March 28, 2024
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

ભારતીય જનતા પાર્ટી વાપી શહેર અને નોટિફાઈડ મંડળની યોજાઈ કારોબારી બેઠક

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.02
ભારતીય જનતા પાર્ટી વાપી શહેર અને નોટિફાઈડ મંડળની સંયુક્‍ત કારોબારી આજરોજ વાપી સિનિયર સીટીઝન હોલ ખાતે યોજાઈહતી. મંડળ પ્રમુખ શ્રી સતિષભાઈ પટેલ, હેમંતભાઈ પટેલની આગેવાનીમાં યોજાયેલ કારોબારીમાં જિલ્લા મહામંત્રી શ્રી શિલ્‍પેશભાઈ દેસાઈ, ઉપાધ્‍યક્ષ શ્રી રાજનારાયણ તિવારી, મંત્રી શ્રી ગિરિરાજજી જાડેજા (નોટિફાઈડ પ્રભારી) વિશેષ ઉપસ્‍થિત રહ્યા હતા. સાથે કારોબારી બેઠકમાં વાપી પ્રભારી શ્રી અસિતભાઈ દેસાઈ, વાપી ન.પા પ્રમુખ શ્રીમતી કાશ્‍મીરાબેન શાહ, કારોબારી સમિતિ ચેરમેન શ્રી મિતેષભાઈ દેસાઈ, એસબીપીપી ચેરમેન શ્રી જીતુભાઈ દેસાઈ, નોટિફાઈડ / વાપી મહામંત્રી શ્રી સુધીરભાઈ સાવલિયા, શ્રી સુથાર, શ્રી ભવલેશભાઈ કોટડીયા, શ્રી વિરાજભાઈ દક્ષિણી, વાપી શહેર અને વાપી નોટિફાઈડ વિસ્‍તારના મોરચા / સેલના હોદ્દેદારો, સક્રિય કાર્યકર્તાઓ, આઈટી / સોશ્‍યિલ મીડિયાના હોદ્દેદારો અને મોટી સંખ્‍યામાં કાર્યકર્તાઓ ઉપસ્‍થિત રહ્યા હતા.
આજની કારોબારીમાં પ્રભારી શ્રી અસિતભાઈ દેસાઈ દ્વારા વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીજીના સુશાસન ના 8 વર્ષ અંગેના કાર્યક્રમો અંગે માહિતી આપી હતી. જિલ્લા મહામંત્રી શ્રી શિલ્‍પેશભાઈ દેસાઈ દ્વારા મોદીજીના તા 10 જૂનના પ્રવાસ અંગે તેમજ આગામી કાર્યક્રમો અંગે વિસ્‍તૃત માહિતી આપી હતી. શહેર પ્રમુખ શ્રી સતિષભાઈ પટેલ દ્વારા સૌના સ્‍વાગત સાથે સૌ કાર્યકર્તાને પાર્ટીના કાર્યક્રમો સફળ બનાવવા હાકલ કરી હતી. છેલ્લે નોટિફાઈડ પ્રમુખ શ્રીહેમંતભાઈ પટેલ દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી.

Related posts

સેલવાસમાં બાળકો અને મહિલાઓને સાયકલ ચલાવવાની વિશાળ તાલીમ શિબિરને મળી રહેલું પ્રચંડ સમર્થન

vartmanpravah

વલસાડ રેલવે સ્‍ટેશન પર ‘‘સ્‍વચ્‍છતા હી સેવા” મહા શ્રમ દાન કરાયું

vartmanpravah

વલસાડની સરકારી ઈજનેરી કોલેજમાં ગુજરાત સરકારના પ્‍લેસમેન્‍ટ કેમ્‍પમાં 302 વિદ્યાર્થીની નોકરી માટે પસંદગી થઈ

vartmanpravah

વાપીના અગ્રણી ઉદ્યોગપતિ જયેન્‍દ્રસિંહ પરમારનું હૃદય રોગના હુમલાથી નિધન

vartmanpravah

ચીખલીના દેગામમાં સુજલામ સુફલામ યોજના હેઠળ ખોદાતા તળાવમાંથી માટીનો બારોબાર નિકાલ થતો હોવાની ગ્રામજનોમાં ઉઠી રહેલી ચર્ચા

vartmanpravah

ચીખલી તાલુકા સેવા સદનમાં આધારકાર્ડ-પાનકાર્ડ લિંક અને સુધારો-વધારો કરવા માટે અરજદારોની લાગેલી કતારો

vartmanpravah

Leave a Comment