Vartman Pravah
Breaking Newsગુજરાતવલસાડવાપી

વાપીની આયુષ હોસ્‍પિટલમાં રક્‍તદાન શિબિર યોજાઈ

સ્‍વર્ગીય કેપ્‍ટન અનિલ દેવને સ્‍મરણાંજલિ અર્પણ કરવા આયુષ હોસ્‍પિટલ દ્વારા સતત બીજા વર્ષે રક્‍તદાન શિબિરનું કરાયેલું આયોજન

(વર્તમાન પ્રવાહ વાપીબ્‍યુરો) વાપી,તા.03
વાપી નેશનલ હઈવે સ્‍થિત કેપ્‍ટન દેવ આયુષ્‍ય હોસ્‍પિટલમાં આજે રવિવારે સ્‍વર્ગીય શ્રી કેપ્‍ટન અનીલ દેવને સ્‍મરણાંજલિ અર્પણ કરવા આજરોજ તારીખ 03/04/2022ના સવારે 9.00 થી બપોરે 03.00 વાગ્‍યા સુધી આયુષ હોસ્‍પિટલ દ્વારા સતત બીજા વર્ષે રક્‍તદાન શિબિરનું આયોજન કરવામાં આવયું હતું.
આ પ્રસંગે મુખ્‍ય મહેમાન શ્રી કનુભાઈ દેસાઇ કેબિનેટ મંત્રી (નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ) અતિથિ વિશેષ શ્રી સ્‍વામિનારાયણ સંકુલના મેનેજીંગ ટ્રસ્‍ટી શ્રી કપિલ સ્‍વામી અને યુપીએલ ગૃપના શ્રી સાન્‍દ્રાબેન શ્રોફ તથા વાપીના અગ્રણી ઉદ્યોગપતિઓ, વી.આઈ.એ. પ્રમુખ શ્રી કમલેશભાઈ પટેલ, ડો.દેવનો પરિવાર મળી મોટી સંખ્‍યામાં મહાનુભાવો ઉપસ્‍થિત રહ્યા હતા.
રક્‍તદાનનો સંકલ્‍પ સિદ્ધ કરવા વાપીના ઉદ્યોગપતિઓ, વેપારીગણ તથા વાપી વિસ્‍તારના મોટાભાગના ડૉક્‍ટરો હાજર રહ્યા હતા.
સ્‍વાગત સમારંભમાં ડો.આશિષ દેવે સર્વે આમંત્રિતોને ભાવ સભર આવકાર આપ્‍યો હતો અને દેવ ફાઉન્‍ડેશન વિશે સર્વેને વાકેફ કર્યા હતા. ત્‍યારબાદ શ્રી કપિલ સ્‍વામીએ આશીર્વચન આપ્‍યા હતા તથા શ્રી સાન્‍દ્રાબેન શ્રોફે દેવ પરિવારને સમાજ સેવા બદલ આવકાર્યા હતા. લોકલાડીલા મંત્રી શ્રી કનુભાઈ દેસાઇએ આ ઉમદા કાર્ય બદલ દેવ પરિવારને શુભેચ્‍છા પાઠવી હતી.
આભારવિધિમાં ડો.અમિત દેવે આ કાર્યક્રમને સફળ બનાવવા બદલ સર્વે નામી તથા અનામી સ્‍નેહીઓનો આભાર માન્‍યો હતો. આ રક્‍તદાન શિબિરમાં કુલ 120 યુનિટ રક્‍ત એકત્રિત કરાયું હતું.

Related posts

તાલુકા આદિજાતિ વિકાસ સમિતિની બેઠકની તારીખમાં ફેરફાર

vartmanpravah

દમણની જિલ્લા શિક્ષણ અને તાલીમ સંસ્‍થા દ્વારા નવનિયુક્‍ત બ્‍લોક રિસોર્સ કો-ઓર્ડિનેટર, ક્‍લસ્‍ટર કો-ઓર્ડિનેટર અને બ્‍લોક રિસોર્સ પર્સન માટે ઓરિએન્‍ટેશન કાર્યક્રમ યોજાયો

vartmanpravah

મહારાષ્ટ્રમાં સંક્રમણ અોછું થતા વાપી ડેપોઍ મુંબઈની ચાર ટ્રીપ શરૂ કરી

vartmanpravah

મોટી તંબાડી ખાતે 128.9પ લાખના ખર્ચે પાંચ વિકાસકાર્યોના લોકાર્પણ/ ખાતમુહૂર્ત કરતા પાણી પુરવઠા રાજ્‍યમંત્રી જીતુભાઈ ચૌધરી 

vartmanpravah

વડોદરા ખાતે સંકલ્પ સોશિયલ વર્ક ઍન્ડ રિસર્ચ ઇન્સ્ટીટ્યૂટ (સ્વારી) દ્વારા ઍક દિવસીય પરિસંવાદ યોજાયોઃ ભવિષ્યના વ્યવસાય અને તકો તથા વંચિતતા અને વિકાસ જેવા વિષય પર થયેલી વિશદ્ ચર્ચા

vartmanpravah

આજે ગરીબ કલ્‍યાણ મેળામાં રાજ્‍યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્‍સ મંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે  રૂા.2.10 કરોડના ખર્ચે તૈયાર થયેલ 1પ ગ્રામ પંચાયત ભવનોનું લોકાર્પણ કરાશે

vartmanpravah

Leave a Comment