April 17, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

લોકસભાની 2004ની ચૂંટણીમાં દાનહ બેઠકના ભાજપના ઉમેદવાર (સ્‍વ.) અનિલભાઈ પટેલના પ્રચાર માટે આવ્‍યા હતા નરેન્‍દ્રભાઈ મોદી

સેલવાસ મુલાકાતની સ્‍મૃતિઓ વાગોળતા દાનહ ભાજપના તે સમયના અડીખમ કાર્યકર્તા જીતેન્‍દ્રસિંહ દોડિયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.24: શ્રી નરેન્‍દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્‍યમંત્રી હતા ત્‍યારે 2004ના વર્ષમાં લોકસભા ચૂંટણી માટે સેલવાસ આવ્‍યા હતા. તે વખતે દાદરા નગર હવેલી લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર શ્રી(સ્‍વ.)અનિલભાઈ પટેલના પ્રચાર અને વ્‍યવસ્‍થાનીજવાબદારી દાનહ ભાજપના સ્‍થાપક પૈકીના એક એવા શ્રી જીતેન્‍દ્રસિંહ દોડિયા સંભાળતા હતા અને તેમને હાલના પ્રધાનમંત્રી અને તે સમયના ગુજરાતના મુખ્‍યમંત્રીશ્રી નરેન્‍દ્રભાઈ મોદીની બાજુમાં બેસવાનું સૌભાગ્‍ય પણ પ્રાપ્ત થયું હતું.
સેલવાસની ગોગ બિલ્‍ડીંગની સામે યોજાયેલ ભાજપના તે સમયના ઉમેદવાર શ્રી અનિલભાઈ પટેલના સમર્થનમાં સુરતના તત્‍કાલિન સાંસદ શ્રીમતી દર્શનાબેન જરદોશ પણ ઉપસ્‍થિત રહ્યા હતા. આજે પ્રધાનમંત્રીશ્રીની મુલાકાત સમયે તે સમયના ભાજપના અડીખમ કાર્યકર અને નેતા શ્રી જીતેન્‍દ્રસિંહ દોડિયાએ પોતાની સ્‍મૃતિ તાજી કરી હતી.

Related posts

વાપી સલવાવ હાઈવે ઓવરબ્રિજ પાસે લક્‍ઝરી બસમાં દારૂના જથ્‍થા સાથે એક ઝડપાયો

vartmanpravah

વલસાડ-લીલાપોર અને સરોધી વચ્‍ચેનું ફાટક 31 ઓગસ્‍ટ સુધી બંધ કરી દેવાતા હોબાળો

vartmanpravah

દમણ જિ.પં. : પ્રથમ અઢી વર્ષનો કાર્યકાળ ‘પુરુષ’ માટે અનામત હોવાથી મહિલા સભ્‍યો મોહભંગ

vartmanpravah

સેલવાસના ડોકમરડી વિસ્‍તારમાં રિદ્ધિ સિદ્ધિ સિન્‍થેટીક્‍સ કંપનીમાં મોડી રાત્રે આગ લાગતા મચેલી દોડધામ

vartmanpravah

સંઘપ્રદેશ પ્રશાસનનો માનવીય અને સંવેદનશીલ અભિગમ સેલવાસ વિભાગની વિવિધ હાયર સેકન્‍ડરી સ્‍કૂલોમાં રેવન્‍યુ શિબિર યોજાઈઃ કુલ 587 આવેદકોને જારી કરાયા આવકના  દાખલા

vartmanpravah

વાપીના હરિયા પાર્ક ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા ડુંગરાના અંબામાતા મંદિરમાં હનુમાનજી, શિવપરિવાર, ગણેશજીની મૂર્તિઓનું શાષાોક્‍ત વિધિ-વિધાન સાથે કરવામાં આવેલી સ્‍થાપના

vartmanpravah

Leave a Comment