August 31, 2026
Vartman Pravah
Breaking Newsદેશસેલવાસ

દાનહ જિ.પં.ની ચૂંટાયેલી પાંખની ઉદાસિનતાથી ઈરીગેશન વિભાગના 400થી વધુ કર્મીઓ છેલ્લા 4 મહિનાથી પગારથી વંચિત

  • દાનહ જિલ્લા પંચાયતની ચૂંટાયેલી પાંખના અધિકારીઓ સાથેના સંકલનના અભાવથી ડેઈલી વેજીસ અને વર્ક ચાર્જ તરીકે કાર્યરત કર્મીઓની નિકળી રહેલી ખો
  • જિલ્લા પંચાયત પ્રમુખ નિશા ભવરે પણ હાથ ઉંચા કરતા કર્મચારીઓની સામી હોળીએ દયનીય બનેલી સ્‍થિતિ
    (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ,તા.16
    દાદરા નગર હવેલી જિલ્લા પંચાયતની ચૂંટાયેલી પાંખની ઉદાસિનતાઅને ઉચ્‍ચ અધિકારીઓ સાથેના તાલમેલના અભાવે જિલ્લા પંચાયતની જાહેર બાંધકામ શાખાના ઈરીગેશન વિભાગના ડેઈલીવેજીસ અને વર્ક ચાર્જ તરીકે કાર્યરત 400થી વધુ કર્મચારીઓને છેલ્લા ત્રણ મહિનાથી પગાર નહી મળતા તેમની હાલત કફોડી બનવા પામી છે. આ બાબતે કર્મચારીઓના પ્રતિનિધિ મંડળે આજે નાની દમણના સચિવાલય ખાતે નાણાં સચિવ શ્રી ગૌરવ સિંહ રાજાવતને મળી પોતાની વ્‍યથા પણ વ્‍યક્‍ત કરી હતી.
    પ્રાપ્ત માહિતી પ્રમાણે સંઘપ્રદેશના નાણાં સચિવ દ્વારા જિલ્લા પંચાયત પાસે કર્મચારીઓના વેજીસની બાબતમાં મંગાવવામાં આવેલ રિપોર્ટ હજુ સુધી સુપ્રત નહી કરતા આ સ્‍થિતિ પેદા થવા પામી છે.
    દરમિયાન ડેઈલી વેજીસ અને વર્ક ચાર્જ કર્મચારીઓ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી નિશા ભવરની પણ મુલાકાત કરી આ મુદ્દે દરમિયાનગીરી કરી તેમના બાકી નિકળતા પગારની ચૂકવણીની વ્‍યવસ્‍થા કરવા રજૂઆત કરી હતી. પરંતુ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી નિશા ભવરે પણ હાથ ઉંચા કરતા કર્મચારીઓની સ્‍થિતિ દયનીય બનવા પામી છે.

 

Related posts

દાનહમાં ‘હિન્‍દી પખવાડા’ અંતર્ગત હિન્‍દી ભાષણ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

વિશ્વ પ્રવાસી સામજિક અને સાંસ્‍કળતિક સંઘ (આંતરરાષ્‍ટ્રીય સંસ્‍થા) દ્વારા વાપી ખાતે ભવ્‍ય શોભાયાત્રા નિકળી

vartmanpravah

વલસાડ રેલવે યાર્ડમાં બાન્‍દ્રા-વિરાર ટ્રેનમાંથી અજાણ્‍યા યુવકની ડિકમ્‍પોઝ હાલતમાં લાશ મળી

vartmanpravah

દાનહ-દમણમાં મંગળવારે એકપણ કોરોના પોઝિટિવ કેસ નહીં નોંધાયા

vartmanpravah

કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય, ભારત સરકાર વિશ્વ મધમાખી દિવસનો રાષ્ટ્રીય કાર્યક્રમ 20 મેના રોજ ગુજરાતમાં ઉજવાશે

vartmanpravah

નિર્માણ યોજનાઓની સ્વીકૃતિ ભવન અનુમોદન માટે દાનહ પીડીએ વિભાગ અને બેંક ઓફ બરોડા વચ્‍ચે એમઓયુ થયા

vartmanpravah

Leave a Comment