(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.08:દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની પારદર્શી સરકારના પારદર્શી વહીવટ અંતર્ગત તા.10/02/2022ના રોજ સવારે 12-00 થી 5-00 વાગ્યા દરમિયાન, કલેક્ટર કચેરી, વલસાડ ખાતે મહેસુલ મંત્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદીની ઉપસ્થિતિમાં મહેસુલી મેળા યોજી સ્થળ ઉપર સુનાવણી કરવામાં આવશે. જેમાં ભાગ લેવા માટે અરજદારોએ તેમની અરજી તા.09/02/2022ના રોજ સાંજના 5-00 વાગ્યા સુધીમાં મોકલી આપવાની રહેશે. આ મેળામાં ઉપસ્થિત રહેનારા અરજદારોએ કોવિડ-19ની સરકારની માર્ગદર્શિકાનું પાલન કરવાનું રહેશે.