January 17, 2026
Vartman Pravah
Breaking Newsકપરાડાગુજરાતવલસાડ

‘સાંસદ આદર્શ ગ્રામ’ કપરાડા તાલુકાના રાહોર ગામના વિકાસ માટે વલસાડ કલેક્‍ટરશ્રી ક્ષિપ્રા આગ્રેના અધ્‍યક્ષસ્‍થાને બેઠક યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.31
વલસાડ જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેના અધ્‍યક્ષસ્‍થાને કપરાડા તાલુકાના રાહોર ગામે સાંસદ આદર્શ ગ્રામ યોજના અંતર્ગત રાહોર ગામના વિકાસ માટે બેઠક યોજાવામાં આવી હતી.
આ બેઠકમાં કલેકટરશ્રીને રાહોર ગામના વિકાસ માટે કપરાડા તાલુકા પંચાયતના પ્રમુખશ્રી મોહનભાઇ ગરેલ, જિ. પં. વલસાડના સભ્‍ય શ્રીમતી મીનાક્ષીબેન ગાંગોડા, તાલુકા પંચાયત સદસ્‍યશ્રી ગોપાળભાઈ ગાયકવાડ તેમજ ગામના સરપંચ શ્રીમતી કલ્‍પનાબેન સાનકરાની રજૂઆતો અને સમસ્‍યાઓથી વાકેફ કરવામાં આવ્‍યા હતા.
જિલ્લા કલેકટરશ્રીએ આ ગામમાં ગામના લોકો માટે તેમની પાયાની મૂળભૂત જરૂરિયાતો પાણી, વીજળી અને શિક્ષણની હાલની સ્‍થિતિને ઘ્‍યાને લઇ બેઠકમાં જરૂરી સમીક્ષા કરી હતી. આ બેઠકમાં કલેકટરશ્રીએ રાહોર ગામનો સાક્ષરતા દર 50 ટકા છે તેમાં પુરૂષોનો સાક્ષરતા દર 59.20 ટકા અનેસ્ત્રીઓના સાક્ષરતા દર 40.61 ટકા જે ઓછો છે તેને વધારવા, ગામમાં ધો. 1 થી 8 સુધીની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માટે હાલમાં જે 3 રૂમો છે તેને વધારવા માટે જિલ્‍લાના પ્રાથમિક શિક્ષણ વિભાગના અધિકારીઓને જરૂરી વ્‍યવસ્‍થા કરવા માટેસૂચના આપી હતી. આજ રીતે ગામમાં બી. પી. એલ. કુટુંબોની વિગતો જાણી તેમને રાજય સરકારની બી. પી. એલ. વર્ગના લોકોને મળતી યોજનાઓ લાભો તેમને પહોંચાડવા માટે જરૂરી આયોજન કપરાડા તાલુકા વિકાસ અધિકારીને કરવા માટે જણાવ્‍યું હતું. કલેકટરશ્રીએ રાહોરની આંગણવાડીની મુલાકાત લીધી હતી અને આંગણવાડીનું મકાન જર્જરિત હોઇ આ મકાનના રીનોવેશન માટે, પાણીની સુવિધા, રોડ અને શૌચાલય નથી તે માટેની જરૂરી કાર્યવાહી કરવા માટે આઇ. સી. ડી. એસ. વિભાગને સૂચના આપી હતી. ગામના લોકો માટે ચેકડેમની સુવિધા માટે સિંચાઇ વિભાગને ટ્રાયબલની ગ્રાન્‍ટમાંથી જરૂરી દરખાસ્‍ત કરવા માટે સૂચન કર્યુ હતું.
