December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વંદે ભારત એક્‍સપ્રેસ 5મી વખત અકસ્‍માતનો ભોગ બની : ઉદવાડામાં ટ્રેન સાથે ગાય ભટકાઈ

સંજાણમાં 20 મિનિટ થોભાવાઈ : એન્‍જિનના આગળના ભાગે થયેલ નુકશાન મરામત બાદ મુંબઈ જવા રવાના

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.02: વંદે ભારત સુપર ફાસ્‍ટ એક્‍સપ્રેસ ફરી વધુ એકવાર અકસ્‍માતનો ભોગ બની છે. ગુરૂવારે સાંજે વલસાડથી મુંબઈ તરફ જઈ રહેલી ટ્રેન ઉદવાડા પાસે અકસ્‍માત નડયો હતો. એક ગાય એન્‍જિન સાથે ભટકાઈ હતી. જો કે ટ્રેન ચાલુ જ રહી હતી પરંતુ સંજાણમાં 15-20 મિનિટ ટ્રેન થોભાવાઈ હતી. એન્‍જિનની આગળના શંકુ સેદને થયેલા નુકશાનની મરામત બાદ ટ્રેન મુંબઈ જવા રવાના કરાઈ હતી. જો કે મુસાફરો તદ્‌નસલામત રહ્યા હતા.
વંદે ભારત ટ્રેન પ્રારંભ બાદ પાંચમી વાર અકસ્‍માત નડયો છે. ઉદવાડા પાસે પુરઝડપે પસાર થઈ રહેલી ટ્રેનના એન્‍જિન સામે ગાય આડે આવી જતા ભટકાતા એન્‍જિનનો આગળનો સેફને નુકશાન થયું હતું. ટ્રેનને સંજાણમાં થોભાવીને મરામત બાદ રવાના થઈ હતી. વંદે માતરમ ટ્રેનને આણંદમાં અમદાવાદ મણીનગરમાં એમ અગાઉ ચાર વાર ઢોરોને લઈ અકસ્‍માત થયા છે. રેલવે સુત્રો મુજબ આ વર્ષે ઢોરોના કારણે જ 4 હજાર ટ્રેન પ્રભાવિત બની છે. પાટા ઉપર ઢોર આવી જતા અકસ્‍માતો થાય છે. ઉદવાડામાં પણ પાટા ઉપર ગાય આવી જતા વંદેભારત એક્‍સપ્રેસ અકસ્‍માતગ્રસ્‍ત થઈ છે. વાંક રેલવે તંત્રનો નહી પણ ઢોરોની સમસ્‍યાનો છે. જો કે પ્રિમિયમ ટ્રેનોમાં એન્‍જિનના આગળનો ભાગ શંકુ આકારનો મજબુત ફાઈબરનો બનાવાય છે તેથી એન્‍જિન કે ચેચીસને નુકશાન થતું નથી. પાંચેય અકસ્‍માતોમાં મુસાફરો અને એન્‍જિન સલામત રહ્યા છે.

Related posts

‘ઈ-મેઘ સિસ્ટમ’ વલસાડ શહેર માટે આશીર્વાદરૂપ

vartmanpravah

રખોલીની આર.આર.કેબલ લિ.માં રક્‍તદાન શિબિર યોજાઈ

vartmanpravah

‘નશામુક્‍ત ભારત’ અભિયાનઅંતર્ગત સંઘપ્રદેશમાં માદક પદાર્થોના જોખમ વિરુદ્ધ લડાઈ માટે સેલવાસ ન.પા.ના સભાખંડમાં જાગૃતિ બેઠક યોજાઈ

vartmanpravah

દાનહ જિલ્લા પ્રશાસન દ્વારા સેલવાસ કલેક્‍ટર કચેરીના પરિસરમાં સ્‍થાપવામાં આવેલ દેશના પૂર્વ પ્રધાનમંત્રી સ્‍વ. ઈન્‍દિરા ગાંધીની પ્રતિમાને હટાવાતા કોંગ્રેસે કલેક્‍ટરને કરેલી રજૂઆત

vartmanpravah

ઉમરગામમાં બાળકી સાથે થયેલ જધન્‍ય ઘટના અંગે સાંસદ ધવલ પટેલે ગૃહ મંત્રી હર્ષ સંઘવીને મળી ત્‍વરિત ન્‍યાય માટે રજૂઆત કરી

vartmanpravah

રવિવારે દમણમાં 13, દાનહમાં 11 કોરોના પોઝિટીવ કેસ નોંધાયાઃ દીવમાં રાહતના સમાચાર

vartmanpravah

Leave a Comment