October 15, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતપારડી

લો..હવે..ઘરફોડ ચોરી બાદ વાહનોનો વારો: પારડી નગર પાલિકાના ત્રણ વાહનોમાંથી બેટરી ચોરાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) પારડી, તા.31
ત્રણેય જેટિંગ મશીનો ઓડિટોરિયમ પાછળ પાર્ક કર્યા હતા. છેલ્લા કેટલાય દિવસો દરમ્‍યાન પારડીમાં એક ધારી ચોરીને લઈ પારડી પોલીસની ખાસ્‍સી એવી બદનામી થઈ હતી. જેને લઈ પોલીસે પણ કડક હાથે સમગ્ર ગામમાં ચેકિંગ હાથ ધરતા છેલ્લા બે દિવસથી ઘરફોડ ચોરી બંધ થતા નગરજનો તથા પોલીસે રાહતનો દમ લીધો હતો પરંતુ ચોરોએ પણ પોતાનો માર્ગ બદલી ઘરફોડ ચોરીના બદલે વાહનોમાંથી સાધાનો ચોરવાનું શરૂ કર્યું છે.
પારડી નગર પાલિકાએ ડ્રેનેજ કામગીરી માટે વસાવેલા GJ 15 G 1497 નંબરનું મોટું જેટિંગ મશીન અને બે નાના GJ15 G 1498 અને GJ 15 G 1499 નંબરના જેટિંગ મશીન પાલિકા કર્મચારીઓએ શનિવારના રોજ ડ્રેનેજ કામગીરીમાં લીધા બાદ નેશનલ હાઇવે ખાતે આવેલા પાલિકાના ભારત રત્‍ન મોરારજી દેસાઈ ઓડિટોરિયમ હોલ પાછળ પાર્ક કર્યા હતા. રવિવારની રજા બાદ સોમવારે પાલિકા કર્મચારી જેટિંગ મશીન લેવા ગયા હતા અને સ્‍ટાર્ટ કરવા જતાં ત્રણેય મશીન સ્‍ટાર્ટ ન થતા તપાસ કરતા ત્રણેય જેટિંગ મશીનમાંથી કોઈ ચોર બેટરી કાઢી ચોરી કરી ગયો હોવાનું પ્રકાશમાં આવ્‍યું હતું. રાત્રી દરમિયાન ઓડિટોરિયમમાં વોચમેન હોવા છતાં પણ ચોરોએ ઓડિટોરિયમના પાછળના ભાગે વાડીમાંથી દીવાલ કૂદી પ્રવેશ કરી આ ત્રણેય વાહનોની બેટરી ચોરી પલાયન થઈ ગયા હતા. ચોરી અંગે નગરપાલિકાના કર્મચારીએ પારડી પોલીસ મથકે ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરી છે.

Related posts

નવસારી જિલ્લામાં કોરોના પોઝિટીવના 211 કેસ નોંધાયા : 1076 ઍકટિવ કેસ

vartmanpravah

ઉમરગામ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશન નામના માલિક કોણ?

vartmanpravah

શ્રી દમણ જિલ્લા કોળી પટેલ સમાજ દ્વારા યોજાનારી ભાગવત કથાઃ વિશ્વ પ્રસિદ્ધ ભાગવતાચાર્ય મેહુલભાઈ જાનીના નિવાસ સ્‍થાને સંપન્ન થયેલી શ્રીફળ વિધિ

vartmanpravah

દાનહ જિલ્લા પંચાયતના ઉપ પ્રમુખ દિપક પ્રધાનનું સસ્‍પેન્‍શન પરત ખેંચાતા સંભાળેલો ફરી અખત્‍યાર

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે જહાજ, બંદરો અને જળમાર્ગના કેન્‍દ્રીય મંત્રી સર્બાનંદ સોનેવાલની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

ગુજરાત પ્રાકૃતિક- વ- સેન્દ્રિ ય કૃષિ વિશ્વવિદ્યાલય આણંદ દ્વારા આયોજીત ઉમરગામ ખાતે પ્રાકૃતિક કૃષિના કૃષિકાર પૂ. ભાસ્કાર સાવેની જન્મતશતાબ્દીદ નિમિત્તે રાજયના નાણાં, ઊર્જા અને પ્રેટોકેમિકલ્સન મંત્રી કનુભાઇ દેસાઇના અધ્યયક્ષસ્થાકને ખેડૂતોની વિચાર ગોષ્ઠિદ યોજાઇ

vartmanpravah

Leave a Comment