વાસ્‍મો દ્વારા અસ્‍ટોલ પાણી પુરવઠા યોજના દ્વારા ગામના લોકોને જરૂરી પાણી પહોંચાડવા માટેનું ટેસ્‍ટીંગ ચાલી રહ્યું છે આ ટેસ્‍ટીંગની કામગીરી પૂર્ણ થાય બાદ ગામના લોકોને પીવાનું પાણી સરકારશ્રીની ‘નલ સે જલ’ યોજના મારફત પૂરૂ પાડવામાં આવશે તેની પણ સમીક્ષા કરી હતી. બોરપાડા અને ટોકરપાડાના ગ્રામ્‍યજનોએ આ તબક્કે જણાવ્‍યું હતું કે, જયારે આ ગામના લોકો બિમાર પડે તો તેમને સુથારપાડાના સામૂહિક આરોગ્‍ય કેન્‍દ્ર ખાતે જવું પડતું હોવાથી તેમને માની ખાતે સબ સેન્‍ટર શરૂ કરવા માટે જરૂરી રજૂઆત કરી હતી અને શક્‍ય હોય તો માનીગામ ખાતે 108 ની સુવિધા કાયમ માટે મળી રહે તેવી વ્‍યવસ્‍થા કરવા માટે જણાવતા આ બાબતે કલેકટરશ્રીએ યોગ્‍ય વ્‍યવસ્‍થા કરવા માટે આરોગ્‍ય વિભાગને જણાવ્‍યું હતું. આજ પ્રમાણે ટોકરપાડા ખાતે ખનકી આવેલ છે જ્‍યાં ગામના લોકોને અવરજવર માટે ચોમાસામાં તકલીફ પડતી હોય ત્‍યાં અવરજવર માટે કોઝવે બનાવવા માટે તેમજ આ ગામના લોકોને દૈનિક અવર જવર માટે બસનો રૂટ છે તે તેમના ટોકરપાડા ન જતી હોઇ, ત્‍યાં સુધી બસ લંબાવવા માટે રજૂઆત કરી હતી. જેનો યોગ્‍ય ઉકેલ માટે એસ. ટી. વિભાગને જરૂરી કાર્યવાહી કરવા માટે જણાવ્‍યું હતું. આજ પ્રમાણે વનવિભાગ દ્વારા તેમને આંબાકલમ અને કાજુના બિયારણ આપવામાં આવે છે તેની વિગતો જાણી હતી. ગામના લોકોને મનરેગા હેઠળ રોજગારી આપવા માટે જિલ્‍લા ગ્રામવિકાસ એજન્‍સીને જણાવ્‍યું હતું. ગામના પશુપાલકો માટે પશુઓના કેમ્‍પો કરવામાં આવે તે બાબતે પશુપાલન ખાતાને જણાવ્‍યું હતું. ખેતીવાડી વિભાગે ટ્રાયબલની ગ્રાન્‍ટમાંથી 46 તાડપત્રી, ભાત ઉણપવાના 6 પંખા તેમજ ચોમાસામાં ડાંગર અને નાગલીનું બિયારણ આપવામાં આવે છે તેમ જણાવ્‍યું હતું. ખેતીવાડી વિભાગને તેમના વિભાગની યોજનાઓનો લાભ આપવા અને બાગાયત વિભાગને પણ તેમની યોજનાઓનો લાભ ગામના લોકોને મળી રહે તે જોવા માટે અનુરોધકર્યો હતો.
તાલુકા પંચાયતના માર્ગ અને મકાન વિભાગને ગામમાં જ્‍યાં રસ્‍તાની સુવિધાની જરૂર હોય ત્‍યાં રસ્‍તાની સુવિધા પુરી પાડવા માટે જણાવ્‍યું હતું. ગામમાં વીજળીકરણ થયેલ છે પણ ખેતી માટેના જેમના વીજજોડાણ બાકી છે તેવા ખેડૂતોને જરૂરી વીજજોડાણો આપવા માટે કાર્યવાહી કરવા માટે દક્ષિણ ગુજરાત વીજ કંપનીના અધિકારીઓને જરૂરી સૂચના આપી હતી. કલેક્‍ટરશ્રીએ આ તમામ અધિકારીઓને તેમના વિભાગ હેઠળ થયેલ કામગીરીનો રિપોર્ટ આગામી જિલ્‍લા સંકલન બેઠકમાં રજૂ કરવા સૂચના આપી હતી.
આ બેઠકમાં ધરમપુર પ્રાંત અધિકારી કેતુલ ઇટાલિયા, કપરાડા તાલુકા વિકાસ અધિકારી ગાયકવાડ, કપરાડા મામલતદાર એ. પી. રાણા, કપરાડા તાલુકાના શિક્ષણ, આઇ. સી. ડી. એસ., ખેતીવાડી, પાણી પુરવઠા, વાસ્‍મો, બાગાયત, વન વિભાગ, જિલ્લા ગ્રામવિકાસ એજન્‍સી તેમજ તલાટી કમ મંત્રી શિંદા, કપરાડા તાલુકાના સંબધિત વિભાગના અધિકારીઓ તેમજ રાહોર અને પીપરોટી ગામના ગ્રામજનો હાજર રહ્યા હતા.

