March 3, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતપારડીવલસાડવાપી

વાપી નજીકના પંડોરમાં અનોખો અનાવિલ સમાજનો સ્‍નેહ મિલન કાર્યક્રમ યોજાયો

ગામમાંથી વર્ષોથી બહાર સ્‍થાયી થયેલા અનાવિલના 200 ઉપરાંત પરિવારોએ ઉત્‍સાહભેર કાર્યક્રમમાં લીધેલો ભાગ 

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.22
અનાવિલ સમાજ બહુધા વલસાડ જિલ્લામાં વસવાટ કરે છે પરંતુ કાળક્રમે શિક્ષણ અને આર્થિક ઉત્‍પાર્જનમાં સમાજ જિલ્લો છોડી સહિત દેશના ખુણે ખુણે વસવાટ કરવા નિકળી પડયો હતો. ચારથી પાંચ પેઢીના પરિવારો બહાર વસી રહ્યા છે ત્‍યારે એવાપરિવારોને એક તાંતણે જોડવા માટે પંડોર ગામે સોશિયલ મીડિયા ગૃપ દ્વારા અનોખો સ્‍નેહ મિલન સમારોહ યોજાયો હતો.
પંડોર દેસાઈવાડમાં યોજાયેલ અનાવિલ સ્‍નેહ મિલન સમારોહમાં પંડોર ગામના 200 ઉપરાંત પરિવારો જેઓ વર્ષોથી બહાર વસવાટ કરે છે તેમને માટીની મહેક ખેંચી લાવી અને ઉલ્લાસ સભર વાતાવરણમાં સ્‍નેહ મિલન સમારોહ યોજાયો. આજની ત્રીજી કે ચોથી પેઢીએ પંડોર ગામ પણ પહેલી વખત જોયુ હશે તેવા કિસ્‍સા પણ હતા. ધીરુભાઈ નારણભાઈ દેસાઈ, રસીકભાઈ ભીખુભાઈ દેસાઈ, ઉત્તમભાઈ ખંડુભાઈ દેસાઈ તેમજ યજ્ઞેશ અને દિનેશ દેસાઈની અથાગ મહેનત થકી અનાવિલ સ્‍નેહ મિલન સમારોહ સફળ અને સરાહનીય રહ્યો હતો. ગામના આગેવાનોએ આગંતૂક નવી પેઢીના યુવાનોને એકબીજાનો પરિચય કરાવવામાં આવ્‍યો હતો. સમારોહમાં ગામના દિકરાઓ અને ભાણેજ પણ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

દમણવાડા ગ્રા.પં. દ્વારા બારિયાવાડ અને ઢોલર ખાતે યોજાયેલી ચૌપાલ બેઠક

vartmanpravah

ધરમપુરના માલનપાડામાં યુવા બોર્ડ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

લ્‍યો કરો વાત..! રાષ્‍ટ્રપિતા મહાત્‍મા ગાંધીજીના નિર્વાણ દિને પણ સેલવાસના સચદેવ બાલ ઉદ્યાનમાં ધૂળ ખાઈ રહેલી પ્રતિમા

vartmanpravah

વાપી ગુંજનમાં રહેતો યુવક લગ્ન થાય તે પહેલાં ગુમ થઈ જતા પરિવાર મુશ્‍કેલીમાં મુકાયો

vartmanpravah

સેલવાસ ન.પા.એ શરૂ કરેલા ‘ગેરકાયદે દબાણ હટાવો’ અભિયાન સામે દુકાનદારોએ બંધ પાળી નોંધાવેલો વિરોધ

vartmanpravah

મોટાપોંઢા કોલેજમાં વર્ષા ગીતોનો કાર્યક્રમ યોજાયો

vartmanpravah

Leave a Comment