April 29, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વંદે ભારત એક્‍સપ્રેસ 5મી વખત અકસ્‍માતનો ભોગ બની : ઉદવાડામાં ટ્રેન સાથે ગાય ભટકાઈ

સંજાણમાં 20 મિનિટ થોભાવાઈ : એન્‍જિનના આગળના ભાગે થયેલ નુકશાન મરામત બાદ મુંબઈ જવા રવાના

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.02: વંદે ભારત સુપર ફાસ્‍ટ એક્‍સપ્રેસ ફરી વધુ એકવાર અકસ્‍માતનો ભોગ બની છે. ગુરૂવારે સાંજે વલસાડથી મુંબઈ તરફ જઈ રહેલી ટ્રેન ઉદવાડા પાસે અકસ્‍માત નડયો હતો. એક ગાય એન્‍જિન સાથે ભટકાઈ હતી. જો કે ટ્રેન ચાલુ જ રહી હતી પરંતુ સંજાણમાં 15-20 મિનિટ ટ્રેન થોભાવાઈ હતી. એન્‍જિનની આગળના શંકુ સેદને થયેલા નુકશાનની મરામત બાદ ટ્રેન મુંબઈ જવા રવાના કરાઈ હતી. જો કે મુસાફરો તદ્‌નસલામત રહ્યા હતા.
વંદે ભારત ટ્રેન પ્રારંભ બાદ પાંચમી વાર અકસ્‍માત નડયો છે. ઉદવાડા પાસે પુરઝડપે પસાર થઈ રહેલી ટ્રેનના એન્‍જિન સામે ગાય આડે આવી જતા ભટકાતા એન્‍જિનનો આગળનો સેફને નુકશાન થયું હતું. ટ્રેનને સંજાણમાં થોભાવીને મરામત બાદ રવાના થઈ હતી. વંદે માતરમ ટ્રેનને આણંદમાં અમદાવાદ મણીનગરમાં એમ અગાઉ ચાર વાર ઢોરોને લઈ અકસ્‍માત થયા છે. રેલવે સુત્રો મુજબ આ વર્ષે ઢોરોના કારણે જ 4 હજાર ટ્રેન પ્રભાવિત બની છે. પાટા ઉપર ઢોર આવી જતા અકસ્‍માતો થાય છે. ઉદવાડામાં પણ પાટા ઉપર ગાય આવી જતા વંદેભારત એક્‍સપ્રેસ અકસ્‍માતગ્રસ્‍ત થઈ છે. વાંક રેલવે તંત્રનો નહી પણ ઢોરોની સમસ્‍યાનો છે. જો કે પ્રિમિયમ ટ્રેનોમાં એન્‍જિનના આગળનો ભાગ શંકુ આકારનો મજબુત ફાઈબરનો બનાવાય છે તેથી એન્‍જિન કે ચેચીસને નુકશાન થતું નથી. પાંચેય અકસ્‍માતોમાં મુસાફરો અને એન્‍જિન સલામત રહ્યા છે.

Related posts

‘સ્‍વચ્‍છતા હી સેવા’ પખવાડા અંતર્ગત: દમણ જિલ્લાની તમામ 14 ગ્રામ પંચાયતોમાં તળાવ અને અમૃત સરોવરોની કરાયેલી સાફ-સફાઈ

vartmanpravah

બુલેટ ટ્રેન પ્રોજેક્‍ટમાં પવનની ગતિ જાણવા માટે 14 પુલો ઉપર મોનીટરીંગ સિસ્‍ટમ લગાવાઈ

vartmanpravah

વલસાડ જિલ્લાની તમામ પોસ્‍ટ ઓફિસોમાં સ્‍વચ્‍છતા અભિયાન અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

દાનહઃ નેશનલ હેલ્‍થ મિશનના એકાઉન્‍ટન્‍ટે રૂા.42.50 લાખનું કરેલું ગબન

vartmanpravah

સીબીએસઈ બોર્ડના જાહેર થયેલા પરિણામમાં કોસ્‍ટગાર્ડ પબ્‍લિક સ્‍કૂલની વિદ્યાર્થીની કુ. પર્લ રાઠોડ દમણમાં ટોપર બનીઃ કોમર્સ પ્રવાહમાં મેળવેલા 96.40 ટકા ગુણ

vartmanpravah

વલસાડ જિલ્લામાં અંતિમ મતદાર યાદી પ્રસિદ્ધ થયા બાદ વધુ 2779 મતદારો ઉમેરાયા

vartmanpravah

Leave a Comment