Vartman Pravah
Breaking Newsદેશસેલવાસ

કેન્‍દ્રીય આવાસ અને શહેરી વિભાગ મંત્રાલયે સ્‍ટ્રીટ્‍સ ફોર પીપલ ચેલેંજમાં સેલવાસ સ્‍માર્ટસીટીને જુરી સ્‍પેશલ મેંશન સિટીના રૂપે આપી માન્‍યતા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.19
કેન્‍દ્રીય આવાસ અને શહેરી વિભાગ મંત્રાલયે સ્‍માર્ટસીટી મિશન અંતર્ગત 11મી નવેમ્‍બર, 2020 ધ સ્‍ટ્રીટ્‍સ ફોર પીપલ ચેલેન્‍જની પહેલ કરી હતી. જેના અંતર્ગત વિજેતા શહેરોની ઘોષણા કરવામા આવી છે. જેમા સેલવાસ સ્‍માર્ટસીટીને જુરી સ્‍પેશિયલ મેંશન સિટીના રૂપે માન્‍યતા આપી છે. સ્‍માર્ટસીટીના સીઈઓ ચાર્મી પારેખ દ્વારા અખબારી યાદીમાં જણાવ્‍યું હતુ કે, સ્‍માર્ટસીટી મિશન દ્વારા લોકો માટે સ્‍ટ્રીટ્‍સ ફોર પીપલ ચેલેન્‍જની શરૂઆત કરવામાં આવી છે.
જેનો ઉદેશ્‍ય રસ્‍તા પર પગપાળા ચાલતા દરેક માટે સુલભ સુરક્ષિત અને સમાવેશી બનાવવાનું હતું. સમાજના દરેક વર્ગો માટે સાર્વજનિક સ્‍થળો પર ચાલવા માટેસુશોભિત કરવાની હતી. સ્‍માર્ટસીટી વિશેષજ્ઞના સહયોગથી બાલભવન રોડ પર પગપાળા ચાલનારા લોકો માટે અનુકૂળ રસ્‍તો તૈયાર કર્યો છે જેમા વાંસની ટોકરી, કપડાંની જાળી જેવી સામગ્રીનો ઉપયોગ કરવામા આવેલ, મહિલાઓની સુરક્ષા પર ધ્‍યાન કેન્‍દ્રિત કરતા રચનાત્‍મક સ્‍ટ્રીટ લાઈટીંગ પણ વિશેષ રૂપે અંધારાવાળા વિસ્‍તારમા સ્‍થાપિત કરવામા આવી હતી.
કેટલીક ગતિવિધિઓનું પણ આયોજન કરવામા આવ્‍યું હતું. જેમા સ્‍થાનિક લોકોએ પણ ઉત્‍સાહભેર ભાગીદારી જોવા મળી હતી. આ ચેલેંજમા દરેક 113 શહેરોનું રજીસ્‍ટ્રેશન કરવામા આવ્‍યું હતું. જેમા સ્‍ટ્રીટ્‍સ ફોર પીપલ ચેલેન્‍જ પુરસ્‍કારની ઘોષણા કરવામા આવી છે જેના અંતર્ગત સેલવાસ, ઇમ્‍ફાલ, કરનાલા અને વડોદરાને જુરી સ્‍પેશલ મેંશનના રૂપે માન્‍યતા આપવામા આવી છે.
કાર્યક્રમની અધ્‍યક્ષતા એમઓએચયુએના સચિવ શ્રી મનોજ જોશીએ કરી હતી, પ્રતિભાગિતાઓમા ભાગીદાર સંગઠનોના વૈશ્વિક અને ભારતીય અધિકારીઓ સામેલ હતા. જેઓએ સંચાલન કર્યું હતં.ુ વિજેતા શહેરોના પ્રતિનિધિ કેન્‍દ્ર અને રાજ્‍ય સરકારોના અધિકારી, જેમા 100 સ્‍માર્ટ સિટીના સીઈઓ ઉપસ્‍થિત હતા.

Related posts

ધરમપુરમાં ‘યુવા શક્‍તિ સંગઠન ભવાડા’ દ્વારા યોજાયેલ પ્રથમ રક્‍તદાન શિબિર યોજાઈમાં 35 યુનિટ રક્‍ત એકત્ર કરાયું

vartmanpravah

વલસાડનો સખી મેળો સખી મંડળના 50 સ્‍ટોલોમાં 7 દિવસમાં રૂા. 7 લાખનું વેચાણ થયું: સપ્તાહ દરમિયાન કુલ 11180 લોકોએ વંદે ગુજરાત પ્રદર્શનને પણ મનભરીને નિહાળ્‍યું

vartmanpravah

સેલવાસ પાલિકા દ્વારા લાયસન્‍સ વિના ધંધો કરતા વેપારીઓને હટાવાયા

vartmanpravah

વાપી-કરવડ નહેરમાં મળી આવેલ માથા વગરની કિશોરની લાશનો પોલીસને સુરાગ મળ્‍યો

vartmanpravah

દાદરા ગામે જૈન દેરાસરના 51મા ધ્‍વજારોહણ નિમિત્તે પાંચ દિવસીય અતિ ભવ્‍ય મહોત્‍સવ યોજાયો

vartmanpravah

સંતની સાચવણી માટે સંસ્‍કાર, સત્‍સંગ અને શિવ ભક્‍તિની જરૂરિયાત : મેહુલભાઈ જાની

vartmanpravah

Leave a Comment