September 3, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટનવસારીપારડીવલસાડવાપી

પ્રધાનમંત્રી કિસાન સન્માાનનિધિ યોજના e–KYC અને આધાર સીડિંગ ફરજિયાત

વલસાડ તા.૦૭: વલસાડ જિલ્લાના પ્રધાનમંત્રી કિસાન સન્માનનિધિ યોજના અંતર્ગત જોડાયેલા અને લાભ લેતા ખેડૂતોને આગામી હપ્તાની સહાય મેળવવા માટે ‘‘આધાર e–KYC” અને ‘‘આધાર સીડિંગ” ફરજિયાત છે. આ કામગીરી તા. ૧૧ થી તા. ૨૧ મી એપ્રિલ, ૨૦૨૨ દરમિયાન ઝુંબેશના રૂપે હાથ ધરવામાં આવનાર હોઇ ઉકત સમયગાળા દરમિયાન ખેડૂત મિત્રોએ સંબંધિત ગામના તલાટી કમ મંત્રી, ગ્રામ સેવક તથા વી.એલ.ઇ.નો સંપર્ક કરવાનો રહેશે.
આ કામ લાભાર્થી પોતે પણ કરી શકે છે. જે માટે ૧. OTP મોડ દ્વારા પીએમ કિસાન પોર્ટલ https://pmkisan.gov.in/aadharekyc.aspx લીંક મારફત અથવા પીએમ કિસાન એપ ઉપરથી લાભાર્થીઓ આધાર e–KYC કરી શકાશે. અથવા બાયોમેટ્રિક ઓથેન્ટીફીકેશન સુવિધા કોમન સર્વિસ સેન્ટવર (CSC) માં જઇ લાભાર્થી આધાર e–KYC કરાવી શકશે, જેનો ચાર્જ રૂ. ૧૫ લાભાર્થીએ આપવાનો રહેશે. ર. પીએમ કિસાન પોર્ટલ આધાર e–KYC કરવા માટે https://pmkisan.gov.in પોર્ટલ પર Farmers corner માં આપેલ ઓપ્શ ન e–KYC ઉપર ક્લીક કરી લાભાર્થીએ પોતાનો આધાર નંબર અને મોબાઇલ નંબર દાખલ કરી Get Mobile OTP પર ક્લી ક કરવાનું થાય છે, ત્યાકરબાદ Mobile OTP દાખલ કરી Get Aadhar OTP પર ક્લી ક કરવુ જેથી, આધાર સાથે મોબાઇલ નંબર લીંક હશે તે નંબર પર Aadhar OTP આવશે. Aadhar Registered Mobile OTP દાખલ કરી Submit for Auth બટન પર ક્લીક કરતાં e-KYC is Successfully Submitted ડિસ્પ્લે થાય ત્યારે પ્રોસેસ પૂર્ણ થશે.
પીએમ કિસાન યોજનામાં લાભાર્થી ખેડૂતોને આગામી એપ્રિલ, ૨૦૨૨ થી યોજનાનો લાભ ‘‘આધાર બેઝડ‘‘ પેમેન્ટ એટલે કે લાભાર્થીનું જે બેંક એકાઉન્ટી આધારકાર્ડ સાથે લીંક કરેલ હશે, તેમાં આપવામાં આવશે. આથી, જે લાભાર્થીઓના બેંક એકાઉન્ટર આધારકાર્ડ સાથે સીડિંગ કરવામાં આવ્યા્ ન હોય તે તમામ લાભાર્થીઓનું આધાર સીડિંગ કરાવવા માટે લાભાર્થીએ બેંકનો સંપર્ક કરવાનો રહેશે, એમ જિલ્લા ખેતીવાડી અધિકારી, વલસાડ દ્વારા જણાવાયું છે.

Related posts

પ્રવાસનમંત્રી પૂર્ણેશ મોદીના હસ્‍‍તે પારનેરા ડુંગર ખાતે રૂ.૧.૪૬ કરોડના ખર્ચે વિકસાવાયેલી સુવિધાઓનું લોકાર્પણ કરાયું

vartmanpravah

રાજ્‍યના નાણાંમંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે પારડી નગર પાલિકા હદ વિસ્‍તારમાં રૂા. 9 કરોડથી વધુના વિકાસના કામોનું કરાયેલું ખાતમુહૂર્ત

vartmanpravah

વલસાડ મધ્‍યમાં આવેલા 120 આવાસનો 50 ફૂટ લાંબો સ્‍લેબ તૂટી પડતા દોડધામ મચી ઉઠી

vartmanpravah

ચીખલી તાલુકા સેવાસદનમાં ભર ઉનાળે પીવાના પાણીના કુલરો બંધ હાલતમાં

vartmanpravah

અષાઢી બીજ અને રથયાત્રાના પાવન પર્વે વાપી ઈસ્‍કોન મંદિર દ્વારા આયોજીત જગન્નાથ મંદિરે ભગવાન જગન્નાથજીના દર્શન કરી આશીર્વાદ લેતા ગુજરાતના કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ

vartmanpravah

દમણવાડા ગ્રા.પં.ની લાઈબ્રેરીની મુલાકાત લેતા ભાજપના રાષ્‍ટ્રીય મહામંત્રી કૈલાશ વિજયવર્ગીય, સાંસદ વિનય સહસ્ત્રબુદ્ધે તથા કેન્‍દ્રિય પંચાયતી રાજ રાજ્‍યમંત્રી કપિલ મોરેશ્વર પાટીલ

vartmanpravah

Leave a Comment