October 15, 2025
Vartman Pravah
Breaking Newsદેશસેલવાસ

મહારાષ્‍ટ્રના પાલઘર નજીક આવેલ ભૂકંપના આંચકાની અસર દાનહના વિવિધ ગામમાં પણ અનુભવાયા

  • દમણમાં પણ ભૂકંપના આંશિક આંચકા અનુભવાયા
    (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
    સેલવાસ, તા.01
    મહારાષ્‍ટ્રના પાલઘર નજીક આવેલ ભૂકંપના આંચકાની અસર દાનહના વિવિધ ગામો સહિત દમણમાં પણ અનુભવાયા હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે.
    પ્રાપ્ત માહિતી અનુસાર મહારાષ્‍ટ્રના પાલઘર નજીક ભૂકંપના આંચકાની અસરો દાદરા નગર હવેલીના વિવિધ વિસ્‍તારોમાં પણ જોવા મળી હતી. સાથે સાથે આ આંચકાઓદમણમાં પણ અનુભવાયા હતા. આ આંચકાઓ સાંજે બે વખત આવ્‍યાં હોવાનું જાણવા મળ્‍યું હતું.
    દાનહના ખેરડી ગામે અચાનક ભૂકંપના આંચકા લાગતા ગામના લોકો ગભરાઈ ગયા હતા. ભૂકંપના આંચકાથી ઘરના પતરાં અને અને ઘરનો સામાન હલવા લાગ્‍યો હતો. જેથી લોકો ઘરમાંથી બહાર નીકળી આવ્‍યા હતા.
    ડિઝાસ્‍ટર વિભાગના જણાવ્‍યા અનુસાર આ ભૂકંપનું કેન્‍દ્રબિંન્‍દુ મહારાષ્‍ટ્રના પાલઘરથી દસ કિલોમીટરના અંતરે છે, જેની તીવ્રતા 3.7 રેકટર સ્‍કીલ બતાવતું હતુ. ભૂકંપના આંચકાની અસર સેલવાસ, રખોલી, નરોલી, ખેરડી અને આજુબાજુના વિસ્‍તારોમા જોવા મળી હતી. આ અગાઉ પણ થોડા દિવસ પહેલા મહારાષ્‍ટ્રમાં ભૂકંપના આંચકાઓ આવ્‍યા હતા. જેના કારણે પણ કેટલાક ગામોમાં હળવા આંચકાની અસર જોવા મળી હતી.

Related posts

આટિયાવાડ ગ્રામ પંચાયતની સાથે ડીઆઈએ પ્રમુખ પવન અગ્રવાલે આટિયાવાડના ઔદ્યોગિક વિસ્‍તારમાં સ્‍વચ્‍છતા અભિયાનની કરેલી શરૂઆત

vartmanpravah

ગુજરાતની રણજી ટ્રોફી ટીમમાં દમણના ઉમંગ ટંડેલનો સમાવેશ : સંઘપ્રદેશ માટે ગૌરવની ઘટના

vartmanpravah

ડીપીએલની લીગ મેચમાં મેન ઓફ ધી મેચ બનેલા ધરમ ઈલેવનના ચેતન હળપતિને દમણવાડાના સરપંચ મુકેશ ગોસાવીના હસ્‍તે આપવામાં આવેલી ટ્રોફી

vartmanpravah

શ્રી સુધીર ફડકે પાસે એક લાઈટ મશીનગન હતી જે છુપાવવા મટે તેમણે વાયોલીન રાખવાની ફીડલનો ઉપયોગ કર્યો હતો, છતાં તેની ગમે ત્‍યાં તપાસ થઈ શકે એવો ભય તો માથે રહેતો જ

vartmanpravah

ભારત સરકારના ગૃહ સચિવ ગોવિંદ મોહને દમણની મુલાકાત લઈ વિવિધ કાર્યાન્‍વિત પ્રોજેક્‍ટોનું કરેલું નિરીક્ષણ

vartmanpravah

ચીખલી તાલુકામાં આરોગ્‍ય વિભાગ દ્વારા 12 પીએચસીમાં સર્વે કરાયોઃ 960 તાવના કેસો મળ્‍યા, ડેન્‍ગ્‍યુ-મેલેરિયાના એક પણ કેસ નહીં

vartmanpravah

Leave a Comment