(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સરીગામ, તા.21
ઉમરગામ તાલુકાની કરમબેલા પંચાયતનું અંદાજપત્ર બહુમતી સભ્યોએ નામંજૂર કરતા સરપંચ શ્રી સુરેશભાઈ હળપતિ ની પ્રથમ ગ્રાસે મક્ષીકા થવાના સંજોગો નિર્માણ થવા પામ્યા છે.
પ્રાપ્ત થતી વિગત મુજબ આજરોજ પંચાયતના સરપંચ શ્રી સુરેશભાઈ હળપતિના અધ્યક્ષતા હેઠળ સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેની કાર્ય સુચિમાં અંદાજપત્રને મંજુર કરવાનું હતું. પરંતુ છેલ્લા ત્રણ મહિનાથી સરપંચશ્રી એ વિકાસના કામમાં દાખવેલા મનસ્વી વલણ સામે ઉપસરપંચ શ્રી આનંદભાઈ શાહ સહિત છ સભ્યોએ ભારે નારાજગી બતાવી હતી.
જેના પરિણામે આજરોજ સામાન્ય સભામાં બજેટ મંજૂર કરવાના સમયે દસમાંથી માંથી છ સભ્યોએ 1. આનંદભાઈ શાહ 2. આશિષ મોહન પટેલ 3. ઈશ્વર નગીન ધોડી 4. મિરા સંજય રોહિત 5.પીસી ધોડી અને 6. ચંદ્રિકા હરેશ દુબળા એ આંગળી ઊંચી કરી બજેટ ના મંજૂર કરવા માટે સ્પષ્ટ વિરોધ નોંધાવ્યો હતો.