March 2, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી તાલુકાનાં તલાવચોરા ગામે કોંગ્રેસની ન્‍યાય યાત્રા મૃતક મિરલભાઈ હળપતિનાં પરિવારને ન્‍યાય અપાવવા લડત ચલાવશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.12: ચીખલીના તલાવચોરા ગામે રવિવારે કોંગ્રેસની ન્‍યાય યાત્રા અંતર્ગત સભા મળી હતી. જેમાં બીલીમોરા ઓવરબ્રિજ ઉપર તોફાની તત્‍વોના હુમલાને કારણે કૂદી પડતા મોતને ભેટેલા ચીખલીતાલુકાના તલાવચોરા મિરલ હળપતિના પરિવારને ન્‍યાય અપાવવાની ખાતરી ધારાસભ્‍ય અનંતભાઈ પટેલ દ્વારા આપવામાં આવી હતી.
ચીખલીના તલાવચોરા ગામે કોંગ્રેસી ધારાસભ્‍ય અનંત પટેલ, જિલ્લા પ્રમુખ શૈલેષ પટેલ, તાલુકા કોંગ્રેસ પ્રમુખ આઈ.સી.પટેલની અધ્‍યક્ષતામાં રવિવારએ બેઠક મળી હતી. જેમાં તલાવચોરા ગામના આદિવાસી સમાજના મિરલ હળપતિના પરિવારને ન્‍યાય અપાવવાની ખાતરી અપાઈ હતી. અગાઉ પણ આદિવાસી સમાજએ કોંગ્રેસ જિલ્લા પ્રમુખ શૈલેષ પટેલ સાથે મળી બીલીમોરા પોલીસ મથકે દેખાવ કરતા આરોપીઓ સામે 304 અને 307 જેવી કલમો ઉમેરવા પડી હતી. તે સાથે પાંચ આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દેવાયા હતા. તેમ છતાં પરિવારને પૂરતો ન્‍યાય મળ્‍યો નથી. જેને કારણે ન્‍યાય યાત્રા અંતર્ગત સભાનું આયોજન કરાયું હતું. જેમાં ગ્રામ પંચાયતના સભ્‍ય પરીમલભાઈ, માજી તાલુકા પંચાયતના સભ્‍ય દિલીપભાઈ અને શુભાષભાઈ, અશોકભાઈ તથા મોટી સંખ્‍યામાં આદિવાસી સમાજજનો ઉપસ્‍થિત રહ્યાં હતા. જેમાં ધારાસભ્‍ય અનંત પટેલએ જણાવ્‍યું હતું કે, મારા આદિવાસી સમાજ સાથે અન્‍યાય થશે તો અનંત પટેલ આદિવાસી સમાજને ન્‍યાય અપાવવા કોઈ પણ હદે જવા તૈયાર છે અને મારા આદિવાસી સમાજને ન્‍યાય અપાવીને જ જંપીશ.

Related posts

દાનહના ધોડિયા સમાજના તેજસ્‍વી વિદ્યાર્થીઓને સાંસદ કલાબેન ડેલકરના હસ્‍તે ‘‘જ્ઞાન ગૌરવ પુરસ્‍કાર”થી સન્‍માનિત કરાયા

vartmanpravah

દાનહની નમો મેડિકલ કોલેજ માટે ડીન સહિત પ્રોફેસરો માટેની ઓર ર1 પોસ્‍ટોને ભારત સરકારે આપેલી મંજૂરી

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની સૂચનાથી દમણના કોળી પટેલ સમાજના હોલમાં તા.22મી ડિસે.એ યોજાનારો રોજગાર મેળો

vartmanpravah

ઓરવાડ નેશનલ હાઇવે પર અજાણ્‍યો વાહન ચાલક આધેડને કચડી ફરાર

vartmanpravah

લોકસભામાં કોંગ્રેસના નેતા દ્વારા રાષ્ટ્રપતિ રાષ્‍ટ્રપતિ વિરુદ્ધ અશોભનીય ભાષાનો ઉપયોગ કરાતા ચીખલીમાં ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શન કરી પૂતળા દહન કરાયું

vartmanpravah

દાનહના દમણગંગા સર્કિટ હાઉસ ખાતે સરકારની યોજના અંતર્ગત એફસીઆઈ દ્વારા કેવી રીતે અને કયાંથી અનાજ લાવી અલગ અલગ રાજ્‍યમાં લોકોને અનાજનું વિતરણ કરવામા આવે તે સંદર્ભે જાણકારી અપાઈ

vartmanpravah

Leave a Comment