December 1, 2025
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદેશ

શ્રી દમણ જિલ્લા કોળી પટેલ સમાજના સોમનાથ ભવન ખાતે ચાલી રહેલ શ્રીમદ્‌ ભાગવત કથાના ત્રીજા દિવસે અર્પિત, તર્પિત અનેસમર્પિત આ ત્રણેય ભાવ ભારતીય યજ્ઞ સંસ્‍કૃતિમાં સમાયેલા છેઃ કથાકાર પ્રફુલભાઈ શુક્‍લ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.05 : ‘યજ્ઞથી જીવનમાં તેજ આવે છે’ આ શબ્‍દો આજે કથાકાર પૂ.શ્રી પ્રફુલભાઈ શુક્‍લએ દમણ-દીવના પૂર્વ સાંસદ સ્‍વ. ડાહ્યાભાઈ પટેલના સ્‍મરણાર્થે ચાલી રહેલ શ્રીમદ્‌ ભાગવત કથાના અનુસંધાને મુખ્‍ય યજમાન શ્રી જીગ્નેશભાઈ ડાહ્યાભાઈ પટેલના નિવાસે ચાલી રહેલા ભાગવત દશાંશ યજ્ઞ પ્રસંગે ઉચાર્યા હતા. આ પ્રસંગે ભાગવત દશાંશ યજ્ઞનું મહત્‍વ સમજાવતા કથાકાર પૂ. શ્રી પ્રફુલભાઈ શુક્‍લએ જણાવ્‍યું હતું કે ‘યજ્ઞ એ ભારતીય સંસ્‍કૃતિની પરંપરા છે, યજ્ઞથી વરસાદ આવે છે અને વરસાદથી ધાન્‍ય પાકે છે.’ શ્રી બાપુએ જણાવ્‍યું હતું કે, ‘અર્પિત, તર્પિત અને સમર્પિત આ ત્રણેય ભાવ ભારતીય યજ્ઞ સંસ્‍કૃતિમાં સમયેલા છે, જે ઘરમાં યજ્ઞ નથી થતાં, પિતૃઓના સ્‍મરણ તેમજ તર્પણ નથી થતા એ ઘર ઘર નથી પણ સ્‍મશાન છે.
આજે શ્રીમદ્‌ ભાગવત કથાના મુખ્‍ય યજમાન શ્રી જીગ્નેશભાઈ ડાહ્યાભાઈ પટેલ, શ્રીમતી હેતાક્ષીબેન જીગ્નેશભાઈ પટેલ(સરપંચ-ઘેલવાડ), ગં.સ્‍વ. ચંચળબેન ડાહ્યાભાઈ પટેલ, શ્રીમતી જાગૃતિબેન ડાહ્યાભાઈ પટેલના યજમાન પદે આચાર્ય શ્રી ચેતનભાઈ જોષી(ભીમપોર), શ્રી કિશન દવે તેમજ વિપ્ર વૃંદ દ્વારા રાષ્‍ટ્ર સૂક્‍તમનો પાઠ કરવામાં આવ્‍યો હતો.
આજના યજ્ઞપ્રસંગમાં શ્રી મહેશભાઈ પટેલ, શ્રીમતી જાસ્‍મીન મહેશભાઈ પટેલ, શ્રી જગનભાઈ કે. પટેલ, શ્રી અશોકભાઈ પી. પટેલ, શ્રીમતી ભાવિનીબેન એ. પટેલ, શ્રી સંજયભાઈ પટેલ, શ્રસ અમરતભાઈ પટેલ(દાભેલ), શ્રી અશોકભાઈ એમ. પટેલ, શ્રી નવીનભાઈ પંડયા(પારડી), શ્રી મિશાલ જી. પટેલ, શ્રીમતી અશ્વિના એમ. પટેલ, શ્રીમતી રીમાબેન એમ. પટેલ, શ્રીમતી ઝંખનાબેન પટેલ અને શ્રી રિકેન પટેલ ઉપસ્‍થિત રહીને યજ્ઞમાં આહૂતિ આપી હતી. શ્રીમદ્‌ ભાગવત કથામાં શ્રી દમણ જિલ્લા કોળી પટેલ સમાજના ટ્રસ્‍ટી શ્રી જયંતીભાઈ પટેલ, ઉપ પ્રમુખ શ્રી ઉમેશભાઈ પટેલ, સચિવ શ્રી કાંતિભાઈ, ખજાનચી શ્રી રમેશભાઈ માસ્‍ટર, શ્રી ઈશ્વરભાઈ પટેલ અને શ્રી બાબુભાઈ પટેલ(ભેંસરોડ)એ વિશેષ મહેમાન તરીકે ઉપસ્‍થિત રહેલા દમણ નગરપાલિકા પ્રમુખ શ્રી અસ્‍પી દમણિયા, દમણ ઇન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએસનના પ્રમુખ શ્રી સત્‍યેન્‍દ્ર કુમાર અને શ્રી બબુસિંગનું સન્‍માન કર્યું હતું. શ્રી હરીશભાઈ પટેલની આગેવાનીમાં આવતી કાલે કથામાં ભાગવત કથાના મુખ્‍ય ઉત્‍સવ શ્રી કૃષ્‍ણ જન્‍મોત્‍સવની ભવ્‍ય ઉજવણી કરવામાં આવનાર છે જેની તૈયારીઓ આયોજકો થઈ રહી હોવાની જાણકારી શ્રી દમણ જિલ્લા કોળી પટેલ સમાજના મીડિયા પ્રભારી શ્રી ઉપેન્‍દ્ર કેશવે આપી હતી.

Related posts

ચીખલીના વંકાલ મોખામાં યોજાયેલ ક્રિકેટ ટૂર્નામેન્‍ટમાં માધવ ઈલેવન ચેમ્‍પિયન અને રનર્સઅપ તરીકે યશ્ચિ ઈલેવન આવતા બંને ટીમોને ટ્રોફી એનાયત કરાઈ

vartmanpravah

દાનહ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર બનતા કલાબેન ડેલકરઃ ડેલકર જૂથના કાર્યકર્તાઓમાં આનંદની લહેર: વરસોથી ભાજપને વફાદાર રહેલા સંનિષ્‍ઠ કાર્યકરો હતાશ

vartmanpravah

મગરવાડા ગૃપ ગ્રામ પંચાયત વિસ્‍તારના વોર્ડ નંબર 3માં ‘આઝાદી કા અમૃત મહોત્‍સવ અંતર્ગત’ ‘હર ઘર તિરંગા’ અભિયાનને સફળ બનાવવા અંગે રાત્રિ ચોપાલનું આયોજન

vartmanpravah

વલસાડ કોસંબાના મધ દરિયામાં શંકાસ્‍પદ બોટ મળી આવી : પોલીસ અને કોસ્‍ટગાર્ડની દોડધામ

vartmanpravah

સેલવાસ દત્તકગ્રહણ સંસ્‍થા ખાતે કલેક્‍ટરના હસ્‍તે બાળકને દત્તક આપવાની પૂર્ણ થયેલી વિધિ

vartmanpravah

પ્રદેશ ભાજપ પ્રમુખ દીપેશભાઈ ટંડેલ, દમણ જિ.પં. ઉપ પ્રમુખ મૈત્રીબેન પટેલ સહિત અનેક મહાનુભાવોએ શિવ કથાનો લીધેલો લાભ

vartmanpravah

Leave a Comment