મુંબઈ તરફથી આવતા માલવાહક ટ્રક, કન્ટેનર,ટ્રેલરો મહારાષ્ટ્રની સીમા તલાસરી, સુત્રકાર, વેલુગામ થઈ દાનહની સીમામાં હવે અવાગમન કરી શકશે
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.21
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ ભારતીય જનતા પાર્ટીએ દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી, સડક અને પરિવહન મંત્રી શ્રી નિતિન ગડકરી અને દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલનો આભાર માની અભિનંદન પાઠવ્યા હતા.
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ માટે ખુશીની વાત છે કે, સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના અથાક પ્રયાસોથી છેલ્લા ઘણા વર્ષોથી વિલંબમાં પડેલા કાર્યો પૂર્ણ થવા જઈ રહ્યા છે. કેન્દ્રીય સડક અને પરિવહન, રાજમાર્ગ મંત્રી શ્રી નિતિન ગડકરીએ રાષ્ટ્રીય રાજમાર્ગ રખોલી-ખડોલી અને વેલુગામ ફોર લેન સડક બનાવવા માટે 163.06 કરોડ રૂપિયા અને દીવના વિકાસ કાર્ય માટે રૂા.90 કરોડ ફાળવવાથી ટચૂકડા કેન્દ્ર શાસિત પ્રદેશ માટે ઔદ્યોગિક અને પર્યટન ક્ષેત્રે વિકાસના નવા દ્વાર ખુલી રહ્યો છે.
કેન્દ્ર સરકાર પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે 250 કરોડની ફાળવણી કરી જેથી દાદરા નગર હવેલીમાં મુંબઈ તરફથી અને આવનારા માલવાહક ટ્રક, કન્ટેનર, ટ્રેલર અને ઔદ્યોગિક, પર્યટક ક્ષેત્રમાં આવવા-જવા માટે મહારાષ્ટ્રની સીમા તલાસરી, સુત્રકાર, વેલુગામ થઈદાનહની સીમામાં હવે આગમન કરી શકાશે. જેમાં મુંબઈ તરફથી આવનારા રાહદારીઓએ હવે સમયની સાથે ઈંધણની પણ બચત થશે. પ્રદેશમાં વિકાસના નવા અવસર ખુલશે, ભિલાડ-રખોલી થઈ આવનારા ટ્રાફિક સમસ્યા ઓછી થશે.
દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ર014માં લોકસભા ચૂંટણી દરમિયાન જણાવ્યું હતું કે, કેન્દ્ર શાસિત પ્રદેશ સીધુ કેન્દ્રના દાયરામાં આવે છે અને મને પ્રદેશની સીધી સેવા કરવા માટે અવસર મળશે. આ વાતને આગળ વધારતા પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલેના પ્રયાસોથી પ્રદેશનો ચૌમુખી વિકાસ કાર્ય નિરંતર જારી છે.