Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહમાં ‘હિન્‍દી પખવાડા’ અંતર્ગત હિન્‍દી ભાષણ સ્‍પર્ધા યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.22: સેલવાસ નગરપાલિકાના ઓડિટોરિયમ ખાતે કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ વહીવટીતંત્રના રાજભાષા વિભાગ દ્વારા હિન્‍દી પખવાડિયા અંતર્ગત ‘હિન્‍દી ભાષણ’ સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. કાર્યક્રમના પ્રારંભે મુખ્‍ય અતિથિ તરીકે પૂર્વ નાયબ નિયામક શ્રી એસ.બી. પટિયાલ, સ્‍પર્ધાના નિર્ણાયકો ડો. એ.પી. જે. અબ્‍દુલ કલામ સરકારી કોલેજના મદદનીશ પ્રાધ્‍યાપક શ્રી પવન અગ્રવાલ, સરકારી કોલેજના દમણના વિભાગ અધ્‍યક્ષ ડો. પુખરાજ જાંગીડ તથા મદદનીશ પ્રાધ્‍યાપક શ્રી ભાવેશ વાળા અને સરીગામના શ્રી રાકેશ રાયનું પુષ્‍પગુચ્‍છથી સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું.
આ શુભ પ્રસંગે મુખ્‍ય અતિથિ પૂર્વ નાયબ નિયામક શ્રી એસ.બી.પટિયાલે પોતાના અધ્‍યક્ષીય સંબોધનમાં હિન્‍દી પખવાડા અંતર્ગત આયોજિત હિન્‍દી સ્‍પર્ધાઓ અંગે ખુશી દર્શાવી તમામ સ્‍પર્ધકોને તેમાં ભાગ લેવા માટે પ્રેરિત કર્યા હતા અને તમામ સ્‍પર્ધકોને શુભેચ્‍છા પાઠવતાં રાજભાષા હિન્‍દીના મહત્‍વ વિશે વિશેષ માહિતી આપી હતી. આ પછી, સ્‍નાતક વર્ગ, શાળા-કોલેજોના સહભાગીઓ, વહીવટના વિવિધ વિભાગો, કામદાર વર્ગ અને બિનસરકારી વિભાગ હેઠળ આપવામાં આવેલા વિષયો પર તેમના મંતવ્‍યો રજૂ કર્યા હતા. આ પછી ડો. પુખરાજ જાંગીડે સ્‍પર્ધાનું પરિણામ જાહેર કર્યું હતું અને તમામ નિર્ણાયકોએ રાજભાષા હિન્‍દી વિશે પોતાના મંતવ્‍યો રજૂ કરીને તમામ સ્‍પર્ધકોને અભિનંદન પાઠવ્‍યા હતા.
કાર્યક્રમનું સંચાલન કરતા હિન્‍દી સહાયક ડો. અનીતા કુમારે કાર્યક્રમના અંતે સૌનો આભાર માન્‍યો હતો. આ સ્‍પર્ધામાં સ્‍નાતક વર્ગ, કર્મચારી વર્ગ અને બિન સરકારી વર્ગના 35 જેટલા સ્‍પર્ધકોએ ભાગ લીધો હતો.

Related posts

એન્‍ટિ-રેગિંગ કાયદા વિશે માહિતી માટે આજે દમણની કોલેજમાં કાનૂની જાગૃતિ શિબિર યોજાશે

vartmanpravah

વાપીમાં નવા રેલવે ઓવરબ્રિજ બનાવવા હેતુ જમીન સંપાદન અને દબાણો હટાવવાની નોટિસો અપાઈ

vartmanpravah

ધરમપુર- કપરાડામાં આરોગ્‍યલક્ષી સેવા હવે વધુ સુદઢ બનશે, પીએમના સંભવિત કાર્યક્રમમાં નવા 8 પેટા આરોગ્‍ય કેન્‍દ્રનું લોકાર્પણ થશે: દર્દીઓની સુવિધા માટે રૂ. 1.60 કરોડના ખર્ચે અદ્યતન સુવિધાયુક્‍ત કેન્‍દ્ર બનાવાયા

vartmanpravah

દાનહઃ દૂધની મેઢા ઘાટ ઉપર કારચાલકે સ્‍ટીયરીંગ ઉપરથી સંતુલન ગુમાવતાં સર્જાયો ગોઝારો અકસ્‍માત

vartmanpravah

દાનહમાં પોલીસના અમાનવીય કૃત્ય અંગે ગોર બંજારા સમાજ દ્વારા પોલીસ અધિક્ષકને રજૂઆત કરાઈ

vartmanpravah

કપરાડાના તાલુકાના સુથારપાડા ખાતે સેવા સેતુ કાર્યક્રમમાં 5368 અરજીઓનો હકારાત્‍મક નિકાલ

vartmanpravah

Leave a Comment