Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

સેલવાસની વૃંદાવન સોસાયટી ખાતે શ્રીમદ્‌ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો શુભારંભ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.03

સેલવાસની વૃંદાવન સોસાયટી ખાતે ચૈત્ર માહિનામાં સમસ્‍ત પિતૃઓના મોક્ષાર્થે શ્રીમદ્‌ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ અને દેવી ચરિત્રનો શુભારંભ શ્રી હેમેન્‍દ્રસિંહ ચંદ્રસિંહ સુરમાના નિવાસસ્‍થાનેથી કળશયાત્રા કાઢવામાં આવી હતી, જે કથા સ્‍થળે પહોંચી હતી. જેમાં મોટી સંખ્‍યામાં ભાવિકભક્‍તો જોડાયા હતા. પોથીયાત્રા બાદ શ્રીમદ્‌ ભાગવત કથાનો શુભારંભ કરવામાં આવ્‍યો હતો. આ ભાગવત કથા પૂ. શ્રી દેવુભાઈ જોષી-ખેરગામવાળાની મધુર વાણીમાં રસપાન કરાવવામાં આવી રહી છે. કથાનો સમય બપોરે ત્રણ વાગ્‍યાથી સાંજે છ વાગ્‍યા દરમ્‍યાનનો રહેશે. કથાનો વિરામ તા.8 એપ્રિલ, 2022 રોજ કરાશે. આ શ્રીમદ્‌ ભાગવત કથાનો લાભ લેવા માટે ભાવિક ભક્‍તોને ભાવભર્યું આમંત્રણ આપવામાં આવ્‍યુ છે.

Related posts

રાજસ્‍થાન, છત્તિસગઢ અને મધ્‍ય પ્રદેશમાં ભાજપને મળેલા ઐતિહાસિક પ્રચંડ વિજય બદલ: દમણમાં પ્રદેશ ભાજપ દ્વારા મનાવવામાં આવ્‍યો વિજયોત્‍સવ

vartmanpravah

દીવમાં જલારામ જયંતીની ભવ્‍ય ઉજવણી

vartmanpravah

મહાશિવરાત્રી નિમિત્તે સંઘપ્રદેશના શિવાલયોમાં ભક્‍તોની ઉમટેલી ભીડઃ હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠેલા શિવાલયો

vartmanpravah

શીતળા સાતમ વ્રત નિમિતે દાનહમાં મહિલાઓએ કરેલી પૂજા-અર્ચના

vartmanpravah

પ્રદેશ ભાજપ મહિલા મોર્ચાએ સામાજીક ન્‍યાય સપ્તાહ અંતર્ગત દમણના તીન બત્તી નજીક જલારામ મંદિરના પ્રાંગણમાં મહિલાઓએ ચલાવેલું સ્‍વચ્‍છતા અભિયાન

vartmanpravah

નવરાત્રીને લઈ પારનેરા ડુંગર ઉપર માતાજીના દર્શન માટે રોજ હજારો ભાવિકો ઉમટી રહ્યા છે

vartmanpravah

Leave a Comment