March 29, 2024
Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

દાનહ ચૂંટણી વિભાગ દ્વારા મતદારોને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા કરાયેલી અપીલ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.26
દાદરા નગર હવેલીની લોકસભાની પેટા ચૂંટણી 30મી ઓક્‍ટોબરના રોજ યોજાનાર છે જે સંદર્ભે મુખ્‍ય ચૂંટણી અધિકારી અને કલેકટર ડો.રાકેશ મિન્‍હાસે જણાવ્‍યું છે કે પ્રદેશમાં ગ્રામ્‍ય વિસ્‍તાર કરતા શહેરી વિસ્‍તારમાં ઓછુ એટલે કે 60થી 70ટકા મતદાન થાય છે.
મતદાનના દિવસે કંપનીઓમા અને ખાનગી સંસ્‍થાઓમાં જાહેર રજા આપવામા આવે છે જેથી દરેકે ઘરેથી બહાર મતદાન કરવા નીકળવાની જરૂર છે 90 ટકાથી વધુ મતદાન થવું જરૂરી છે. રજા મળે એટલે પરિવાર સાથે ફરવા નીકળવાના હોય તો પહેલા મતદાન કર્યાં બાદ ફરવા જઈ શકો છો.
મતદાનનો સમય સવારે 7:00 વાગ્‍યાથી સાંજના 7:00 વાગ્‍યા સુધીનો રાખવામા આવ્‍યો છે. દરેક બુથ પર કોવીડ-19ના નિયમ અનુસાર માસ્‍કઆપવામા આવશે. સોશિયલ ડિસ્‍ટન્‍સ માટે કુંડાળા બનાવવામા આવ્‍યા છે વોટિંગ માટે હેન્‍ડ સેનિટાઇઝ કર્યા બાદ હેન્‍ડ ગ્‍લોવ્‍ઝ આપવામાં આવશે.
દિવ્‍યાંગ લોકો માટે વ્‍હીલચેરની પણ સુવિધા રાખવામાં આવી છે. મતદાન માટે નવા 18 વર્ષથી ઉપરના મતદાતાઓથી લઈ સીનીયર સીટીઝન સહિત દરેક મતદાન કરવા માટે ઉત્‍સાહપૂર્વક આગળ આવે અને કોઈપણ જાતનો ડર રાખ્‍યા વિના મતદાન કરવા માટે આગળ આવવા માટે અપીલ કરવામા આવી છે.

Related posts

આજે દાનહના આંબાબારી કૌંચા ખાતે પ્રશાસક પ્રફુલભાઈ પટેલ પંચાયત ઘરોનું ભૂમિપૂજન કરશે

vartmanpravah

દાનહમાં ભાજપ સંગઠનના ફાટેલા આભને પ્રદેશ પ્રભારીએ થિંગડા મારવા શરૂ કરી કોશિષ

vartmanpravah

દમણ કોર્ટમાં થયેલી ‘વિશ્વ વસતિ દિવસ’ની ઉજવણી

vartmanpravah

વાપીમાં નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં બેંક ઓફ ઈન્ડિયાનો 117મો સ્થાપના દિવસ ઉજવાયો

vartmanpravah

રાનકુવામાં પરિવાર કરિયાણાનો સામાન લેવા જતા તસ્‍કરો ધોળા દિવસે રૂા.1.94 લાખની મત્તા ચોરી પલાયન

vartmanpravah

થર્ટી ફર્સ્ટનો નશો કરેલા 1322નો નશો વલસાડ જિલ્લા પોલીસે ઉતારી દીધો : આજે જામીન ઉપર છૂટશે

vartmanpravah

Leave a Comment