(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ,તા.15
દાનહમાં કન્નડ સેવા સંઘ અને કન્નડ મહિલા દાનહ દ્વારા નરોલીમાં નેશનલ એસોસિએશન ફોર બ્લાઇન્ડ સ્કૂલમા વાદીરાજા જયંતિનું આયોજન કરવામા આવ્યું હતું. જેમા નેત્રહીન વિદ્યાર્થીઓને ભોજન વિતરણ કરવામા આવેલ બાદમા ભજન અને પ્રાર્થના પણ કરવામા આવી હતી.
શ્રી વાદીરાજા જયંતિ કર્ણાટકમા ઉજવવામાં આવે છે. જે દાનહમા પણ દર વર્ષે અહી રહેતા કર્ણાટક સમાજના લોકો દ્વારા પણ ઉજવવામા આવે છે.આ અવસરે સમાજના પ્રમુખ ડો.ગણેશ વેરનેકર, ઉપપ્રમુખ હોસમાની, સચિવ નાટેકર, મહિલા સંઘના પ્રમુખ દક્ષિણાયની રાવ, કાંતિ શેટ્ટી, અનિતા નાઈક સહિત કન્નડ સેવા સંઘ અને કન્નડ મહિલા સંઘના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
Next Post