October 15, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતદમણદીવદેશસેલવાસ

દમણમાં બસપાના સંસ્‍થાપક બહુજન નાયક કાંશીરામજીની 88મી જન્‍મજયંતિની કરાયેલી ઉજવણી

દમણ બસપા પ્રદેશ કાર્યાલય ખાતે પ્રભારી શૈલેષભાઈ ધોડી, પ્રદેશ કન્‍વીનર ઈરફાનભાઈ કાઝી, પ્રદેશ કાર્યકારી પ્રમુખ મોહમ્‍મદ ગોસ દાંડેકર દ્વારા કાર્યકરોને આપવામાં આવેલું માર્ગદર્શન
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.15
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી તથા દમણ-દીવ બહુજન સમાજ પાર્ટી દ્વારા બામસેક ડી.એસ.ફોર અને બહુજન સમાજ પાર્ટીના સંસ્‍થાપક કાશીરામની તા. 1પ માર્ચના દમણના પ્રદેશ પાર્ટી કાર્યાલયમાં જન્‍મજયંતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
બહુજન નાયક કાશીરામના બલિદાનનેયાદ કરીને સમાજને પ્રેરણા આપતી ઘટનાઓને ઉજાગર કરવામાં આવી હતી. ઉપસ્‍થિત કાર્યકરોએ તેમના વિચારો લોકો સુધી પહોંચાડીને સમાજમાં જાગળતિ લાવવાના શપથ લીધા હતા.
આ કાર્યક્રમમાં સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ બહુજન સમાજ પાર્ટીના પ્રભારી શ્રી શૈલેષભાઈ ધોડી, પ્રદેશ કન્‍વીનર શ્રી ઈરફાનભાઈ કાઝી, પ્રદેશ કાર્યકારી પ્રમુખ શ્રી મોહમ્‍મદ ગોસ દાંડેકર, ઉપપ્રમુખ પ્રેમપાલ સિંહ, પ્રદેશના મહામંત્રીશ્રી મિનેશભાઈ વસાવા, પ્રદેશ મહામંત્રી શ્રી લક્ષ્મીજીભાઈ પટેલ ઉપસ્‍થિત રહ્યા હતા. પ્રદેશ મહાસચિવ શ્રી શંકર ગૌતમ, મહાસચિવ શ્રી મોહનમવ દયાલા, પ્રદેશ સચિવ જ્‍યોત્‍સનાબેન સુર્યવંશી, સંગઠન મંત્રી શ્રી સકીલ લતીફ ખાન, શ્રી કલીમ લાલા, વલસાડ જિલ્લા સચિવ શ્રી કિશોરભાઈ રાઠોડ તથા અન્‍ય કાર્યકર્તા ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

દમણમાં વિવિધ મંડળો દ્વારા સ્‍થાપિત અઢી દિવસની શ્રીજીની મૂર્તિનું કરાયેલું વિસર્જન

vartmanpravah

વઘઈ કૃષિ વિજ્ઞાન કેન્‍દ્ર ખાતે પ્રાકૃતિક કૃષિ પધ્‍ધતિ સંબંધિત પ્‍લોટ કમ નિદર્શન યોજાયું

vartmanpravah

વલસાડ જિલ્લામાં ખરીફ ઋતુમાં 8 માસમાં 38500 ખેડૂતોને પ્રાકૃતિક ખેતીથી તાલીમબધ્‍ધ કરાયા

vartmanpravah

ડીઆઈએના પૂર્વ અધ્‍યક્ષ સંજીવ તિવારીએ પ્રમુખ પદના કાર્યકાળના બે વર્ષ પછી હસતાં હસતાં સીટ ખાલી કરવા કરેલી માર્મિક ટકોર

vartmanpravah

વલસાડ જિલ્લામાં તા.23 માર્ચ સુધી પવન અને ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી

vartmanpravah

વલસાડ પાર નદી નાના-મોટા ડેમ વચ્‍ચે બે દિવસથી ફસાયેલ માછીમારનું રેસ્‍ક્‍યું કરાયું

vartmanpravah

Leave a Comment