April 17, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતવલસાડવાપી

વાપીના ઉદ્યોગકારોની વર્ષો જૂની માંગણી સરકારે સ્‍વીકારીઃ નોટીફાઈડ બોર્ડનું પુનઃ ગઠન કરવામાં આવશે

નાણા-ઊર્જામંત્રી કનુભાઈ દેસાઈ અને ઉદ્યોગ પ્રતિનિધિઓ મુખ્‍યમંત્રી અને ઉદ્યોગમંત્રી સાથે યોજાયેલ મીટીંગમાં લેવાયેલો નિર્ણય 

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.22
વાપી ઔદ્યોગિક વસાહતના ઉદ્યોગપતિઓની વર્ષોની માંગણી હતી કે વાપી નોટીફાઈડ બોર્ડનું પુનઃ ગઠન કરવામાં આવે આ માંગણી આજે સરકારે સ્‍વીકારી છે. આગામી સમયે બોર્ડનું પુનઃ ગઠન કરવામાં આવશે.
ગુજરાત સરકારના નાણાં-ઊર્જામંત્રી અને ઉદ્યોગપતિ શ્રી કનુભાઈ દેસાઈની આગેવાની હેઠળ આજે ગાંધીનગરમાં વાપીના ઉદ્યોગપતિઓની મુખ્‍યમંત્રી શ્રી ભૂપેન્‍દ્ર પટેલ તથા ઉદ્યોગમંત્રી શ્રી જગદીશ પંચાયત વચ્‍ચે દીર્ઘ મીટીંગ યોજાઈ હતી.ઉદ્યોગપતિની નોટીફાઈડ બોર્ડની પુનઃ રચના કરવાની માંગણી સરકારે સ્‍વિકારી હતી. આજે જ આ બાબતનું નોટીફિકેશન પણ જારી કરી દેવામાં આવ્‍યું છે. તેથી વાપીના ઉદ્યોગપતિઓની વર્ષો જુની માંગણી ઉપર સરકારે આજે મહોર મારી દીધી હતી. નોટીફાઈડ બોર્ડમાં દરેકનું પ્રતિનિધિત્‍વ જળવાય તે ખાસ જોવામાં આવશે તેવી નાણાંમંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ ખાત્રી આપી હતી.

Related posts

ભારતીય બહુજન હિતાય સંઘ કામદાર સેવા કેન્‍દ્ર દ્વારા નવસારીમાં લારી ગલ્લા અને પાથરણા વાળાઓને રોજગારીની વ્‍યવસ્‍થા કરી આપવા બાબત કલેક્‍ટરને લેખિત રજૂઆત કરાઈ

vartmanpravah

વાપી ચલા જ્ઞાનદીપ સ્‍કૂલ બંધ કરવાના નિર્ણયથી વાલીઓ અને વિદ્યાર્થીઓમાં ફૂંકાયેલો જોરદાર વિરોધ

vartmanpravah

પારડીમાં જુના પ્રેમ સંબંધને લઈ થઈ મારા મારી

vartmanpravah

“આંતરરાષ્‍ટ્રીય આદિવાસી દિવસ”ની સિદ્ધિ દાનહ અને દમણ-દીવના 30 કરતા વધુ આદિવાસી વિદ્યાર્થીઓ આ વર્ષે M.B.B.S. ડૉક્‍ટર બની ચુક્‍યા છે

vartmanpravah

ચીખલી તાલુકા સેવા સદનમાં આધારકાર્ડમાં સુધારાની કામગીરીમાં છેલ્લા બે માસથી મહત્તમ રિજેક્‍શન આવતા અરજદારોને ધક્કા ખાવાની નોબત

vartmanpravah

સેલવાસ ડિસ્‍ટ્રીક્‍ટ કોર્ટ પરિસરમાં લોક અદાલત યોજાઈ

vartmanpravah

Leave a Comment