Vartman Pravah
Breaking Newsદેશસેલવાસ

દાનહના રખોલી મંડળમાં ‘મન કી બાત’નું સીધુ પ્રસારણ બતાવવામાં આવ્‍યુ઼ : મોટી સંખ્‍યામા લોકો રહ્યા ઉપસ્‍થિત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ,તા.27
દાદરા નગર હવેલીના રખોલી ગામે લાઈવ ‘મન કી બાત’ કાર્યક્રમનું પ્રસારણ બતાવવામાં આવ્‍યું હતું. જેમા પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ જણાવ્‍યું હતું કે, દેશનુ આયુર્વેદ ઉત્‍પાદન આખા વિશ્વમાં પોતાનું સ્‍થાન બનાવી રહ્યુ છે. 400 કરોડના નિર્યાત અંગે પણ મોદીએ વિશેષ ધ્‍યાન આકર્ષિત કર્યું હતું. પ્રધાનમંત્રીએ પ્રદેશના કેટલાક ઉત્‍પાદનોને દુનિયાની મોટી માર્કેટામાં હાલમા ંજોવા મળે એના માટે ખુશી વ્‍યક્‍ત કરી સાથે એમણે જણાવ્‍યું હતું કે, આ કાર્યને આગળ વધારવાનુ છે.
દાનહના રખોલી ગામે આ કાર્યક્રમનું સીધુ પ્રસાર બતાવ્‍યુ હતુ. દાનહ અને દમણ-દીવ ભાજપ પાર્ટીના પ્રદેશ પ્રમુખ શ્રી દીપેશભાઈ ટંડેલે જણાવ્‍યું હતું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ સ્‍પષ્ટ સંદેશ આપ્‍યો છે કે જે દેશને સ્‍વચ્‍છતાથી સ્‍વાસ્‍થ્‍ય સુધી, સાથે વોકલ ફોર લોકલ જેવી વાતો હાલમાં બધે જ જોવા મળી રહી છે. આજ આપણા પુરાતત્‍વ આયુષ યોજનાનેઅમલમા લાવી રહ્યા છે અને આ યોજનાને વિશ્વભરમાં ઘણી પ્રસિદ્ધિ મળી રહી છે. સાથે સાથે એના ઉત્‍પાદનની માંગ વધી રહી છે. આત્‍મનિર્ભર બની લોકો એનુ ઉત્‍પાદન કરી વિશ્વભરમા વેચી રહ્યા છે.
મનકી બાત લાઈવ કાર્યક્રમનું આયોજન રખોલી મંડળના પ્રમુખ શ્રી ધર્મેશભાઈ ઠક્કરે કર્યું હતું. એમણે જણાવ્‍યં હતું કે આપણા વિસ્‍તારમાં વધુમાં વધુ નાના મોટા ઉદ્યોગો છે. આ ઉદ્યોગમાં કામ કરતા શ્રમિકો દેશના વિવિધ રાજયોમાથી આવે છે અને પોતાનો રોજગાર મેળવે છે.
આ અવસરે મહામંત્રી શ્રી મનિષ દેસાઈ, સેલવાસ જિલ્લા પ્રમુખ શ્રી આશિષ ઠક્કર, શ્રી અલ્‍તાફ ખુટલીવાલા, પૂર્વ પ્રદેશ પ્રમુખ શ્રી દિગ્‍વિજયસિંહ પરમાર અને રખોલી મંડળના કાર્યકર્તા અને ગ્રામજનો મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

વાપી નગરપાલિકાની સામાન્‍ય સભા યોજાઈ : ડુંગરામાં એસટીપી પ્‍લાન્‍ટ અને ચલામાં ફાયર સ્‍ટેશન બનશે

vartmanpravah

વાપી ચાર રસ્‍તાથી કરવડ તેમજ ડુંગરા સુધીના 7:9 કિ.મી. ફોર લાઈન આર.સી. રોડ 68:35 કરોડના ખર્ચે બનશે

vartmanpravah

કપરાડા કુંભઘાટમાં સ્‍ટેયરીંગ પર ચાલકે કાબુ ગુમાવતા ટ્રક પલટી મારી ગઈ

vartmanpravah

નહેરુ યુવા કેન્‍દ્ર, વલસાડ દ્વારા ‘કેચ ધ રેઇન’ કાર્યક્રમ અંતર્ગત પાણી સંરક્ષણ અંગે જનજાગૃતિ અભિયાન

vartmanpravah

વાપીમાં વધુ એક વિદ્યાર્થીનું ડેન્‍ગ્‍યુથી મોત

vartmanpravah

શ્રીમદ્દ રાજચંદ્ર મિશન દ્વારા વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે નવનિર્મિત રાજસભાગૃહને ખૂલ્લું મૂકતા રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ

vartmanpravah

Leave a Comment