April 28, 2024
Vartman Pravah
Breaking Newsદેશસેલવાસ

મહારાષ્‍ટ્રના પાલઘર નજીક આવેલ ભૂકંપના આંચકાની અસર દાનહના વિવિધ ગામમાં પણ અનુભવાયા

  • દમણમાં પણ ભૂકંપના આંશિક આંચકા અનુભવાયા
    (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
    સેલવાસ, તા.01
    મહારાષ્‍ટ્રના પાલઘર નજીક આવેલ ભૂકંપના આંચકાની અસર દાનહના વિવિધ ગામો સહિત દમણમાં પણ અનુભવાયા હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે.
    પ્રાપ્ત માહિતી અનુસાર મહારાષ્‍ટ્રના પાલઘર નજીક ભૂકંપના આંચકાની અસરો દાદરા નગર હવેલીના વિવિધ વિસ્‍તારોમાં પણ જોવા મળી હતી. સાથે સાથે આ આંચકાઓદમણમાં પણ અનુભવાયા હતા. આ આંચકાઓ સાંજે બે વખત આવ્‍યાં હોવાનું જાણવા મળ્‍યું હતું.
    દાનહના ખેરડી ગામે અચાનક ભૂકંપના આંચકા લાગતા ગામના લોકો ગભરાઈ ગયા હતા. ભૂકંપના આંચકાથી ઘરના પતરાં અને અને ઘરનો સામાન હલવા લાગ્‍યો હતો. જેથી લોકો ઘરમાંથી બહાર નીકળી આવ્‍યા હતા.
    ડિઝાસ્‍ટર વિભાગના જણાવ્‍યા અનુસાર આ ભૂકંપનું કેન્‍દ્રબિંન્‍દુ મહારાષ્‍ટ્રના પાલઘરથી દસ કિલોમીટરના અંતરે છે, જેની તીવ્રતા 3.7 રેકટર સ્‍કીલ બતાવતું હતુ. ભૂકંપના આંચકાની અસર સેલવાસ, રખોલી, નરોલી, ખેરડી અને આજુબાજુના વિસ્‍તારોમા જોવા મળી હતી. આ અગાઉ પણ થોડા દિવસ પહેલા મહારાષ્‍ટ્રમાં ભૂકંપના આંચકાઓ આવ્‍યા હતા. જેના કારણે પણ કેટલાક ગામોમાં હળવા આંચકાની અસર જોવા મળી હતી.

Related posts

સરકારી વિનયન અને વાણિજ્‍ય કોલેજ નેત્રંગ ખાતે આદિવાસી સંસ્‍કૃતિ અને સાહિત્‍યનો અકાદમિક કુંભ યોજાશે

vartmanpravah

દાનહઃ પ્રાથમિક ગુજરાતી શાળા ગોરાતપાડામાં શાળા પ્રવેશોત્‍સવ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

દમણ જિલ્લો બન્‍યો પાણીમગ્નઃ વરસાદની ચાલુ  રહેલી અણનમ ઈનિંગ

vartmanpravah

દમણ-દીવ સ્‍ટેટ કો-ઓપરેટિવ બેંક લિ.માં કર્મચારીઓ માટે તાલીમ શિબિર યોજાઈ

vartmanpravah

કરવડ પ્રાથમિક શાળા ખાતે વેલશિક્ષા અભિદર્શન કાર્યક્રમ યોજાયો

vartmanpravah

દાનહ ખેલ અને યુવા વિભાગ દ્વારા ઈન્‍ટર કોલેજ બેડમિન્‍ટન અને ટેબલ ટેનિસ યોજાઈ

vartmanpravah

Leave a Comment