July 21, 2026
Vartman Pravah
Breaking Newsદમણદેશ

દમણ : દાભેલમાં નહેર ઉપર કરાયેલા ગેરકાયદે દબાણ અને નાની દમણફોર્ટ વિસ્‍તાર નજીક સરકારી જમીન ઉપર કરાયેલા અતિક્રમણ ઉપર ફરી વળેલું બુલડોઝર

સંઘપ્રદેશ પ્રશાસને સરકારી જમીન ઉપર કરાતા ગેરકાયદે દબાણ અને નહેર ઉપર થતાં અતિક્રમણ સામે અખત્‍યાર કરેલી નો-ટોલરેન્‍સ’ની નીતિ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)દમણ, તા.14
સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા દાભેલમાં નહેર ઉપર કરવામાં આવેલા અતિક્રમણ અને નાની દમણ ફોર્ટ વિસ્‍તાર નજીક સરકારી જમીન ઉપર ગેરકાયદે કરેલા બાંધકામને આજે હટાવવામાં આવ્‍યું હતું.
અત્રે નોંધનીય છે કે, સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા સરકારી જમીન અને નહેર ઉપર કરાયેલા દબાણ સામે ‘નો- ટોલેરન્‍સ’ની નીતિ અખત્‍યાર કરવામા આવેલ છે. સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ સરકારી જમીન ઉપર કરાતા ગેરકાયદે દબાણ સામે ખુબ જ આક્રમક વલણ ધરાવે છે. જેના કારણે કોઈપણ સરકારી અથવા નહેરની જમીન ઉપર કરાયેલા દબાણને સ્‍વયં દ્વારા દુર કરવા પ્રશાસન દ્વારા અનુરોધ કરાયો છે અને જો સ્‍વયં દ્વારા ગેરકાયદે દબાણ દુર નહી કરાયું તો પ્રશાસન અતિક્રમણને દુર કરવા પોતાની ડિમોલીશનની કાર્યવાહી શરૂ કરશે એવી ચીમકી પણ આપવામાં આવી છે.

Related posts

વલસાડના પાલણ ગામે ડમ્‍પર ચાલકે સાગમટે સાત થાંભલા તોડી નાખ્‍યા

vartmanpravah

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવના વિદ્યુત વિભાગના ખાનગીકરણને રોકવાના અભિયાનમાં ઘેલવાડ, સોમનાથ, દાભેલ અને આટિયાવાડ ગ્રામ પંચાયતોએ પણ આપેલું સમર્થન

vartmanpravah

કપરાડાના શ્રમિક યુવકનું ધગડમાળમાં અકસ્‍માત: અંધારામાં લાઈટ વિના રોંગ સાઇડે પાર્ક કરેલ ટ્રકમાં બાઈક ઘૂસી જતાં ચાલકનું મોત

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ, સલવાવનો 39મો વાર્ષિકોત્‍સવની ભવ્‍ય ઉજવણી માટે તડામાર તૈયારી

vartmanpravah

સેલવાસ પ્રાથમિક હિન્‍દી કેન્‍દ્ર શાળામાં ‘વિશ્વ જળ દિવસ’ નિમિતે જાગૃતિ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

ખેરગામ તાલુકામાં નવા ભાવ મુજબના 5 અને જૂના મુજબના 3 મળી છેલ્લા ચાર દિવસમાં કુલ 8 જેટલા દસ્‍તાવેજની નોંધણી થવા સાથે રૂા.1,70,705 લાખની આવક

vartmanpravah

Leave a Comment