October 14, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતવલસાડવાપી

વાપીના ઉદ્યોગકારોની વર્ષો જૂની માંગણી સરકારે સ્‍વીકારીઃ નોટીફાઈડ બોર્ડનું પુનઃ ગઠન કરવામાં આવશે

નાણા-ઊર્જામંત્રી કનુભાઈ દેસાઈ અને ઉદ્યોગ પ્રતિનિધિઓ મુખ્‍યમંત્રી અને ઉદ્યોગમંત્રી સાથે યોજાયેલ મીટીંગમાં લેવાયેલો નિર્ણય 

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.22
વાપી ઔદ્યોગિક વસાહતના ઉદ્યોગપતિઓની વર્ષોની માંગણી હતી કે વાપી નોટીફાઈડ બોર્ડનું પુનઃ ગઠન કરવામાં આવે આ માંગણી આજે સરકારે સ્‍વીકારી છે. આગામી સમયે બોર્ડનું પુનઃ ગઠન કરવામાં આવશે.
ગુજરાત સરકારના નાણાં-ઊર્જામંત્રી અને ઉદ્યોગપતિ શ્રી કનુભાઈ દેસાઈની આગેવાની હેઠળ આજે ગાંધીનગરમાં વાપીના ઉદ્યોગપતિઓની મુખ્‍યમંત્રી શ્રી ભૂપેન્‍દ્ર પટેલ તથા ઉદ્યોગમંત્રી શ્રી જગદીશ પંચાયત વચ્‍ચે દીર્ઘ મીટીંગ યોજાઈ હતી.ઉદ્યોગપતિની નોટીફાઈડ બોર્ડની પુનઃ રચના કરવાની માંગણી સરકારે સ્‍વિકારી હતી. આજે જ આ બાબતનું નોટીફિકેશન પણ જારી કરી દેવામાં આવ્‍યું છે. તેથી વાપીના ઉદ્યોગપતિઓની વર્ષો જુની માંગણી ઉપર સરકારે આજે મહોર મારી દીધી હતી. નોટીફાઈડ બોર્ડમાં દરેકનું પ્રતિનિધિત્‍વ જળવાય તે ખાસ જોવામાં આવશે તેવી નાણાંમંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ ખાત્રી આપી હતી.

Related posts

ચીખલી તાલુકા કોંગ્રેસ સમિતિની પ્રભારીઓની ઉપસ્‍થિતિમાં યોજાયેલ કારોબારી સમિતિની બેઠકમાં આગામી લોકસભાની ચૂંટણી અંગે થયેલી ચર્ચા-વિચારણા

vartmanpravah

નવસારીમાં જૂનિયર ચેમ્‍બર ઈન્‍ટરનેશનલ દ્વારા સિનિયર સીટીઝન પેઈન રિલીફ કેમ્‍પ યોજાયો

vartmanpravah

દાનહમાં ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાશે

vartmanpravah

મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલના નેતૃત્‍વમાં રાજ્‍ય સરકારના સફળ સુશાસનના બે વર્ષ પૂર્ણ

vartmanpravah

‘વિકસિત ભારત સંકલ્‍પ યાત્રા’નો રથ દમણ જિલ્લાના પરિયારી ગ્રામ પંચાયત ખાતે આવતાં કરાયેલું ઉષ્‍માભેર સ્‍વાગત: હર ઘર જળ અને ઓડીએફ યોજનાઓને પૂર્ણ કરવા બદલ સરપંચ પંક્‍તિબેન પટેલનું પ્રમાણપત્ર આપી કરવામાં આવેલું સન્‍માન

vartmanpravah

સેલવાસ શ્રી કચ્‍છી ભાનુશાલી મિત્ર મંડળ દ્વારા રક્‍તદાન કેમ્‍પ અને મેડિકલ કેમ્‍પનું કરાયેલું આયોજન

vartmanpravah

Leave a Comment