Related posts

વલસાડમાંટુવ્‍હિલર ચોરતી ગેંગ ઝડપાઈઃ ચોરી કરેલા વાહનો એક દુકાનમાં રખાયા હતા

vartmanpravah

રાજસ્‍થાન, છત્તિસગઢ અને મધ્‍ય પ્રદેશમાં ભાજપને મળેલા ઐતિહાસિક પ્રચંડ વિજય બદલ: દમણમાં પ્રદેશ ભાજપ દ્વારા મનાવવામાં આવ્‍યો વિજયોત્‍સવ

vartmanpravah

નવસારી જિલ્લાના જિલ્લા નિરીક્ષક જમીન દફતર કચેરીનો અંધેર વહીવટ :અરજીઓનો સમય વિતવા છતાં વંકાલ ગામના તળાવ સહિત ખેડૂતોના ખેતરની હદ માપણી માટે અરજદારોએ ધક્કા ખાવાની પડેલી નોબત

vartmanpravah

લક્ષદ્વીપના જિલ્લા અને ગ્રામ પંચાયતના પ્રતિનિધિ મંડળે દમણ જિલ્લા પંચાયતની લીધેલી મુલાકાત પેટાઃ બંને કેન્‍દ્ર શાસિત પ્રદેશોના વિકાસની થયેલી ચર્ચાઃ મોદી સરકારના આગમન બાદ પ્રશાસક પ્રફુલભાઈ પટેલના નેતૃત્‍વમાં દાદરા નગર હવેલી અને દમણ-દીવનો દરેક ક્ષેત્રે થયેલો અકલ્‍પનીય વિકાસ પેટાઃ પ્રશાસક પ્રફુલભાઈ પટેલના નેતૃત્‍વમાં લક્ષદ્વીપના લકને પણ ચાર ચાંદ લાગી રહ્યા હોવાનું લક્ષદ્વીપના પ્રતિનિધિ મંડળનું મંતવ્‍ય (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.24 આજે કેન્‍દ્ર શાસિત પ્રદેશ લક્ષદ્વીપના જિલ્લા પંચાયત અને ગ્રામ પંચાયતના પ્રતિનિધિ મંડળે દમણની મુલાકાત લીધી હતી અને સાંજે દમણ જિલ્લા પંચાયત ખાતે સરપંચો અને જિલ્લા પંચાયત સભ્‍યો સાથે વિચારોનું આદાન-પ્રદાન પણ કરાયું હતું. દમણ જિલ્લા પંચાયત ખાતે લક્ષદ્વીપ અને દમણના જિલ્લા પંચાયત તથા સરપંચો સાથે આયોજીત બેઠકનું નેતૃત્‍વ દમણ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી નવિનભાઈ પટેલે કર્યું હતું. દમણ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી નવિનભાઈ પટેલે લક્ષદ્વીપના પ્રમુખ અને ચીફ કાઉન્‍સેલર શ્રી હસન બોડુમુકાગોથી સહિત અન્‍ય 19 સભ્‍યોનું અભિવાદન કરતા પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીની કૃપાદૃષ્‍ટિથી પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના કઠોર પરિશ્રમથી દમણ-દીવ અને દાદરા નગર હવેલીના થયેલા સર્વાંગીવિકાસની ઝલક પ્રસ્‍તુત કરી હતી. તેમણે દમણના થયેલા પ્રવાસન અને શૈક્ષણિક વિકાસની પણ ગાથા જણાવી હતી. આ પ્રસંગે દમણના વિવિધ સરપંચો અને જિલ્લા પંચાયત સભ્‍યોએ પણ દાદરા નગર હવેલી અને દમણ-દીવના થયેલા સર્વાંગી વિકાસ પાછળ પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના અથાક પરિશ્રમ અને તેમની દીર્ઘદૃષ્‍ટિને શ્રેય આપ્‍યો હતો. સભ્‍યોએ ભારપૂર્વક જણાવ્‍યું હતું કે, જ્‍યારે પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ પ્રદેશના વિકાસની બ્‍લ્‍યુપ્રિન્‍ટ બતાવતા હતા ત્‍યારે કોઈને કલ્‍પના પણ નહીં હતી કે, આવા ટચૂકડા કેન્‍દ્ર શાસિત પ્રદેશમાં શિક્ષણ, સંસ્‍કાર, પ્રવાસન ઉદ્યોગ, મચ્‍છીમારી, ઉદ્યોગ સહિત દરેક ક્ષેત્રે સુપ્રિમ કક્ષાનો વિકાસ થશે. આ પ્રસંગે લક્ષદ્વીપના પ્રતિનિધિ મંડળે પણ દમણની એન્‍જિનિયરીંગ કોલેજ, બીચ રોડ, સ્‍કૂલ વગેરેની કરેલી મુલાકાતથી ખુબ જ પ્રભાવિત થયા હતા અને તેઓએ પણ વિશ્વાસ વ્‍યક્‍ત કર્યો હતો કે, પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના નેતૃત્‍વમાં લક્ષદ્વીપના લકને પણ ચાર ચાંદ લાગી રહ્યા છે. તેઓએ દમણના જિલ્લા પંચાયતના સભ્‍યો અને સરપંચોને લક્ષદ્વીપ આવવાનું આમંત્રણ પણ પાઠવ્‍યું હતું. આ કાર્યક્રમમાં દમણ જિલ્લા પંચાયતના સભ્‍યો અને સરપંચો મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા.

vartmanpravah

દાનહ ‘આદિવાસી એકતા પરિષદ’ દ્વારા જન નાયક બિરસા મુંડાના જન્‍મોત્‍સવ અવસરે ભવ્‍ય રેલીનું આયોજન

vartmanpravah

ભારતને વિકસિત રાષ્‍ટ્ર બનાવવા વલસાડ જિલ્લા કલેક્‍ટર નૈમેષ દવે સહિત અધિકારી-કર્મચારીઓએ શપથ લીધા

vartmanpravah

Leave a Comment