Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

દાનહ ચૂંટણી વિભાગ દ્વારા મતદારોને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા કરાયેલી અપીલ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.26
દાદરા નગર હવેલીની લોકસભાની પેટા ચૂંટણી 30મી ઓક્‍ટોબરના રોજ યોજાનાર છે જે સંદર્ભે મુખ્‍ય ચૂંટણી અધિકારી અને કલેકટર ડો.રાકેશ મિન્‍હાસે જણાવ્‍યું છે કે પ્રદેશમાં ગ્રામ્‍ય વિસ્‍તાર કરતા શહેરી વિસ્‍તારમાં ઓછુ એટલે કે 60થી 70ટકા મતદાન થાય છે.
મતદાનના દિવસે કંપનીઓમા અને ખાનગી સંસ્‍થાઓમાં જાહેર રજા આપવામા આવે છે જેથી દરેકે ઘરેથી બહાર મતદાન કરવા નીકળવાની જરૂર છે 90 ટકાથી વધુ મતદાન થવું જરૂરી છે. રજા મળે એટલે પરિવાર સાથે ફરવા નીકળવાના હોય તો પહેલા મતદાન કર્યાં બાદ ફરવા જઈ શકો છો.
મતદાનનો સમય સવારે 7:00 વાગ્‍યાથી સાંજના 7:00 વાગ્‍યા સુધીનો રાખવામા આવ્‍યો છે. દરેક બુથ પર કોવીડ-19ના નિયમ અનુસાર માસ્‍કઆપવામા આવશે. સોશિયલ ડિસ્‍ટન્‍સ માટે કુંડાળા બનાવવામા આવ્‍યા છે વોટિંગ માટે હેન્‍ડ સેનિટાઇઝ કર્યા બાદ હેન્‍ડ ગ્‍લોવ્‍ઝ આપવામાં આવશે.
દિવ્‍યાંગ લોકો માટે વ્‍હીલચેરની પણ સુવિધા રાખવામાં આવી છે. મતદાન માટે નવા 18 વર્ષથી ઉપરના મતદાતાઓથી લઈ સીનીયર સીટીઝન સહિત દરેક મતદાન કરવા માટે ઉત્‍સાહપૂર્વક આગળ આવે અને કોઈપણ જાતનો ડર રાખ્‍યા વિના મતદાન કરવા માટે આગળ આવવા માટે અપીલ કરવામા આવી છે.

Related posts

દાદરા નગર હવેલી ટ્રાફિક પોલીસ દ્વારા માર્ગ સલામતી અભિયાન અંતર્ગત ડ્રોઈંગ સ્‍પધાનું આયોજન કરાયું

vartmanpravah

વાપી પાલિકા અને આર.ઓ. પ્‍લાન્‍ટ સંચાલકોના વિવાદનો અંતઃ પાલિકાએ ગાઈડલાઈન જારી કરી દિશાનિર્દેશ આપ્‍યા

vartmanpravah

મોડે મોડે પ્રદેશ ભાજપને ફૂટી ડહાપણની દાઢ : હવે દાનહના ગ્રામ્‍ય વિસ્‍તારોની મુલાકાત લઈ સમસ્‍યા જાણવા શરૂ કરેલો પ્રયાસ

vartmanpravah

ઉમરગામ ખાતે એક્‍સપો 2023 નું કરવામાં આવેલું આયોજન

vartmanpravah

દીવનો છ દિવસીય પ્રવાસ પૂર્ણ કરી પ્રશાસક પ્રફુલભાઈ પટેલ દમણ માટે રવાના: દીવની મુલાકાત દરમિયાન પ્રશાસક પ્રફુલભાઈ પટેલે અનેક લોક કલ્‍યાણના કામોનું કરેલું ઉદ્‌ઘાટન : વિવિધ વિકાસના કામોની પણ કરેલી સમીક્ષા

vartmanpravah

‘‘લો કોસ્‍ટ લાઈબ્રેરી મેનેજમેન્‍ટ” વિષય પર તૈયાર કરાયેલુ વલસાડના વિદ્યાર્થીનું રીસર્ચ પેપર આંતરરાષ્‍ટ્રીય સ્‍તર પર પ્રકાશિત થયુ

vartmanpravah

Leave a Comment