April 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાત

કરમબેલા પંચાયતનું બજેટ નામંજૂર વિકાસના કામમાં સરપંચના મનસ્‍વી વલણ સામે ઉપસરપંચ સહિત બહુમતી છ સભ્‍યોએ નોંધાવેલો વિરોધ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સરીગામ, તા.21
ઉમરગામ તાલુકાની કરમબેલા પંચાયતનું અંદાજપત્ર બહુમતી સભ્‍યોએ નામંજૂર કરતા સરપંચ શ્રી સુરેશભાઈ હળપતિ ની પ્રથમ ગ્રાસે મક્ષીકા થવાના સંજોગો નિર્માણ થવા પામ્‍યા છે.
પ્રાપ્ત થતી વિગત મુજબ આજરોજ પંચાયતના સરપંચ શ્રી સુરેશભાઈ હળપતિના અધ્‍યક્ષતા હેઠળ સામાન્‍ય સભાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેની કાર્ય સુચિમાં અંદાજપત્રને મંજુર કરવાનું હતું. પરંતુ છેલ્લા ત્રણ મહિનાથી સરપંચશ્રી એ વિકાસના કામમાં દાખવેલા મનસ્‍વી વલણ સામે ઉપસરપંચ શ્રી આનંદભાઈ શાહ સહિત છ સભ્‍યોએ ભારે નારાજગી બતાવી હતી.
જેના પરિણામે આજરોજ સામાન્‍ય સભામાં બજેટ મંજૂર કરવાના સમયે દસમાંથી માંથી છ સભ્‍યોએ 1. આનંદભાઈ શાહ 2. આશિષ મોહન પટેલ 3. ઈશ્વર નગીન ધોડી 4. મિરા સંજય રોહિત 5.પીસી ધોડી અને 6. ચંદ્રિકા હરેશ દુબળા એ આંગળી ઊંચી કરી બજેટ ના મંજૂર કરવા માટે સ્‍પષ્ટ વિરોધ નોંધાવ્‍યો હતો.

Related posts

વાપી કરવડ-મોટાપોંઢા રોડ તા.24 જૂન સુધી બુલેટ ટ્રેન કામગીરીને લઈ રાત્રે બંધ રહેશે

vartmanpravah

વાપી કરવડમાં લાખોમાં કોઈવાર જોવા મળતો સફેદ નાગ રેસ્‍ક્‍યુ કરાયો

vartmanpravah

દાનહ સુરંગી ગામે સનાતન કંપનીમાં કોપર વાયરની ચોરીના ૬ આરોપીઓની ધરપકડ

vartmanpravah

ચીખલીના તલાવચોરા સહિતના ગામોમાં પ્રધાનમંત્રી આવાસ સહિતની વિવિધ યોજનાઓના અમલ વચ્‍ચે અનેક ગરીબ પરિવારો આજે પણ કાચા અને ભાંગેલા-તૂટેલા મકાનમાં રહેવા મજબૂર

vartmanpravah

વલસાડ જિલ્લાની તમામ ચેકપોસ્‍ટ ઉપર ચૂંટણી ઉપલક્ષમાં પોલીસ દ્વારા સઘન વાહન ચેકિંગ કામગીરી

vartmanpravah

67મા મહા પરિનિર્વાણ દિન નિમિત્તે દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા વિશ્વ વંદનીય ભારત રત્‍ન ડો.બાબાસાહેબ આંબેડકરને અપાયેલી સ્‍મરણાંજલિ

vartmanpravah

Leave a Comment