March 17, 2026
Vartman Pravah
Breaking Newsદમણ

નાની દમણના મેલડી માતાજી મંદિરના પટાંગણમાં અગામી શનિવારથી ત્રિ દિવસીય પ્રાણ પ્રતિષ્‍ઠા મહોત્‍સવ

25મી ડિસેમ્‍બરે કળશ શોભાયાત્રા, 27મી ડિસેમ્‍બરે મહાપ્રસાદ અને પૂર્ણાહુતિ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.21
અગામી શનિવાર તા.25મીથી 27મી ડિસેમ્‍બર સુધી નાની દમણના એસ.ટી.બસ સ્‍ટેન્‍ડની સામે આવેલ શ્રી રાજમાન રાજ રાજેશ્વરી મેલડી માતાજી મંદિરના પટાંગણમાં કુળદેવી શ્રી ચામુંડાજી માતા, શ્રી મેલડી માતા તથા શ્રી મહાકાળી માતાજી તથા અન્‍ય દેવી-દેવતાઓનાપ્રાણ પ્રતિષ્‍ઠા મહોત્‍સવનું આયોજન કરવામાં આવેલ છે.
પ્રાણ પ્રતિષ્‍ઠા મહોત્‍સવના પહેલા દિવસે શનિવાર તા. રપમી ડિસેમ્‍બરે બપોરે 3:00 વાગ્‍યે નગર કળશ યાત્રા, બીજા દિવસે રવિવારે તા 26મી ડિસેમ્‍બરે મહા અભિષેક અને ત્રીજા દિવસ તા.27મી ડિસેમ્‍બર સોમવારના રોજ બપોરે 12:39 કલાકે પ્રતિષ્‍ઠા હોમ, સ્‍થાપિત દેવતા હોમ તથા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં તમામ ભાવિક ભક્‍તજનોને ઉપસ્‍થિત રહેવા મંદિરના ટ્રસ્‍ટીઓ દ્વારા વિનંતી કરવામાં આવી છે.
આ પ્રાણ પ્રતિષ્‍ઠા મહોત્‍સવના મુખ્‍ય અતિથિ તરીકે દમણના ઉદ્યોગપતિ શ્રીમતી સુલોચનાદેવી અનિલભાઈ અગ્રવાલ અને દાનહ અને દમણ-દીવના રાજકીય નેતા શ્રી વિશાલભાઈ ટંડેલ તથા અતિથિ વિશેષ તરીકે માં મેલડી એક્‍તા ધામ ભિલાડના શ્રી હબીબભાઈ હાલાણી (માડી) ઉપસ્‍થિત રહેશે.

Related posts

વલસાડ શહેર પોલીસ, વલસાડ ફિઝિશીયન ઍસોસિઍશન અને વલસાડ ઍમ.આર. ઍસોસિઍશન દ્વારા મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો

vartmanpravah

વલસાડ જિલ્લા ચૂંટણી અધિકારી આયુષ ઓકની રાજકીય પક્ષો સાથે બેઠક મળીઃ ચૂંટણી ખર્ચના હિસાબોથી વાકેફ કરાયા

vartmanpravah

ચીખલીના વંકાલમાં જોખમી વીજપોલ અંગે વીજ કંપનીના કાર્યપાલક ઈજનેરને રજૂઆત કરાતા સર્વે હાથ ધરાયો

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ સલવાવમાં સીબીએસઈ વિદ્યાર્થીઓએ નવા શૈક્ષણિક સત્રની શરૂઆત ધાર્મિક યજ્ઞ સાથે કરી

vartmanpravah

કટ આઉટ, કમાન, પોસ્‍ટરો, બેનર્સ સહિતની પ્રચાર સામગ્રીના ઉપયોગ અંગે માર્ગદર્શક સૂચનાઓ જારી

vartmanpravah

વલસાડ જિલ્લાના સામાજિક, શૈક્ષણિક અને સેવાભાવી કાર્યકરોનું ગોવામાં સન્માન કરાયું

vartmanpravah

Leave a Comment