July 18, 2026
Vartman Pravah
Breaking Newsકપરાડાગુજરાતડિસ્ટ્રીકટવલસાડવાપી

મોટાપોંઢા કોલેજમાં વર્ષા ગીતોનો કાર્યક્રમ યોજાયો

(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.૨૨
વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં મોટાપોંઢા ખાતે આવેલી શ્રી મુમ્બાદેવી આર્ટસ એન્ડ શ્રીમતી એસ. આર.ચમારિયા કોમર્સ કૉલેજમાં ચર્ચાસભા તથા ગુજરાતી વિભાગના ઉપક્રમે વર્ષા ગીતોના કાર્યક્રમનું આયોજન થયું હતું.
મોટાપોંઢાની કોલેજના ઇન્ચાર્જ આચાર્ય એસ.યુ.પટેલના અધ્યક્ષપણા હેઠળ આયોજિત આ કાર્યક્રમનું સંચાલન ચર્ચાસભાના પ્રમુખ ડૉ. આશાબેન ગોહિલે કર્યું હતું. 30 જેટલાં વિદ્યાર્થીઓની ઉપસ્થિતિ અને 15 વિદ્યાર્થીઓ દ્વારા સુંદર રીતે વર્ષાગીતોનું ગાન તથા પઠન કરાયું હતું. આપણા આદ્યકવિ નરસિંહ મહેતા, બાલમુકુંદ દવે, પ્રહલાદ પારેખ, ઝવેરચંદ મેઘાણી, નાથાલાલ દવે, પ્રદ્યુમ્ન તન્ના, ત્રિભુવન વ્યાસ, નિલેશ રાણા, રમણભાઈ પટેલ, ભગવતીકુમાર શર્મા, હર્ષ બ્રહ્મભટ્ટ, યોગેશ જોશી ઉષા ઉપાધ્યાય, એષા દાદાવાળા ઈત્યાદિ કવિ – કવયિત્રીઓના વર્ષાગીતો પૂજા મહાકાળ, નિરંજના ગાંવિત, ઈશા માહલા, આરતી કટકીયા, પાયલ કળસરિયા, અનિતા પટેલ, મનીષા પટેલ, અમીષા માલે, પ્રિયા પટેલ, પનીતા રોહિત, બ્રિજલ પટેલ, લલિતા બોચલ, નિકિતા પટેલ, આરતી વરઠા તથા અંકિતા ધંધુકિયા દ્વારા રજૂ કરાયેલા આ ગીતોને વર્ષાઋતુમાં માણવાનો અદભૂત લ્હાવો મળ્યો હતો. ગુજરાતી વિભાગના ડૉ. જે.એમ.સોલંકી, પ્રા. એન.એન.પરમાર તથા ડૉ.આશાબેન ગોહિલની સક્રિય ભૂમિકાથી આ કાર્યક્રમ વરસાદી માહોલમાં વર્ષામય બની ગયો હતો.

Related posts

ચીખલી નજીક થાલામાં ગુજરાત ગેસ દ્વારા ગ્રામ પંચાયતની મંજૂરી વિના ખોદકામ કરાતા સ્‍થાનિકોમાં ભભૂકેલો રોષ

vartmanpravah

ગુજરાતની અન્‍ય ઔદ્યોગિક વસાહતોની સાથે વાપી વી.આઈ.એ. દ્વારા મતદાનના દિવસે કર્મચારીઓની રજા રાખવા જાહેર અપીલ કરાઈ

vartmanpravah

રાજસ્‍થાનમાં દલિત બાળકની પાણી પીવાના મુદ્દે થયેલી હત્‍યાના વિરોધમાં દમણ-દીવ અનુ.જાતિ/જનજાતિ વિચાર મંચ દ્વારા યોજાયેલી વિશાળ મૌન રેલીઃ સમાજના આગેવાનો દ્વારા કલેક્‍ટર ડો. તપસ્‍યા રાઘવને સુપ્રત કરેલું આવેદનપત્ર

vartmanpravah

ધરમપુર વિસ્‍તારમાં મોડી સાંજે ભારે પવન અને ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસ્‍યો

vartmanpravah

કૌંચા ગ્રામ પંચાયતના તમામ ગામોમાં ‘‘સરકાર આપકે દ્વાર” શિબિર યોજાઈ

vartmanpravah

આછવણીના પ્રગટેશ્વરધામની ધજા સાથેની પદયાત્રાનું દમણથી પ્રસ્‍થાન કરાયું : પ્રગટેશ્વર દાદાના પ્રાગટય દિન અવસરે મંદિરના શિખરે ધજા ચઢાવાશે

vartmanpravah

Leave a Comment