December 1, 2025
Vartman Pravah
Breaking Newsસેલવાસ

સેલવાસની પરિણીતાએ દમણગંગા નદીમા આત્‍મહત્‍યાનો પ્રયાસ કર્યો: એક યુવાને નદીમા કુદી યુવતિનો જીવ બચાવ્‍યો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.21
સેલવાસના આમલી વિસ્‍તારમાં રહેતી એક પરિણીતાએ કોઈક અગમ્‍યકારણસર દમણગંગા નદીના પુલ પરથી નદીમા ઝંપલાવી દીધુ હતુ.બ્રીજ પરથી પસાર થતા એક યુવાને તાત્‍કાલિક નદીમા કુદી પડી યુવતીનો જીવ બચાવ્‍યો હતો.
પ્રાપ્ત વિગત અનુસાર પુનમ પવાર (ઉ.વ.32) રહેવાસી આમલી સેલવાસ જે એના પરિવાર સાથે રહે છે અને એના પતિ સાથે કાયમ જ ઝગડો થતો રહે છે જેનાથી કંટાળી બપોરે દમણગંગા નદીના પુલ પર જઈ નદીમા ઝંપલાવી દીધુ હતું. એ જોતા પુલ પર લોકોની ભીડ એકત્ર થઇ ગયી હતી. તે જ સમયે રંજયકુમાર જે ઉમરગામનો રહેવાસી રિક્ષામા જઈ રહ્યો હતો જેણે યુવતીને નદીમા કૂદતા જોતા કંઈપણ વિચાર કર્યા વિના રિવરફ્રન્‍ટ પર આવી નદીમા ઝંપલાવી દીધુ હતુ અને પાણીમા તરીને યુવતી જે ડૂબી રહી હતી એને બચાવી લીધી હતી.ઘટનાની જાણ થતા પોલીસ અને ફાયરની ટીમ સાથે 108ની ટીમ પણ પોહચી ગયી હતી અને યુવતીને બચાવવા માટે પુલ ઉપરથી દોરડુ નાખી બહાર કાઢવામા આવી હતી.
આ પરિણીતાને 108 એમ્‍બ્‍યુલન્‍સ દ્વારા વિનોબાભાવે સિવિલ હોસ્‍પિટલમાં લઈ જવામા આવી હતી. જ્‍યાં એના પરિવારના સભ્‍યો પણ આવી પહોંચ્‍યા હતા. પરિણીતાને પ્રાથમિક સારવાર આપી હાલમા રજા આપી દેવામા આવી છે.ફાયરની ટીમ દ્વારા પરિણીતાને બચાવનાર યુવાન રંજયકુમારને આ સરાહનીય કાર્ય કરવા બદલ પ્રોત્‍સાહિતકરવામા આવ્‍યો હતો.
ઉલ્લેખનીય છે કે, આ દમણગંગા નદીનો પુલ સુસાઇડ પોઇન્‍ટ બની ગયો છે અગાઉ પણ જયારે આત્‍મહત્‍યાની ઘટના બનેલ ત્‍યારે નદીના પુલની આજુબાજુ જાળી લગાવવા માટે અહેવાલો લખવામા આવ્‍યા છે અને કેટલીક સ્‍થાનિક સંસ્‍થાઓએ પણ પ્રશાસનને લેખિત રજૂઆત કરી છે પરંતુ કોઈક કારણસર પ્રશાસન દ્વારા આ પ્રશ્ન અંગે કોઈપણ પગલા લેવામા આવતા નથી. જો જાળી લગાવવામા આવે તો આત્‍મહત્‍યાના કેસોમા ઘટાડો થઇ શકે એમ છે.

Related posts

બાળકો સંબંધિત સમસ્‍યાઓ અને બાળ મૈત્રીપૂર્ણ અભિગમ સાથે સમસ્‍યાઓનો સામનો કરવા માટે ન્‍યાયતંત્રની પ્રક્રિયાને સમજવા માટે કલેક્‍ટર ભાનુ પ્રભાના દિશા-નિર્દેશ અને માર્ગદર્શનમાં દીવના ફૂદમ પોલીસ મુખ્‍યાલયના સભાખંડમાં યોજાયેલી બેઠક

vartmanpravah

દાનહ ચૂંટણી વિભાગ દ્વારા મતદાર યાદી સુધારણા શરૂ કરાયો

vartmanpravah

વાપી ફાટકે રેલવે પાટો ક્રોસ કરતા ટ્રેન અડફેટમાં બે યુવાન કપાઈ ગયા : ઘટના સ્‍થળે મોત

vartmanpravah

વલસાડ જિલ્લા સ્‍વાગત-વ-ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં 31 પૈકી 29 પ્રશ્નોનો હકારાત્‍મક નિકાલ

vartmanpravah

દાનહના રખોલીમાં ‘સુશાસન સપ્તાહ’ અંતર્ગત મહેસૂલ શિબિર યોજાશે

vartmanpravah

દાનહ સ્‍કાઉટ ગાઈડ ફેલોશિપના સહયોગથી ગુરૂકુલ વિદ્યાપીઠમાં સ્‍કાઉટ ગાઈડની કરાયેલી સ્‍થાપના

vartmanpravah

Leave a Comment