Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

સેલવાસની વૃંદાવન સોસાયટી ખાતે શ્રીમદ્‌ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો શુભારંભ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.03

સેલવાસની વૃંદાવન સોસાયટી ખાતે ચૈત્ર માહિનામાં સમસ્‍ત પિતૃઓના મોક્ષાર્થે શ્રીમદ્‌ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ અને દેવી ચરિત્રનો શુભારંભ શ્રી હેમેન્‍દ્રસિંહ ચંદ્રસિંહ સુરમાના નિવાસસ્‍થાનેથી કળશયાત્રા કાઢવામાં આવી હતી, જે કથા સ્‍થળે પહોંચી હતી. જેમાં મોટી સંખ્‍યામાં ભાવિકભક્‍તો જોડાયા હતા. પોથીયાત્રા બાદ શ્રીમદ્‌ ભાગવત કથાનો શુભારંભ કરવામાં આવ્‍યો હતો. આ ભાગવત કથા પૂ. શ્રી દેવુભાઈ જોષી-ખેરગામવાળાની મધુર વાણીમાં રસપાન કરાવવામાં આવી રહી છે. કથાનો સમય બપોરે ત્રણ વાગ્‍યાથી સાંજે છ વાગ્‍યા દરમ્‍યાનનો રહેશે. કથાનો વિરામ તા.8 એપ્રિલ, 2022 રોજ કરાશે. આ શ્રીમદ્‌ ભાગવત કથાનો લાભ લેવા માટે ભાવિક ભક્‍તોને ભાવભર્યું આમંત્રણ આપવામાં આવ્‍યુ છે.

Related posts

વાપીમાં ગટર જામની સમસ્યાનો સ્વાગત કાર્યક્રમમાં ત્વરિત નિકાલ થતા ૫૦ ઘરના રહીશોને રાહત

vartmanpravah

નાની દમણના દેવકા રોડ ઉપર હોટલ સેન્‍ડી રિસોર્ટ પાસે સ્‍કૂટરને અડફેટમાં લઈ અકસ્‍માત કરનાર ગાડી ચાલકની દમણ પોલીસે સુરતથી કરેલી ધરપકડ

vartmanpravah

ઉમરગામ ખાતે એક્‍સપો 2023 નું કરવામાં આવેલું આયોજન

vartmanpravah

વાપી સલવાવ ખાતે સેલ્‍યુટ તિરંગા દ્વારા સેલ્‍ફ ડિફેન્‍સ કાર્યક્રમ લોન્‍ચિંગ

vartmanpravah

દમણ ખાતે લાઈવ કન્‍સર્ટમાં ભાગ લેવા આવેલ સુપ્રસિદ્ધ ગાયિકા શ્રેયા ઘોષાલે સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

વાપી બલીઠા સ્‍મશાન ભૂમિ પાસેથી 627 વિદેશી દારૂના જથ્‍થા સાથે ત્રણ ઝડપાયા

vartmanpravah

Leave a Comment