(વર્તમાન પ્રવાહ ન્યુઝનેટવર્ક) દમણ, તા.28
યુક્રેનથી પરત ભારત ફરેલી દમણની વિદ્યાર્થીની કુ. માનસી શર્માએ આજે સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની મુલાકાત લઈ તેમનું ઋણ સ્વીકાર કર્યુ હતું.
કુ. માનસી શર્માએ યુક્રેનથી ભારત પરત ફરવા માટે ભારત સરકાર અને પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના પ્રયાસોની સરાહના કરી હતી. તેમણે પ્રશાસકશ્રીને પુષ્પગુચ્છ આપી તેમના પ્રત્યે આભાર પ્રગટ કર્યો હતો. જ્યારે પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે કુ.માનસી શર્માને મીઠાઈ ખવડાવી મોઢુ મીઠું કર્યુ હતું.