April 26, 2024
Vartman Pravah
Breaking Newsગુજરાતપારડીવલસાડવાપી

વાપી નજીકના પંડોરમાં અનોખો અનાવિલ સમાજનો સ્‍નેહ મિલન કાર્યક્રમ યોજાયો

ગામમાંથી વર્ષોથી બહાર સ્‍થાયી થયેલા અનાવિલના 200 ઉપરાંત પરિવારોએ ઉત્‍સાહભેર કાર્યક્રમમાં લીધેલો ભાગ 

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.22
અનાવિલ સમાજ બહુધા વલસાડ જિલ્લામાં વસવાટ કરે છે પરંતુ કાળક્રમે શિક્ષણ અને આર્થિક ઉત્‍પાર્જનમાં સમાજ જિલ્લો છોડી સહિત દેશના ખુણે ખુણે વસવાટ કરવા નિકળી પડયો હતો. ચારથી પાંચ પેઢીના પરિવારો બહાર વસી રહ્યા છે ત્‍યારે એવાપરિવારોને એક તાંતણે જોડવા માટે પંડોર ગામે સોશિયલ મીડિયા ગૃપ દ્વારા અનોખો સ્‍નેહ મિલન સમારોહ યોજાયો હતો.
પંડોર દેસાઈવાડમાં યોજાયેલ અનાવિલ સ્‍નેહ મિલન સમારોહમાં પંડોર ગામના 200 ઉપરાંત પરિવારો જેઓ વર્ષોથી બહાર વસવાટ કરે છે તેમને માટીની મહેક ખેંચી લાવી અને ઉલ્લાસ સભર વાતાવરણમાં સ્‍નેહ મિલન સમારોહ યોજાયો. આજની ત્રીજી કે ચોથી પેઢીએ પંડોર ગામ પણ પહેલી વખત જોયુ હશે તેવા કિસ્‍સા પણ હતા. ધીરુભાઈ નારણભાઈ દેસાઈ, રસીકભાઈ ભીખુભાઈ દેસાઈ, ઉત્તમભાઈ ખંડુભાઈ દેસાઈ તેમજ યજ્ઞેશ અને દિનેશ દેસાઈની અથાગ મહેનત થકી અનાવિલ સ્‍નેહ મિલન સમારોહ સફળ અને સરાહનીય રહ્યો હતો. ગામના આગેવાનોએ આગંતૂક નવી પેઢીના યુવાનોને એકબીજાનો પરિચય કરાવવામાં આવ્‍યો હતો. સમારોહમાં ગામના દિકરાઓ અને ભાણેજ પણ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

રિક્ષામાં દારૂ લઈ જતા ચાલક અને મહિલા કલસર બે માઈલ નજીક ઝડપાયા

vartmanpravah

દાનહમાં 04 કોરોના પોઝિટીવ કેસ નોંધાયા

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે ઘોઘલા-બુચરવાડા ખાતે બની રહેલા પ્રધાનમંત્રી આવાસ યોજનાની કરેલી મુલાકાતઃ ગુણવત્તા અને સુવિધા સુધારવા આપેલું અલ્‍ટીમેટમ

vartmanpravah

સરકારી ઉચ્‍ચત્તર માધ્‍યમિક શાળા બુચરવાડા દીવમાં ‘હિન્‍દી દિવસ’ ઉજવવામાં આવ્‍યો

vartmanpravah

ચીખલીના સાદકપોર ગામે હનુમાન દાદાના મંદિરમાંથી આરસની મૂર્તિ ચોરી

vartmanpravah

વલસાડના મગોદ શાંતિમંદિર ખાતે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો

vartmanpravah

Leave a Comment