March 3, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

લોકસભાની 2004ની ચૂંટણીમાં દાનહ બેઠકના ભાજપના ઉમેદવાર (સ્‍વ.) અનિલભાઈ પટેલના પ્રચાર માટે આવ્‍યા હતા નરેન્‍દ્રભાઈ મોદી

સેલવાસ મુલાકાતની સ્‍મૃતિઓ વાગોળતા દાનહ ભાજપના તે સમયના અડીખમ કાર્યકર્તા જીતેન્‍દ્રસિંહ દોડિયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.24: શ્રી નરેન્‍દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્‍યમંત્રી હતા ત્‍યારે 2004ના વર્ષમાં લોકસભા ચૂંટણી માટે સેલવાસ આવ્‍યા હતા. તે વખતે દાદરા નગર હવેલી લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર શ્રી(સ્‍વ.)અનિલભાઈ પટેલના પ્રચાર અને વ્‍યવસ્‍થાનીજવાબદારી દાનહ ભાજપના સ્‍થાપક પૈકીના એક એવા શ્રી જીતેન્‍દ્રસિંહ દોડિયા સંભાળતા હતા અને તેમને હાલના પ્રધાનમંત્રી અને તે સમયના ગુજરાતના મુખ્‍યમંત્રીશ્રી નરેન્‍દ્રભાઈ મોદીની બાજુમાં બેસવાનું સૌભાગ્‍ય પણ પ્રાપ્ત થયું હતું.
સેલવાસની ગોગ બિલ્‍ડીંગની સામે યોજાયેલ ભાજપના તે સમયના ઉમેદવાર શ્રી અનિલભાઈ પટેલના સમર્થનમાં સુરતના તત્‍કાલિન સાંસદ શ્રીમતી દર્શનાબેન જરદોશ પણ ઉપસ્‍થિત રહ્યા હતા. આજે પ્રધાનમંત્રીશ્રીની મુલાકાત સમયે તે સમયના ભાજપના અડીખમ કાર્યકર અને નેતા શ્રી જીતેન્‍દ્રસિંહ દોડિયાએ પોતાની સ્‍મૃતિ તાજી કરી હતી.

Related posts

બેંકના વહીવટદાર અને સંઘપ્રદેશના સંયુક્‍ત નાણાં સચિવ કરણજીત સિંહ વાડોદરિયાની ઉપસ્‍થિતિમાં દમણ-દીવ સ્‍ટેટ કો-ઓપરેટિવ બેંકના વયમર્યાદાના કારણે સેવા નિવૃત્ત થયેલા બે બ્રાન્‍ચ મેનેજરોને આપવામાં આવેલું નિવૃત્તિ વિદાયમાન

vartmanpravah

દાનહમાં 01 કોરોના પોઝિટિવ કેસ નોંધાયો

vartmanpravah

વલસાડ જિલ્લામાં CET અને જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ

vartmanpravah

ખેરગામના કાકડવેરી ખાતે સાકાર વાંચન કુટિરનું પૂર્વ કેબિનેટ મંત્રીના હસ્‍તે કરવામાં આવેલું લોકાર્પણ

vartmanpravah

દાનહના રુદાના પંચાયતમાં આનંદ મેળો યોજાયો

vartmanpravah

જિલ્લા અને સત્ર ન્‍યાયાલયે સંભળાવેલો ચુકાદો : લક્ષદ્વીપના સાંસદ મોહમ્‍મદ ફૈઝલ સહિત 4ને હત્‍યાના પ્રયાસના ગુનામાં 10 વર્ષની સજાઃ પ્રત્‍યેકને રૂા.1-1 લાખનો દંડ

vartmanpravah

Leave a Comment