July 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાત

કરમબેલા પંચાયતનું બજેટ નામંજૂર વિકાસના કામમાં સરપંચના મનસ્‍વી વલણ સામે ઉપસરપંચ સહિત બહુમતી છ સભ્‍યોએ નોંધાવેલો વિરોધ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સરીગામ, તા.21
ઉમરગામ તાલુકાની કરમબેલા પંચાયતનું અંદાજપત્ર બહુમતી સભ્‍યોએ નામંજૂર કરતા સરપંચ શ્રી સુરેશભાઈ હળપતિ ની પ્રથમ ગ્રાસે મક્ષીકા થવાના સંજોગો નિર્માણ થવા પામ્‍યા છે.
પ્રાપ્ત થતી વિગત મુજબ આજરોજ પંચાયતના સરપંચ શ્રી સુરેશભાઈ હળપતિના અધ્‍યક્ષતા હેઠળ સામાન્‍ય સભાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેની કાર્ય સુચિમાં અંદાજપત્રને મંજુર કરવાનું હતું. પરંતુ છેલ્લા ત્રણ મહિનાથી સરપંચશ્રી એ વિકાસના કામમાં દાખવેલા મનસ્‍વી વલણ સામે ઉપસરપંચ શ્રી આનંદભાઈ શાહ સહિત છ સભ્‍યોએ ભારે નારાજગી બતાવી હતી.
જેના પરિણામે આજરોજ સામાન્‍ય સભામાં બજેટ મંજૂર કરવાના સમયે દસમાંથી માંથી છ સભ્‍યોએ 1. આનંદભાઈ શાહ 2. આશિષ મોહન પટેલ 3. ઈશ્વર નગીન ધોડી 4. મિરા સંજય રોહિત 5.પીસી ધોડી અને 6. ચંદ્રિકા હરેશ દુબળા એ આંગળી ઊંચી કરી બજેટ ના મંજૂર કરવા માટે સ્‍પષ્ટ વિરોધ નોંધાવ્‍યો હતો.

Related posts

તલાસરીના કોચાઈ તથા બોરમલ ગામેથી પસાર થતા સુચિત વડોદરા મુંબઈ એક્‍સપ્રેસ વે ની આદિવાસીઓએ કામગીરી અટકાવી

vartmanpravah

પાંચાણી ફાઉન્ડેશનનાં યોગેશભાઈ પાંચાણી દ્વારા ‘આયુષ્માન કાર્ડ’ નિ:શુલ્ક કાઢી આપવામાં આવશે.

vartmanpravah

દાનહમાં 02 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

vartmanpravah

ભાજપ સંગઠન દ્વારા પારડી શહેર તથા તાલુકા પ્રમુખ માટેના સેન્‍સ લેવાયા

vartmanpravah

ચીખલીના રાનવેરી ખુર્દ અને ખરોલીમાં ભાજપના બહિષ્‍કારના લાગેલા બેનરો

vartmanpravah

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં મળેલ કેબિનેટ બેઠકમાં જનહિતલક્ષી નિર્ણય

vartmanpravah

Leave a Comment