June 29, 2026
Vartman Pravah
Breaking Newsદમણ

નાની દમણના મેલડી માતાજી મંદિરના પટાંગણમાં અગામી શનિવારથી ત્રિ દિવસીય પ્રાણ પ્રતિષ્‍ઠા મહોત્‍સવ

25મી ડિસેમ્‍બરે કળશ શોભાયાત્રા, 27મી ડિસેમ્‍બરે મહાપ્રસાદ અને પૂર્ણાહુતિ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.21
અગામી શનિવાર તા.25મીથી 27મી ડિસેમ્‍બર સુધી નાની દમણના એસ.ટી.બસ સ્‍ટેન્‍ડની સામે આવેલ શ્રી રાજમાન રાજ રાજેશ્વરી મેલડી માતાજી મંદિરના પટાંગણમાં કુળદેવી શ્રી ચામુંડાજી માતા, શ્રી મેલડી માતા તથા શ્રી મહાકાળી માતાજી તથા અન્‍ય દેવી-દેવતાઓનાપ્રાણ પ્રતિષ્‍ઠા મહોત્‍સવનું આયોજન કરવામાં આવેલ છે.
પ્રાણ પ્રતિષ્‍ઠા મહોત્‍સવના પહેલા દિવસે શનિવાર તા. રપમી ડિસેમ્‍બરે બપોરે 3:00 વાગ્‍યે નગર કળશ યાત્રા, બીજા દિવસે રવિવારે તા 26મી ડિસેમ્‍બરે મહા અભિષેક અને ત્રીજા દિવસ તા.27મી ડિસેમ્‍બર સોમવારના રોજ બપોરે 12:39 કલાકે પ્રતિષ્‍ઠા હોમ, સ્‍થાપિત દેવતા હોમ તથા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં તમામ ભાવિક ભક્‍તજનોને ઉપસ્‍થિત રહેવા મંદિરના ટ્રસ્‍ટીઓ દ્વારા વિનંતી કરવામાં આવી છે.
આ પ્રાણ પ્રતિષ્‍ઠા મહોત્‍સવના મુખ્‍ય અતિથિ તરીકે દમણના ઉદ્યોગપતિ શ્રીમતી સુલોચનાદેવી અનિલભાઈ અગ્રવાલ અને દાનહ અને દમણ-દીવના રાજકીય નેતા શ્રી વિશાલભાઈ ટંડેલ તથા અતિથિ વિશેષ તરીકે માં મેલડી એક્‍તા ધામ ભિલાડના શ્રી હબીબભાઈ હાલાણી (માડી) ઉપસ્‍થિત રહેશે.

Related posts

ભાજપ દ્વારા આયોજીત ‘સંવિધાન ગૌરવ અભિયાન’ અંતર્ગત આયોજીત કાર્યક્રમમાં આજે સેલવાસના આંબેડકર નગર ખાતે રાજ્યસભાના સાંસદ અને યુ.પી. સરકારના પૂર્વ ડી.જી.પી. બ્રીજ લાલ માર્ગદર્શન આપશે

vartmanpravah

વલસાડ જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક તા.18મી ડિસેમ્‍બરે યોજાશે

vartmanpravah

આપણુ ગુજરાતઃ ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાતઃ વલસાડની સરકારી ઈજનેરી કોલેજમાં ભ્રષ્ટાચાર સામે જાગૃતતા માટે ઇનોવેટીવ ટેક્નિક્સ અંગે કાર્યક્રમ યોજાયો

vartmanpravah

મહેતા હોસ્‍પિટલ ખાતે પારડી પોલીસ સ્‍ટેશનના પોલીસ કર્મીઓ માટે હેલ્‍થ ચેક અપ કેમ્‍પ યોજાયો

vartmanpravah

સલવાવની શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજમાં ‘‘આરોગ્‍ય, સંપત્તિ અને સુખ” ના વિષય ઉપર યોગ સંવાદ યોજાયો

vartmanpravah

ઉમરગામના દહેરી ખાતે પ્રાકૃતિક ખેતીના મોડલ ફાર્મની આઈએએસ પ્રસનજીત કૌરે મુલાકાત લીધી

vartmanpravah

Leave a Comment