March 3, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતદમણદીવસેલવાસ

સેલવાસ ન.પા.એ શરૂ કરેલા ‘ગેરકાયદે દબાણ હટાવો’ અભિયાન સામે દુકાનદારોએ બંધ પાળી નોંધાવેલો વિરોધ

પ્રદેશ ભાજપ પ્રમુખ દીપેશભાઈ ટંડેલના નેતૃત્‍વમાં મળેલા પ્રતિનિધિ મંડળને 15 દિવસ સુધી દબાણ હટાવો કાર્યવાહી નહીં કરવા જિલ્લા કલેક્‍ટરે આપેલું આશ્વાસન
શહેરના દુકાનદારોએ પણ તેમના દ્વારા જાહેર જગ્‍યામાં થયેલા દબાણને સ્‍વૈચ્‍છિક રીતે હટાવી સ્‍માર્ટ સીટી બની રહેલા સેલવાસના તંત્રને સહયોગ આપવો જરૂરી


(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.01 સેલવાસ નગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવેલ દબાણ હટાવવાની ઝુંબેશ સામે આજે પાલિકા વિસ્‍તારમાં આવેલ કેટલીક દુકાનોનાસંચાલકોએ બંધ પાળી વિરોધ નોંધાવ્‍યો હતો. જેના સંદર્ભમાં પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી દીપેશભાઈ ટંડેલ અને અન્‍ય પદાધિકારીઓ, વેપારી એસોસિએશનના પ્રમુખ શ્રી શાંતુભાઈ પૂજારી, પાલિકાના સભ્‍ય શ્રી સુમનભાઈ પટેલ વગેરેએ દાનહના કલેક્‍ટર શ્રીમતી ભાનુ પ્રભાની મુલાકાત કરી નગરપાલિકા દ્વારા ગેરકાયદે દબાણ હટાવવાની શરૂ થયેલી કાર્યવાહીની સમીક્ષા કરવા માંગ કરી હતી.
મળતી માહિતી પ્રમાણે દાનહના કલેક્‍ટર શ્રીમતી ભાનુ પ્રભાએ 15 દિવસ સુધી વેપારીઓ વિરૂદ્ધ કોઈ પણ કાર્યવાહી નહીં કરવાનો નિર્દેશ પાલિકા તંત્રને આપ્‍યો હોવાનું જાણવા મળે છે.
અત્રે નોંધનીય છે કે, સેલવાસ શહેરનું સ્‍માર્ટ સીટીમાં રૂપાંતર થઈ રહ્યું છે ત્‍યારે દુકાનદારોએ પણ તેમના દ્વારા જાહેર જગ્‍યા ઉપર થતા દબાણની બાબતમાં પાલિકા તંત્રને સહયોગ આપી ડિમોલીશનની તક જ નહીં આવે તેવી વ્‍યવસ્‍થા કરવી જોઈએ એવી લાગણી પણ વ્‍યક્‍ત થઈ રહી છે.

Related posts

વલસાડ જિલ્લામાં નેશનલ લોક અદાલતમાં કુલ 11201 કેસોનો નિકાલ, કુલ રૂ.13,74,88,539નું સમાધાન કરાયું

vartmanpravah

વાપીમાં 30 જેટલા ટ્રાન્‍સપોર્ટરો સાથે 30 લાખની ઓનલાઈનથી છેતરપિંડી થતા ખળભળાટ મચી ગયો

vartmanpravah

દાનહના સાંસદ કલાબેન ડેલકરે લોકસભામાં સાંસદ પદના લીધેલા શપથઃ પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના ત્રીજા કાર્યકાળમાં દેશવાસીઓના કલ્‍યાણ અને અમૃતકાળના સંકલ્‍પોમાં સહભાગી બનવા બતાવેલી કટિબધ્‍ધતા

vartmanpravah

દાનહ પ્રદેશ યુવક કોંગ્રેસના પૂર્વ અધ્‍યક્ષ કૌશિલ શાહની આદિવાસીની જમીનના મુદ્દે કરેલી છેતરપીંડીના ગુનામાં ધરપકડ

vartmanpravah

સાવધાન…! સેલવાસના ભુરકુડ ફળિયામાં એક ઘરમાં કુરિયર બોયના વેશમાં આવેલ વ્‍યક્‍તિએ હથિયારની અણીએ યુવાનને બંધક બનાવી રોકડ અને દાગીનાની ચલાવેલી લૂંટ

vartmanpravah

વણાકબારા ખાતે મોદી @20 પુસ્‍તકની જાણકારી હેતુ મહારાષ્‍ટ્રના ભાજપાના પ્રદેશ ઉપાધ્‍યક્ષ ચિત્રા વાઘ ની અધ્‍યક્ષતામાં સેમિનારનુ કરાયેલુ આયોજન

vartmanpravah

Leave a Comment