પ્રસિદ્ધ આચાર્ય સંજય પંડિત મહારાજ દ્વારા પ0 કરતા વધુ દંપતિઓને શાષાોક્ત વિધિથી પૂજા-અર્ચના સાથે અભિષેક કરાવશે
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.28
આવતી કાલે મહા શિવરાત્રીના 5વિત્ર પર્વ નિમિત્તે દમણના સુપ્રસિદ્ધ આચાર્ય શ્રી સંજય પંડિત મહારાજ દ્વારા મોટી દમણના નવા જમ્પોર ભીતવાડી સમુદ્ર કિનારે શિવ સિન્ધુ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
દમણના સુપ્રસિદ્ધ આચાર્ય શ્રી સંજય પંડિત મહારાજ દ્વારા છેલ્લા આઠ વર્ષથી શિવ સિન્ધુ કાર્યક્રમમાં માટીના પાર્થિવ શિવલિંગનું નિર્માણ કરી શાષાોક્ત વિધિથી પૂજા-અર્ચના કરી સમુદ્રમાં વિસર્જન કરવામાં આવે છે.આવતી કાલે યોજનારા કાર્યક્રમમાં પ0 કરતા વધુ દંપતિઓ ભાગ લેનાર હોવાની જાણકારી મળી રહી છે.
આવતીકાલે યોજનારા શિવ સિન્ધુ કાર્યક્રમમાં સવારે 7.00 વાગ્યે અભિષેકનો કાર્યક્રમ હોવાની જાણકારી આપવામાં આવી છે.