Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાત

ઉમરગામના માણેકપુર ખાતે યોજાયેલી વારલી સમાજની ક્રિકેટ ટુર્નામેન્‍ટમાં 166 ટીમોએ લીધેલો ભાગ: ઉમરગામ ધારાસભ્‍ય રમણલાલ પાટકરે ઉપસ્‍થિત રહી ખેલાડીઓનો વધારેલો ઉત્‍સાહ 

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.08: વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાની વારલી સમાજની સૌથી મોટી ક્રિકેટ ટુર્નામેન્‍ટ વૃંદાવન ક્રિકેટ ગ્રાઉન્‍ડ – માણેકપુર ખાતે રમાડવામાં આવી હતી. આ ટુર્નામેન્‍ટમાં કુલ 166 ટીમોએ ઉત્‍સાહપૂર્વક ભાગ લીધો હતો. આ ટુર્નામેન્‍ટનો શુભારંભ ઉમરગામધારાસભ્‍ય રમણલાલ પાટકરના હસ્‍તે કરવામાં આવ્‍યો હતો. આ ટુર્નામેન્‍ટની ફાઈનલ દિવ્‍યાંગ ઇલેવન-ડેહલી અને ઓમ સાઈ ઇલેવન- અણગામ વચ્‍ચે રમાડવામાં આવી હતી, જેમાં દિવ્‍યાંગ ઇલેવન ડેહલી વિજેતા રહી હતી.
આ અવસરે ધારાસભ્‍ય રમણલાલ પાટકરે વિજેતા ટીમને અભિનંદન પાઠવતા જણાવ્‍યું હતું કે, હારજીત એ રમતનો ભાગ છે, જેથી બધા ખેલાડીઓ ખેલદિલીની ભાવના રાખે તે જરૂરી છે.
આ ટુર્નામેન્‍ટમાં ઉમરગામ તાલુકા પંચાયત પ્રમુખ રમેશભાઈ ધાંગડા, પૂર્વ ધારાસભ્‍ય શંકરભાઇ વારલી, જિલ્લા પંચાયત બાંધકામ સમિત ચેરમેન મુકેશભાઈ પટેલ, ઉમરગામ તાલુકા સંગઠન પ્રમુખ દિલીપભાઈ ભંડારી, જિલ્લા પંચાયત સભ્‍ય ઉષાબેન મસીયા, શર્મિષ્ઠાબેન ઘાટલ, તાલુકા પંચાયત કારોબારી ચેરમેન ચિંતનભાઈ પટેલ, સભ્‍ય લલીતાબેન દુમાડા, સવિતાબેન વારલી, રાણીબેન સીંગડા, હેતલબેન વારલી, ઉર્મિલાબેન દુમાડા, ધનિષાબેન કોળી, સંતોષભાઈ વઘાત, લીમજીભાઈ ઓઝારીયા, ગૌત્તમભાઈ સનવાર, સંગઠન મહામંત્રી પ્રકાશભાઈ પટેલ, સરપંચ સર્વે ભરતભાઈ વારલી, દિપકભાઈ વારલી, રાકેશભાઈ વઘાત, વીણાબેન ગીભલ, સુશીલાબેન બીજ, સવિતાબેન વાડકર, મીનાબેન પાટકર, હસુમતીબેન પાગી, કંચનબેન વરઠા, જાગળતિબેન રાબડ, વીણાબેન વેડગા, દક્ષાબેન દુમાડા સરીગામના અગ્રણી રાકેશભાઈ રાય, બી.એસ.સી.નર્સિંગ કોલેજના ચેરમેન કમલેશભાઈ, વિવિધ સમાજના આગેવાનો, ક્રિકેટ રસિકોએ ઉપસ્‍થિત રહી ટુર્નામેન્‍ટને સફળ બનાવી હતી.
આ ક્રિકેટ ટુર્નામેન્‍ટનું સફળ આયોજન રામદાસ વરઠા, પ્રતિક વારલી, દિનેશ પાગી, મહેશભાઈ મસીયા, ભરતભાઈ પાગી, વિજયભાઈ પાટકર, મિનેશભાઈ પાટકર, જીતુ પાટકર, વાસુભાઈ ટોકીયા વગેરેએ કર્યુ હતું.

Related posts

જી.ઍચ.સી.ઍલ. ફાઉન્ડેશન ટ્રસ્ટ તથા ઈ.ડી.આઈ.આઈ સંસ્થા દ્વારા ઉદ્યોગ સાહસિકતા જાગૃતિ કાર્યકમ યોજાયો

vartmanpravah

વલસાડના મોગરાવાડીમાં કુબેર સમૃધ્ધિનો વિસ્તાર કલસ્ટર કન્ટાઈનમેન્ટ ઝોન તરીકે જાહેર

vartmanpravah

કપરાડાના લીખવડ ગામે રાત્રે ઘરમાં સુતેલી મહિલાની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરાતા ચકચાર

vartmanpravah

વાપીમાં નવો રેલવે બ્રિજ બનવાનો હોવાથી એસ.ટી. ડેપોને બલીઠા હાઈવે ઉપર હંગામી બસ સ્‍ટેન્‍ડ તરીકે સંચાલન કરાશે

vartmanpravah

દાનહ-રખોલી પંચાયત ખાતે ગ્રામસભા યોજાઈ

vartmanpravah

દાનહ-દમણ-દીવ પ્રદેશ ભાજપ દ્વારા પં. દીન દયાળ ઉપાધ્‍યાયની જન્‍મ જયંતિને ‘અંત્‍યોદય સંકલ્‍પ’ દિવસ તરીકે મનાવાયો

vartmanpravah

Leave a Comment