April 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

છેલ્લા ૩૦ વર્ષથી ગેરકાયદેસર રીતે જમીનનો કબ્જા રાખનારા ચીખલી રાનવેરી કલ્લાના ૪ ઈસમો સામે નોંધાયેલો ગુનો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ), તા.17: ચીખલી તાલુકાના રાનવેરી કલ્લા ગામે છેલ્લા ત્રીસેક વર્ષથી ગેરકાયદેસર રીતે જમીનનો કબ્‍જો કરી રાખતા પોલીસે ચાર જેટલા સામે જમીન પચાવી પાડવા પર પ્રતિબંધની કાયદાની જોગવાઈ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
ફરિયાદી દ્વારા મે-2021 માં મહેસુલ વિભાગના ઓનલાઈન પોર્ટલ પર અરજી કરવામાં આવી હતી.
પોલીસ મથકેથી પ્રાપ્ત માહિતી વિગત મુજબ રાનવેરી કલ્લા ગામના બ્‍લોક નંબર 28, 134, 169, 600, 602, 1505, 1773 વાળી ફરિયાદી ધર્મેન્‍દ્રસિંહ ભીખુસિંહ પરમાર (રહે.701/સાતમો માળ અરિહંત એપાર્ટમેન્‍ટ આરએમ પાર્કની સામે તિથલ રોડ તા.જી.વલસાડ) ની વડીલોપારજીત જમીન ઉપર ગેરકાયદેસર કબ્‍જો જમાવી રાખી તેઓને કબ્‍જો ન આપી જમીન પર જતાં અટકાવી અવાર નવાર ગાળાગાળી કરી ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી ખેતી પણ ન કરવા દેતા આ અંગે તેમણે જમીનનો કબ્‍જો મેળવવા ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ હેઠળ મહેસુલ વિભાગના ઓનલાઈન પોર્ટલ પર અરજી કરી હતી. જેના સંદર્ભે આ અધિનિયમ હેઠળ રચાયેલ સમિતિની બેઠક જિલ્લા કલેકટરના અધ્‍યક્ષ સ્‍થાને 21/09/22 ના રોજ મળી હતી. જેમાં પ્રથમ દ્રષ્ટિએ ગુનો સ્‍થાપિતથતો હોવાથી અરજી ગ્રાહ્ય રાખવામાં આવી હતી.
જે સંદર્ભે પોલીસે લેન્‍ડ ગ્રેબિંગના કાયદાની જોગવાઈ મુજબ ડાહીબેન ઈશ્વરસિંહ પરમાર, પંકજસિંહ ઈશ્વરસિંહ પરમાર, વિમલસિંહ ઈશ્વરસિંહ પરમાર, અનુપસિંહ છગન લાલ પરમાર (તમામ રહે.રાનવેરી કલ્લા તા.ચીખલી જી.નવસારી) એમ ચાર જેટલા સામે ગુનો નોંધી તપાસ ડીવાયએસપી એસ.કે.રાયે હાથ ધરી હતી.

Related posts

આજે મહાશિવરાત્રી : વલસાડમાં સિધ્‍ધેશ્વર મહાદેવ મંદિરથી શોભાયાત્રામાં શીવ નગરચર્યામાં નિકળશે

vartmanpravah

બલવાડા હાઈવે ઓવરબ્રિજ પાસે રીફલેક્‍ટર અને અંધકારના પગલે એક જ અઠવાડિયામાં બીજો અકસ્‍માત

vartmanpravah

ઉમરગામ તાલુકા પંચાયતના હોદ્દેદારોના નામનું મેન્‍ડેડને અમલ કરાવવા તાલુકા સંગઠન પ્રમુખદિલીપ ભંડારીએ હાથ ધરેલી કવાયત

vartmanpravah

‘સેવા પખવાડા’ કાર્યક્રમ અંતર્ગત દમણ એન્‍જિનિયરીંગ કોલેજમાં ‘‘અંગદાન”ની જાગૃતિ હેતુ સેમિનાર યોજાયો

vartmanpravah

વલસાડમાં સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન યોજાશે : 1ર વિવિધ સમાજના 154 જોડા પ્રભુતામાં પગલાં પાડશે :સમૂહ લગ્નમાં મુખ્‍યમંત્રી સહિત પ્રધાનો અને મહાનુભાવો ઉપસ્‍થિત રહેશે

vartmanpravah

વાપી સહિત વલસાડ જિલ્લામાં કરુણા અભિયાનનો પ્રારંભ

vartmanpravah

Leave a Comment