Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલીનવસારી

નવસારી એલસીબી પોલીસે રાનવેરી ખુર્દથી 12 જેટલા જુગારી ઝડપી પાડયાઃ એક વોન્‍ટેડ

રૂા.1.75 લાખનો મુદ્દામાલ કબ્‍જે કરી હાથ ધરેલી કાયદેસરની કાર્યવાહી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી (વંકાલ), તા.15: બનાવની પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર નવસારી એલસીબી પોલીસની ટીમ ચીખલી વિસ્‍તારમાં હતી. દરમ્‍યાન પૂર્વ બાતમીના આધારે તાલુકાના રાનવેરી ખુર્દ ગામના માહ્યાવંશી મહોલ્લાની બાજુમાં આવેલ કોતરવાળી ખુલ્લી જગ્‍યામાં રેડ કરતા ગંજીપાનાનો જુગાર રમતા રાકેશ છોટુભાઈ રાઠોડ (રાનવેરી ખુર્દ માહ્યાવંશી મહોલ્લો હરિજનવાસ તા.ચીખલી), જયદીપ ગણેશભાઈ પટેલ (રહે. દોલધાગામ મોટા ફળિયું તા.વાંસદા), ધર્મેન્‍દ્ર મગનભાઈ પટેલ (રહે.ખુડવેલ મંદિર ફળિયું તા.ચીખલી), વિપુલ ઉમેદભાઈ પટેલ (રહે. સાબાગામ મેડિયા ફળિયું તા.મહુવા જિ.સુરત), મેહુલ નટુભાઈ પટેલ (રહે.મજીગામ છાપરા ફળિયું તા. ચીખલી), સતીશ ચંદ્રસિંહ પરમાર (રહે.રાનવેરી કલ્લા ગામતળ ફળિયું તા. ચીખલી), હિરેન શાંતિલાલ પટેલ (રહે.નીલકંઠ સોસાયટી એલ.પી.સવાણી સ્‍કૂલ સામે અડાજણ સુરત), મુકેશ રમણ રાઠોડ (ખરોલીગામ બસ સ્‍ટોપ ફળિયું તા. ચીખલી), ઇમરાન ફકીર મંગેશ (રહે. આલીપોર પટેલ ફળિયું તા. ચીખલી), જીતેન્‍દ્ર ધીરૂભાઈ પટેલ (રહે. કચીગામ પારસીફળિયું તા.જિ.વલસાડ), રાકેશ મગનભાઈ પટેલ (રહે.એરૂગામ મોટા ફળિયું તા.જલાલપોર જિ.નવસારી), દિનેશ હીરાભાઈ પટેલ (રહે.એરૂગામ મોટા ફળિયું તા.જલાલપોર)ને ઝડપી પાડયા હતા. જ્‍યારે પોલીસની રેડ જોઈ નાસી જનાર રિતેશ માધુભાઈ રાઠોડ (રહે.ખરોલી માહ્યાવંશી મહોલ્લો હરિજનવાસ તા.ચીખલી)ને વોન્‍ટેડ જાહેર કર્યો હતો.
પોલીસે ઝડપેલા 12જેટલા જુગારીઓની અંગઝડતીમાંથી રોકડ રૂા.48,430/, દાવ ઉપરના રોકડા રૂા.12,000, બે મોબાઈલ રૂા.500/, નાલ પેટે ઉઘરાવેલ રોકડા રૂા.3,500/ તેમજ અન્‍ય 16 જેટલા મોબાઈલ કિંમત રૂા.1,11,500/ મળી કુલ્લે રૂા.1,75,430/ નો મુદ્દામાલ કબ્‍જે કરી બનાવની ફરિયાદ નવસારી એલ.સી.બી.ના હે. કો. ગણેશ દીનુએ કરતા વધુ તપાસ બીલીમોરાના પીએસઆઇ ડી.આર.પઢેરિયા કરી રહ્યા છે.

Related posts

દાનહના સીલી ગામે કે.એલ.જે.કંપનીમાં રક્‍તદાન કેમ્‍પ યોજાયો

vartmanpravah

વાપી કબ્રસ્‍તાન રોડ ઉપર રખડતા કૂતરાઓનો ભયાનક ત્રાસઃ રાત્રિના સમયે ટુ વ્‍હીલર ઉપર આવતા રાહદારીઓ માટે ત્રાસજનક

vartmanpravah

ધરમપુર તાન નદીમાં ન્‍હાવા પડેલા 14 વર્ષિય કિશોર ડૂબી જતા કરૂણ મોત: ગમગીની છવાઈ

vartmanpravah

દેશની બહુમતી વસ્‍તીને લોકકળાના સામર્થ્‍ય સાથે જોડી જાગૃત બનાવી શકાય છે : સલોની રાય-હાયર એજ્‍યુકેશન સચિવ

vartmanpravah

દમણવાડાના બારિયાવાડ ખાતે સોપાની માતાના પટાંગણમાં ભવ્‍ય શ્રી રામ નવમી મહોત્‍સવ સંપન્નઃ 20 દંપતિઓએ મહાપૂજાનો લીધેલો લાભ

vartmanpravah

વલસાડની સરકારી ઈજનેરી કોલેજમાં ગુજરાત સરકારના પ્‍લેસમેન્‍ટ કેમ્‍પમાં 302 વિદ્યાર્થીની નોકરી માટે પસંદગી થઈ

vartmanpravah

Leave a Comment