October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહના ગલોન્‍ડા પંચાયત ખાતે સર્વ આદિવાસી સમાજ સંગઠન દ્વારા સ્‍વતંત્ર સેનાની જમની બા વરઠા ચોક જાહેર કરાયો : નામકરણ માટેના પ્રસ્‍તાવની નકલ ગલોન્‍ડા પંચાયત, જિલ્લા પંચાયત, જિલ્લા પ્રશાસન અને પ્રશાસકશ્રીને મોકલવામાં આવશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.17 : દાદરા નગર હવેલીના ગલોન્‍ડા ગ્રામ પંચાયતમાં ‘આદિવાસી એકતા પરિષદ’ અને ‘સર્વ આદિવાસી સમાજ સંગઠન’ના તત્‍વાધાનમાંઅનુચ્‍છેદ 13(3)ક પરંપરાગત કાનૂન રૂઢિ પ્રથા મુજબ અનુચ્‍છેદ 244(1) પાંચમી અનુસુચિત ક્ષેત્રના ઉપબંધો અને અનુસુચિત જનજાતિઓના સ્‍વશાસન પ્રશાસન કલ્‍યાણ અને નિયંત્રણ વિધિના મુજબ કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલીના ક્રાંતિકારી અને સ્‍વતંત્ર સેનાની જમનીબા વરઠાના નામે ચોકના નામ માટે સર્વસંમતિથી પ્રસ્‍તાવ પાસ કરી ‘સ્‍વતંત્ર સેનાની જમનીબા વરઠા ચોક’ જાહેર કરવામાં આવ્‍યો છે. આ ચોકનું અનાવરણ સ્‍વયં સ્‍વતંત્ર સેનાની જમની બા વરઠાના કરકમલો દ્વારા કરવામાં આવ્‍યું હતું. નામકરણ માટેના પ્રસ્‍તાવની નકલ ગલોન્‍ડા પંચાયત, જિલ્લા પંચાયત, જિલ્લા પ્રશાસન અને પ્રશાસકશ્રીને મોકલવામાં આવશે.
આ અવસરે વરઠા પરિવાર, વારલી સમાજના આગેવાનો, આદિવાસી એકતા પરિષદના પૂર્વ રાષ્ટ્રીય અધ્‍યક્ષ અને સર્વ આદિવાસી સમાજ સંગઠનના સંયોજક શ્રી પ્રભુભાઈ ટોકીયા, દમણ એક્‍શન યુથ એક્‍શન ફોર્સના પ્રમુખ શ્રી ઉમેશભાઈ પટેલ, આદિવાસી એકતા પરિષદના અધ્‍યક્ષ અને ટીમ સહિત ગ્રામજનો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

વાપી નગરપાલિકાના નવનિયુક્‍ત પ્રમુખ સહિતના હોદ્દેદારોએ વલસાડ-ડાંગ સાંસદ અને જિલ્લા ભાજપ પ્રમુખની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

સંઘપ્રદેશ સહિત વલસાડ જિલ્લાનો ભંડારી સમાજ સ્‍તબ્‍ધ દાનહના ખરડપાડા ખાતે ‘‘પતિ-પત્‍ની ઔર વો”ના કિસ્‍સામાં કરૂણ અંજામઃ પત્‍નીએ પોતાના કુંવારા પ્રેમી સાથે મળી પતિની ગળું દબાવી કરેલી હત્‍યા

vartmanpravah

સલવાવ સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજના વિદ્યાર્થીઓએ ફિઝિક સ્‍પર્ધામાં ડંકો વગાડ્‍યો

vartmanpravah

દીવ ખાતે મલ્‍ટી સ્‍પોર્ટ્‍સ બીચ ગેમ્‍સના સાક્ષી બનવા કેન્‍દ્રિય મંત્રી અનુરાગ ઠાકુર, દિલ્‍હી અને લદ્દાખના એલ.જી.નું આગમન

vartmanpravah

ખાંભડા ગામે લાયબ્રેરીના અદ્યતન મકાન માટે સરપંચ સહિત આગેવાનો દ્વારા ખાતમુહૂર્ત કરતા સ્‍થાનિકોમાં ખુશી ફેલાઈ

vartmanpravah

દમણ જિલ્લા કોળી પટેલ સમાજના સોમનાથ ભવનમાં ચાલી રહેલ શ્રીમદ્‌ ભાગવત કથાના છઠ્ઠા દિવસે કૃષ્‍ણ જન્‍મોત્‍સવ અને રૂક્ષ્મણી વિવાહની કરાયેલી ઉજવણી

vartmanpravah

Leave a Comment