Vartman Pravah
Breaking Newsગુજરાતવલસાડવાપી

વાપીના ઉદ્યોગકારોની વર્ષો જૂની માંગણી સરકારે સ્‍વીકારીઃ નોટીફાઈડ બોર્ડનું પુનઃ ગઠન કરવામાં આવશે

નાણા-ઊર્જામંત્રી કનુભાઈ દેસાઈ અને ઉદ્યોગ પ્રતિનિધિઓ મુખ્‍યમંત્રી અને ઉદ્યોગમંત્રી સાથે યોજાયેલ મીટીંગમાં લેવાયેલો નિર્ણય 

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.22
વાપી ઔદ્યોગિક વસાહતના ઉદ્યોગપતિઓની વર્ષોની માંગણી હતી કે વાપી નોટીફાઈડ બોર્ડનું પુનઃ ગઠન કરવામાં આવે આ માંગણી આજે સરકારે સ્‍વીકારી છે. આગામી સમયે બોર્ડનું પુનઃ ગઠન કરવામાં આવશે.
ગુજરાત સરકારના નાણાં-ઊર્જામંત્રી અને ઉદ્યોગપતિ શ્રી કનુભાઈ દેસાઈની આગેવાની હેઠળ આજે ગાંધીનગરમાં વાપીના ઉદ્યોગપતિઓની મુખ્‍યમંત્રી શ્રી ભૂપેન્‍દ્ર પટેલ તથા ઉદ્યોગમંત્રી શ્રી જગદીશ પંચાયત વચ્‍ચે દીર્ઘ મીટીંગ યોજાઈ હતી.ઉદ્યોગપતિની નોટીફાઈડ બોર્ડની પુનઃ રચના કરવાની માંગણી સરકારે સ્‍વિકારી હતી. આજે જ આ બાબતનું નોટીફિકેશન પણ જારી કરી દેવામાં આવ્‍યું છે. તેથી વાપીના ઉદ્યોગપતિઓની વર્ષો જુની માંગણી ઉપર સરકારે આજે મહોર મારી દીધી હતી. નોટીફાઈડ બોર્ડમાં દરેકનું પ્રતિનિધિત્‍વ જળવાય તે ખાસ જોવામાં આવશે તેવી નાણાંમંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ ખાત્રી આપી હતી.

Related posts

વાપી ન.પા. વિસ્‍તારનો તા.2જી જુલાઈના શનિવારે યોજાશે ‘‘સેવા સેતુ કાર્યક્રમ”

vartmanpravah

પારડી હાઈવે ઉપર જૈન સાધુ-સાધ્‍વીજીઓના સંઘ ઉપર ગૌવંશોએ હુમલો કરતા ઘાયલોને સારવાર માટે મોકલાયા

vartmanpravah

ઉમરગામ તાલુકાના એકલારાના આંતરિક માર્ગ પર ઠલવાયેલો પ્રદૂષિત ઘન કચરો

vartmanpravah

વલસાડ જિલ્લા ડિઝાસ્‍ટર વિભાગ દ્વારા હવામાન ચેતવણી એલ્‍પિકેશનનો ઉપયોગ કરવા નાગરિકોને અનુરોધ

vartmanpravah

‘‘લો કોસ્‍ટ લાઈબ્રેરી મેનેજમેન્‍ટ” વિષય પર તૈયાર કરાયેલુ વલસાડના વિદ્યાર્થીનું રીસર્ચ પેપર આંતરરાષ્‍ટ્રીય સ્‍તર પર પ્રકાશિત થયુ

vartmanpravah

વિહિપના સામાજિક સમરસતા વિભાગ દ્વારા મોટી દમણના મીટનાવાડ ખાતે શ્રીરામ યજ્ઞ યોજાયો

vartmanpravah

Leave a Comment