(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.18
રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા ચિત્રકામ માટેની જાહેર પરીક્ષા એલિમેન્ટરી ડ્રોઈંગ ગ્રેડ એક્ઝામ ઓક્ટોબર 2021 લેવાય હતી. આ પરીક્ષામાં શ્રી ઘનશ્યામ વિદ્યામંદિર, સલવાવના 6 વિદ્યાર્થીએ પણ વાપી (પંડોર) સેન્ટરથી પરીક્ષા આપી હતી. જેનું તારીખ 18-2-2022ના રોજ ઓનલાઈન જાહેર થયેલ પરિણામમાં તમામ વિદ્યાર્થી ‘એ’ ગ્રેડ સાથે પાસ થતા સંસ્થાનું ગૌરવ વધ્યું છે.
સિદ્ધિ મેળવનાર તમામ વિદ્યાર્થીઓને સંસ્થાના મેં. ટ્રસ્ટી પૂજય કપિલસ્વામી, પૂજ્ય રામ સ્વામી, ડાયરેક્ટર શ્રી ડો. શૈલેશભાઈ લુહાર, ડાયરેક્ટર શ્રી હિતેનભાઈ ઉપાધ્યાય, આચાર્ય શ્રી ચંદ્રવદન પટેલ તથા સમગ્ર સ્ટાફ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
Previous post
Next Post