April 18, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

સેલવાસની વૃંદાવન સોસાયટી ખાતે શ્રીમદ્‌ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો શુભારંભ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.03

સેલવાસની વૃંદાવન સોસાયટી ખાતે ચૈત્ર માહિનામાં સમસ્‍ત પિતૃઓના મોક્ષાર્થે શ્રીમદ્‌ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ અને દેવી ચરિત્રનો શુભારંભ શ્રી હેમેન્‍દ્રસિંહ ચંદ્રસિંહ સુરમાના નિવાસસ્‍થાનેથી કળશયાત્રા કાઢવામાં આવી હતી, જે કથા સ્‍થળે પહોંચી હતી. જેમાં મોટી સંખ્‍યામાં ભાવિકભક્‍તો જોડાયા હતા. પોથીયાત્રા બાદ શ્રીમદ્‌ ભાગવત કથાનો શુભારંભ કરવામાં આવ્‍યો હતો. આ ભાગવત કથા પૂ. શ્રી દેવુભાઈ જોષી-ખેરગામવાળાની મધુર વાણીમાં રસપાન કરાવવામાં આવી રહી છે. કથાનો સમય બપોરે ત્રણ વાગ્‍યાથી સાંજે છ વાગ્‍યા દરમ્‍યાનનો રહેશે. કથાનો વિરામ તા.8 એપ્રિલ, 2022 રોજ કરાશે. આ શ્રીમદ્‌ ભાગવત કથાનો લાભ લેવા માટે ભાવિક ભક્‍તોને ભાવભર્યું આમંત્રણ આપવામાં આવ્‍યુ છે.

Related posts

ચીખલીના મલિયાધરામાં તાલુકા કક્ષાની યોજાયેલ પશુપાલન શિબિરમાં તજજ્ઞો દ્વારા પશુપાલકોને પશુઓની માવજત સંવધર્ન અંગે આપવામાં આવેલુ માર્ગદર્શન

vartmanpravah

vartmanpravah

વાપી ભાજપ પરિવાર દ્વારા લોખંડી પુરુષ, ભારત રત્‍ન સરદાર પટેલની પુણ્‍યતિથિજી ઉજવણી કરાઈ

vartmanpravah

‘આઝાદીના અમૃત મહોત્‍સવ’ અંતર્ગત દાનહ પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા વિવિધ શાળાઓમાં રંગોળી, પ્રશ્નોતરી તથા સાંસ્‍કૃતિક કાર્યક્રમોનું કરાયેલું આયોજન

vartmanpravah

રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે વાપીના ડુંગરામાં સિટી સિવિક સેન્ટરનું ઇ-લોકાર્પણ કર્યુ: નાણાંમંત્રી કનુભાઈ દેસાઈની વિશેષ ઉપસ્થિતિ

vartmanpravah

વાપી જુના રેલવે ફાટક અંડરપાસ માટે રેલવેએ મેગા બ્‍લોક કરી તોતિંગ ગડરો નાખવાની કામગીરી પૂર્ણ કરી

vartmanpravah

Leave a Comment