April 29, 2024
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદેશ

શ્રી દમણ જિલ્લા કોળી પટેલ સમાજના સોમનાથ ભવન ખાતે ચાલી રહેલ શ્રીમદ્‌ ભાગવત કથાના ત્રીજા દિવસે અર્પિત, તર્પિત અનેસમર્પિત આ ત્રણેય ભાવ ભારતીય યજ્ઞ સંસ્‍કૃતિમાં સમાયેલા છેઃ કથાકાર પ્રફુલભાઈ શુક્‍લ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.05 : ‘યજ્ઞથી જીવનમાં તેજ આવે છે’ આ શબ્‍દો આજે કથાકાર પૂ.શ્રી પ્રફુલભાઈ શુક્‍લએ દમણ-દીવના પૂર્વ સાંસદ સ્‍વ. ડાહ્યાભાઈ પટેલના સ્‍મરણાર્થે ચાલી રહેલ શ્રીમદ્‌ ભાગવત કથાના અનુસંધાને મુખ્‍ય યજમાન શ્રી જીગ્નેશભાઈ ડાહ્યાભાઈ પટેલના નિવાસે ચાલી રહેલા ભાગવત દશાંશ યજ્ઞ પ્રસંગે ઉચાર્યા હતા. આ પ્રસંગે ભાગવત દશાંશ યજ્ઞનું મહત્‍વ સમજાવતા કથાકાર પૂ. શ્રી પ્રફુલભાઈ શુક્‍લએ જણાવ્‍યું હતું કે ‘યજ્ઞ એ ભારતીય સંસ્‍કૃતિની પરંપરા છે, યજ્ઞથી વરસાદ આવે છે અને વરસાદથી ધાન્‍ય પાકે છે.’ શ્રી બાપુએ જણાવ્‍યું હતું કે, ‘અર્પિત, તર્પિત અને સમર્પિત આ ત્રણેય ભાવ ભારતીય યજ્ઞ સંસ્‍કૃતિમાં સમયેલા છે, જે ઘરમાં યજ્ઞ નથી થતાં, પિતૃઓના સ્‍મરણ તેમજ તર્પણ નથી થતા એ ઘર ઘર નથી પણ સ્‍મશાન છે.
આજે શ્રીમદ્‌ ભાગવત કથાના મુખ્‍ય યજમાન શ્રી જીગ્નેશભાઈ ડાહ્યાભાઈ પટેલ, શ્રીમતી હેતાક્ષીબેન જીગ્નેશભાઈ પટેલ(સરપંચ-ઘેલવાડ), ગં.સ્‍વ. ચંચળબેન ડાહ્યાભાઈ પટેલ, શ્રીમતી જાગૃતિબેન ડાહ્યાભાઈ પટેલના યજમાન પદે આચાર્ય શ્રી ચેતનભાઈ જોષી(ભીમપોર), શ્રી કિશન દવે તેમજ વિપ્ર વૃંદ દ્વારા રાષ્‍ટ્ર સૂક્‍તમનો પાઠ કરવામાં આવ્‍યો હતો.
આજના યજ્ઞપ્રસંગમાં શ્રી મહેશભાઈ પટેલ, શ્રીમતી જાસ્‍મીન મહેશભાઈ પટેલ, શ્રી જગનભાઈ કે. પટેલ, શ્રી અશોકભાઈ પી. પટેલ, શ્રીમતી ભાવિનીબેન એ. પટેલ, શ્રી સંજયભાઈ પટેલ, શ્રસ અમરતભાઈ પટેલ(દાભેલ), શ્રી અશોકભાઈ એમ. પટેલ, શ્રી નવીનભાઈ પંડયા(પારડી), શ્રી મિશાલ જી. પટેલ, શ્રીમતી અશ્વિના એમ. પટેલ, શ્રીમતી રીમાબેન એમ. પટેલ, શ્રીમતી ઝંખનાબેન પટેલ અને શ્રી રિકેન પટેલ ઉપસ્‍થિત રહીને યજ્ઞમાં આહૂતિ આપી હતી. શ્રીમદ્‌ ભાગવત કથામાં શ્રી દમણ જિલ્લા કોળી પટેલ સમાજના ટ્રસ્‍ટી શ્રી જયંતીભાઈ પટેલ, ઉપ પ્રમુખ શ્રી ઉમેશભાઈ પટેલ, સચિવ શ્રી કાંતિભાઈ, ખજાનચી શ્રી રમેશભાઈ માસ્‍ટર, શ્રી ઈશ્વરભાઈ પટેલ અને શ્રી બાબુભાઈ પટેલ(ભેંસરોડ)એ વિશેષ મહેમાન તરીકે ઉપસ્‍થિત રહેલા દમણ નગરપાલિકા પ્રમુખ શ્રી અસ્‍પી દમણિયા, દમણ ઇન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએસનના પ્રમુખ શ્રી સત્‍યેન્‍દ્ર કુમાર અને શ્રી બબુસિંગનું સન્‍માન કર્યું હતું. શ્રી હરીશભાઈ પટેલની આગેવાનીમાં આવતી કાલે કથામાં ભાગવત કથાના મુખ્‍ય ઉત્‍સવ શ્રી કૃષ્‍ણ જન્‍મોત્‍સવની ભવ્‍ય ઉજવણી કરવામાં આવનાર છે જેની તૈયારીઓ આયોજકો થઈ રહી હોવાની જાણકારી શ્રી દમણ જિલ્લા કોળી પટેલ સમાજના મીડિયા પ્રભારી શ્રી ઉપેન્‍દ્ર કેશવે આપી હતી.

Related posts

છરવાડા અંડરપાસ હાઈવે ફલાય ઓવરબ્રિજ ટ્રાયલ માટે સોમવારે ખુલ્લો મુકાયો

vartmanpravah

પ્રદેશ પ્રભારી વિનોદ સોનકરની ઉપસ્‍થિતિમાં ખરડપાડાના સરપંચ દામુભાઈ બડઘા સહિત તમામ સભ્‍યોએ બાંધેલી ભાજપની કંઠીઃ વિકાસની રાજનીતિ ઉપર મહોર

vartmanpravah

ત્રણ રાજ્‍યની ચૂંટણીમાં ભાજપની ભવ્‍ય જીત થતા ચીખલી ચાર રસ્‍તા ઓવરબ્રિજ નીચે ભાજપ કાર્યકર્તાઓએ ફટાકડા ફોડી વિજય ઉત્‍સવ મનાવ્‍યો

vartmanpravah

ચીખલીના હરણગામ કાવેરી નદી પરના બ્રિજના પિલ્લરોમાં તિરાડ અને સળિયા દેખાતા મરામત માટે ઉઠેલી માંગ

vartmanpravah

વાપી બલીઠામાં છેલબટાઉ યુવકને ચાલુ કારમાં મોબાઈલમાં સ્‍નેપ ચેટીંગ ભારે પડયુ, કાર છ ફૂટ ઉછળી

vartmanpravah

પ્રદેશમાં કોરોનાના કેસો વધતા સંઘપ્રદેશમાં ધો.1થી 8 અને પૂર્વ પ્રાથમિક શાળાઓ બંધ કરવાનો આદેશ : ઓનલાઈન ક્‍લાસો ચાલશે

vartmanpravah

Leave a Comment