઈ

આર.એફ.ઓ., ફોરેસ્‍ટ વિભાગ અને વન સંરક્ષણ ટીમને પારડી તાલુકામાં સતત ચોથી સફળતા
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.19
પારડી તાલુકાના કલસર ગામે ડુંગર ફળિયા ખાતે રહેતા રણછોડભાઈ લલ્લુભાઈ પટેલની વાડીમાં તારીખ 18-4-21ના રોજ દીપડાએ વાછરડાનું મારણ કર્યું હોવાની જાણ થતાં તેઓએ આ અંગે કલસરના સરપંચ મનોજભાઈને જાણ કરી હતી. હંમેશા ગામ લોકોનો હિત જોનારા સરપંચ મનોજભાઈએ તાત્‍કાલિક આર.એફ.ઓ અને ફોરેસ્‍ટ વિભાગને જાણ કરી યોગ્‍ય પગલાં લઈ છેલ્લા કેટલાક સમયથી પશુઓ તથા મરઘઓનું મારણ કરી લોકોમાં ભય ઉભો કરનાર દીપડાને પકડી લોકોને રાહત આપવાનું સૂચવ્‍યું હતું.
પારડીના આર.એફ.ઓ શ્રી સમીર કોકણી, ફોરેસ્‍ટ વિભાગના શ્રી ડી.જી.પટેલ, વન રક્ષક શ્રી મયંકભાઈ પટેલ, મયુરી પટેલ, શ્રી કૈલાશભાઈ વિગેરેની ટીમ તાત્‍કાલિક આવી પહોંચી સ્‍થળ તપાસ કરી તેઓને પુષ્ટિ થતાં રાત્રે જ મારણ સાથે પાંજરૂ અને કેમેરા ગોઠવ્‍યા હતા અને પહેલા જ પ્રયાસમાં તેમને સફળતા મળતાં રાત્રે ત્રણ વાગ્‍યે આશરે ત્રણ વર્ષની દીપડીપાંજરે પુરાઈ હતી.
સરપંચ શ્રી મનોજભાઈએ આ અંગેની જાણ ફોરેસ્‍ટ વિભાગને તથા આર.એફ.ઓ.ને કરતાં સમગ્ર ટીમ રાત્રે જ કલસર આવી દીપડીનો કબજો લઇ તેને ખડકી ફોરેસ્‍ટ વિભાગ ખાતે લઈ જવામાં આવી હતી અને વલસાડ ડી.એફ.ઓ.ની સૂચના અનુસાર આ દીપડીને જંગલમાં છોડવામાં આવશે.
છેલ્લા કેટલાક સમયથી પશુઓ તથા મરઘાઓનુ મારણ કરી લોકોમાં ભય ફેલાવનાર દીપડી હાથ આવતા ફોરેસ્‍ટ વિભાગ તથા આર.એફ.ઓ.નો કલસરના સરપંચ શ્રી મનોજભાઈએ આભાર માન્‍યો હતો.

Related posts

પારડી ખાતે સ્‍વાધ્‍યાય મંડળ સંચાલિત શ્રી બ્રહ્મર્ષિ સાતવળેકર સંસ્‍કૃત મહાવિદ્યાલયમાં વીર બાળ દિવસની કરાયેલી ઉજવણી

vartmanpravah

મુંબઈમાં યોજાયેલા કાર્યક્રમમાં વાપીના વિનય વાડીવાલાને ‘છત્રપતિ શિવાજી મહારાજ ગૌરવ’ એવોર્ડ એનાયત કરાયો

vartmanpravah

દાનહ પાવરગ્રીડ કોર્પોરેશન દ્વારા રાજ્‍ય લેવલ ચિત્રકલા સ્‍પર્ધાનું આયોજન કરાયું

vartmanpravah

દીવ જિલ્લામાં આજથી કોરોના ગાઈડ લાઈન સાથે ફરીથી ધો.1 થી 8ની શાળાઓ અને આંગણવાડીનો થયો પ્રારંભ

vartmanpravah

દાનહ જિ.પં.ના નવનિયુક્‍ત પ્રમુખ દામજીભાઈ કુરાડા અને મુખ્‍ય કાર્યકારી અધિકારી ડો. અપૂર્વ શર્માએ સુરંગીમાં 2M3 ક્ષમતાના બાયોગેસ પ્‍લાન્‍ટનું કરેલું ખાતમુહૂર્ત

vartmanpravah

ધરમપુરની ખારવેલ પ્રાથમિક શાળામાં તા.11-12 ઓક્‍ટો.એ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાશે

vartmanpravah

Leave a Comment