April 19, 2026
Vartman Pravah
Breaking Newsદમણદેશ

દમણ : દાભેલમાં નહેર ઉપર કરાયેલા ગેરકાયદે દબાણ અને નાની દમણફોર્ટ વિસ્‍તાર નજીક સરકારી જમીન ઉપર કરાયેલા અતિક્રમણ ઉપર ફરી વળેલું બુલડોઝર

સંઘપ્રદેશ પ્રશાસને સરકારી જમીન ઉપર કરાતા ગેરકાયદે દબાણ અને નહેર ઉપર થતાં અતિક્રમણ સામે અખત્‍યાર કરેલી નો-ટોલરેન્‍સ’ની નીતિ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)દમણ, તા.14
સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા દાભેલમાં નહેર ઉપર કરવામાં આવેલા અતિક્રમણ અને નાની દમણ ફોર્ટ વિસ્‍તાર નજીક સરકારી જમીન ઉપર ગેરકાયદે કરેલા બાંધકામને આજે હટાવવામાં આવ્‍યું હતું.
અત્રે નોંધનીય છે કે, સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા સરકારી જમીન અને નહેર ઉપર કરાયેલા દબાણ સામે ‘નો- ટોલેરન્‍સ’ની નીતિ અખત્‍યાર કરવામા આવેલ છે. સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ સરકારી જમીન ઉપર કરાતા ગેરકાયદે દબાણ સામે ખુબ જ આક્રમક વલણ ધરાવે છે. જેના કારણે કોઈપણ સરકારી અથવા નહેરની જમીન ઉપર કરાયેલા દબાણને સ્‍વયં દ્વારા દુર કરવા પ્રશાસન દ્વારા અનુરોધ કરાયો છે અને જો સ્‍વયં દ્વારા ગેરકાયદે દબાણ દુર નહી કરાયું તો પ્રશાસન અતિક્રમણને દુર કરવા પોતાની ડિમોલીશનની કાર્યવાહી શરૂ કરશે એવી ચીમકી પણ આપવામાં આવી છે.

Related posts

વાપી ચાર રસ્‍તા પાસે ગેરેજમાં મધરાતે ભિષણ આગ લાગતા 8 વાહનો ખાખ

vartmanpravah

આજે વિશ્વ આદિવાસી દિવસઃ વલસાડ જિલ્લામાં 6 વર્ષમાં રૂ. 460 કરોડના ખર્ચે આદિવાસી સમાજની કાયાપલટ થઈ

vartmanpravah

મરામ્‍મત-રખરખાવ અને સફાઈ માટે આજથી 11મી નવેમ્‍બર સુધી નાની દમણની નમો પથ અને મોટી દમણનો રામસેતૂ બીચ રોડ લોકોની અવર-જવર માટે બંધ

vartmanpravah

નાણામંત્રી કનુભાઈ દેસાઈએ વાપીની ફેલોશીપ મિશન સ્કૂલના અલંકરણ સમારોહમાં હાજરી આપી

vartmanpravah

વલસાડ છીપવાડ અંડરપાસ નજીક રિક્ષા પલ્‍ટી મારતા ચાલક સહિત ચાર મુસાફરો ઘાયલ

vartmanpravah

ભામટી પ્રગતિ મંડળ દ્વારા આયોજીત ગણપતિ મહોત્‍સવનું ભક્‍તિભાવ સાથે વિસર્જન

vartmanpravah

Leave a Comment