March 2, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહઃ સામરવરણી પંચાયતમાં ‘‘આદિવાસી જંગલ જનજીવન આંદોલન” દ્વારા સામુહિક વન પરિષદની બેઠક યોજાઈ

જ્‍યારે આદિવાસીઓના વોટ જોઈએ ત્‍યારે તમામ રાજકીય પાર્ટીના નેતા ભેગા થઈ વોટ માંગવા પહોંચી જાય છે, પરંતુ જ્‍યારે આદિવાસીઓના હક અધિકારની વાત આવે ત્‍યારે એ જ નેતાઓ દૂર દૂરસુધી દેખાતા નથીઃ પ્રભુ ટોકિયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.17 : કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલીના સામરવરણી પંચાયત કચેરીના સભાખંડમાં ‘‘આદિવાસી જળ જંગલ જીવન આંદોલન” દ્વારા સામુહિક વન અધિકાર પરિષદ બેઠકનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં દરેક ચૂંટાયેલ જનપ્રતિનિધિ, સામાજીક આગેવાનો અને રાજકીય પક્ષના નેતાઓને આમંત્રિત કરવામાં આવ્‍યા હતા. જેમાંથી દરેક પંચાયતના જનજીવન આંદોલનના મુખ્‍ય સભ્‍યો ઉપસ્‍થિત રહ્યા હતા. જેનો ઉદ્દેશ્‍ય સમગ્ર દેશમાં વન અધિકાર સામુહિક દાવા અધિકાર આપવામાં આવ્‍યા છે, પરંતુ કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી દેશનો એક એવો પ્રદેશ છે કે જ્‍યાં અત્‍યાર સુધીમાં એકપણ સામુહિક દાવા આપવામાં આવ્‍યા નથી. અથવા એના પર વન વિભાગ, પ્રશાસન અથવા ચૂંટાયેલા નેતાઓએ ચર્ચા નથી કરી. આખરે પ્રશાસન અથવા ચૂંટાયેલા જનપ્રતિનિધિ સામુહિક દાવાઓ ઉપર કોઈ ચર્ચા કેમ નથી કરતા?
સમગ્ર દેશમાં વન અધિકાર કાનૂન અંતર્ગત લાખોની સંખ્‍યામાં વન અધિકાર મંજૂર કરવામાં આવ્‍યા છે. દાનહમાં જંગલ જમીન પોતાના નામ પર કરાવી આપવાના માટે ઘણાં નેતાઓએ વાયદો કર્યો છે અને અત્‍યાર સુધીમાં કેટલાક સાંસદ અને નેતા બની ગયા છે, પરંતુ જંગલની જમીન અને સામુહિક દાવા આદિવાસી સમાજનાલોકોને મળ્‍યા નથી. જિલ્લા પંચાયત, સાંસદથી લઈ ગામના દરેક જન પ્રતિનિધિ આદિવાસી હોવા છતાં આદિવાસીઓ પોતાના હક્ક અને અધિકાર માટે ભટકી રહ્યા છે.
સામરવરણી પંચાયત ખાતે યોજાયેલી સામુહિક વન પરિષદની બેઠકમાં આદિવાસી નેતા શ્રી પ્રભુ ટોકીયાએ જણાવ્‍યું હતું કે, જ્‍યારે આદિવાસીઓના વોટ જોઈએ ત્‍યારે ભાજપ સહિત તમામ પાર્ટીના નેતા ભેગા થઈ વોટ માંગવા પહોંચી જાય છે, પરંતુ જ્‍યારે આદિવાસીઓના હક અધિકારની વાત આવે ત્‍યારે એ જ નેતાઓ દૂર દૂર સુધી દેખાતા નથી. આદિવાસીઓનો હક્ક છીનવવાવાળી સરકાર/પ્રશાસન પાસે આશા રાખવી બેકાર, આ પ્રશાસન આદિવાસી વિરોધી છે. તેથી દરેક આદિવાસીઓએ સામુહિક વન અધિકારના માટે એક મંચ પર આવી સામુહિક સંઘર્ષ કરવાની જરૂરત છે.
આ બેઠકમાં જંગલ જીવન આંદોલનના એડવોકેટ શ્રી બ્રાયન, શ્રી મિતેષ તુમડા, શ્રી લક્ષી કુવરા, શ્રી વિનય કુવરા, શ્રી વિપુલ ભુસારા, શ્રી વિજય ટેબરે, શ્રી દિપક મારિયા, શ્રી અજીત સહિત મોટી સંખ્‍યામાં આદિવાસી ભાઈ-બહેનો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

ખોરાક અને ઔષધ નિયમનતંત્ર દ્વારા એપ્રિલમાં ખાદ્ય પદાર્થોના ૩૬ નમૂનાની ચકાસણી

vartmanpravah

સોળસુબા પંચાયતનું બજાર પ્રકરણમાં ગુનો દાખલ

vartmanpravah

સંદર્ભઃ દાદરા નગર હવેલી અને દમણ-દીવના વિદ્યુત વિભાગ/નિગમનું ખાનગીકરણ_ પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના દરેક નિર્ણયમાં દાનહ અને દમણ-દીવનું વિશાળ હિત સંકળાયેલું રહે છે ત્‍યારે…

vartmanpravah

દમણના ભામટી ગામ ખાતે સંત નિરંકારી મંડળનો વિશાળ સત્‍સંગ સમારંભ યોજાયો: વ્‍યાસપીઠ ઉપરથી સુરત ઝોનના ક્ષેત્રિય સંચાલક શૈલેષભાઈ સોલંકીએ આપેલા આશીર્વચન

vartmanpravah

‘સ્‍વચ્‍છ નિર્મળ તટ અભિયાન’ અંતર્ગત દરિયા કિનારા પર સ્‍વચ્‍છતા અભિયાનમાં 6 રાજ્‍યો અને 3 કેન્‍દ્રશાસિત પ્રદેશોમાં સ્‍થિત 10 દરિયાકિનારા વિકસાવાયા છેઃ કેન્‍દ્રીય મંત્રી અશ્વિની કુમાર ચૌબેએ રાજ્‍યસભામાં આપેલી માહિતી

vartmanpravah

વલસાડમાં મહિલાની મુહિમ મારા ગણેશ માટીના ગણેશને મળી રહેલો પ્રતિસાદ

vartmanpravah

Leave a Comment