January 17, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહમાં ‘હિન્‍દી પખવાડા’ અંતર્ગત હિન્‍દી ભાષણ સ્‍પર્ધા યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.22: સેલવાસ નગરપાલિકાના ઓડિટોરિયમ ખાતે કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ વહીવટીતંત્રના રાજભાષા વિભાગ દ્વારા હિન્‍દી પખવાડિયા અંતર્ગત ‘હિન્‍દી ભાષણ’ સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. કાર્યક્રમના પ્રારંભે મુખ્‍ય અતિથિ તરીકે પૂર્વ નાયબ નિયામક શ્રી એસ.બી. પટિયાલ, સ્‍પર્ધાના નિર્ણાયકો ડો. એ.પી. જે. અબ્‍દુલ કલામ સરકારી કોલેજના મદદનીશ પ્રાધ્‍યાપક શ્રી પવન અગ્રવાલ, સરકારી કોલેજના દમણના વિભાગ અધ્‍યક્ષ ડો. પુખરાજ જાંગીડ તથા મદદનીશ પ્રાધ્‍યાપક શ્રી ભાવેશ વાળા અને સરીગામના શ્રી રાકેશ રાયનું પુષ્‍પગુચ્‍છથી સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું.
આ શુભ પ્રસંગે મુખ્‍ય અતિથિ પૂર્વ નાયબ નિયામક શ્રી એસ.બી.પટિયાલે પોતાના અધ્‍યક્ષીય સંબોધનમાં હિન્‍દી પખવાડા અંતર્ગત આયોજિત હિન્‍દી સ્‍પર્ધાઓ અંગે ખુશી દર્શાવી તમામ સ્‍પર્ધકોને તેમાં ભાગ લેવા માટે પ્રેરિત કર્યા હતા અને તમામ સ્‍પર્ધકોને શુભેચ્‍છા પાઠવતાં રાજભાષા હિન્‍દીના મહત્‍વ વિશે વિશેષ માહિતી આપી હતી. આ પછી, સ્‍નાતક વર્ગ, શાળા-કોલેજોના સહભાગીઓ, વહીવટના વિવિધ વિભાગો, કામદાર વર્ગ અને બિનસરકારી વિભાગ હેઠળ આપવામાં આવેલા વિષયો પર તેમના મંતવ્‍યો રજૂ કર્યા હતા. આ પછી ડો. પુખરાજ જાંગીડે સ્‍પર્ધાનું પરિણામ જાહેર કર્યું હતું અને તમામ નિર્ણાયકોએ રાજભાષા હિન્‍દી વિશે પોતાના મંતવ્‍યો રજૂ કરીને તમામ સ્‍પર્ધકોને અભિનંદન પાઠવ્‍યા હતા.
કાર્યક્રમનું સંચાલન કરતા હિન્‍દી સહાયક ડો. અનીતા કુમારે કાર્યક્રમના અંતે સૌનો આભાર માન્‍યો હતો. આ સ્‍પર્ધામાં સ્‍નાતક વર્ગ, કર્મચારી વર્ગ અને બિન સરકારી વર્ગના 35 જેટલા સ્‍પર્ધકોએ ભાગ લીધો હતો.

Related posts

ધારાસભ્‍ય રમણલાલ પાટકરે ડુંગરા ચણોદમાં વિવિધ ગણેશ પંડાલોની મુલાકાત લીધી

vartmanpravah

રવિવારે દાનહમાં એકપણ કોરોના પોઝિટિવ કેસ નહીં

vartmanpravah

કપરાડા તાલુકા સરપંચ સંઘની મિટીંગ યોજાઈ : પ્રમુખ તરીકે નાનાપોંઢાના સરપંચ મુકેશ પટેલની વરણી

vartmanpravah

ચીખલીના ખુડવેલની જમીન પર ગેરકાયદે કબ્‍જો કરતા 13 જેટલા ઈસમો સામે લેન્‍ડગ્રેબિંગનો ગુનો દાખલ

vartmanpravah

દાનહ: દપાડા પંચાયત દ્વારા ‘સ્‍વચ્‍છ ભારત’ અભિયાન અંતર્ગત ડસ્‍ટબીન વિતરણ કરાઈ

vartmanpravah

નાની દમણના ત્રણબત્તી ટાવરની અને બામણપૂજા સર્કલ પરની બંધ પડેલ જમીન ઘડિયાળ પ્રદેશના વિકાસ માટે અશુભ સંકેતઃ યુવા નેતા તનોજ પટેલ 

vartmanpravah

Leave a Comment